કુદરત પાસેથી આપણને એવી ઘણી વસ્તુઓ મળી છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ બધા પૈકી એક વસ્તુ છે તલ. સવારે ખાલી પેટે તલનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. ભૂતપૂર્વ મેડિકલ ઈન્ચાર્જ યુનાની ડૉ. સુબાસ રાય ખાલી પેટે કાળા, સફેદ અને શેકેલા તલ ખાવાના ફાયદાઓ જણાવે છે.
દાંત મજબૂત થાય
સવારે શેકેલા તલ ચાવવાથી દાંત મજબૂત થાય છે અને પેઢા સ્વસ્થ રહે છે. તલમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે, જે દાંત અને પેઢાં માટે ફાયદાકારક છે.
મેટાબોલિઝમ વધારે
સારા સ્વાસ્થ્ય માટેના અનેક ઉપાયોમાં કેટલીક એવી વસ્તુઓ છે, જે ખાવાથી મેટાબોલિઝમ વધે છે. મેટાબોલિઝમ વધારવાની ઘણી રીતો છે, પરંતુ શેકેલા તલ ચાવવા એ એવો જ એક અસરકારક ઉપાય છે, જે માત્ર પાચન જ નહીં, પરંતુ દાંત અને પેઢાંને પણ મજબૂત બનાવે છે.
શેકેલા તલ ચાવવાના ફાયદા
સવારે શેકેલા તલ ચાવવાથી લિવર અને પેટ ઉત્તેજિત થાય છે અને ગેસ્ટ્રાઇટિસમાં સુધારો થાય છે. એ પાચનને મજબૂત બનાવે છે. તલ હાડકાં, દાંત અને વાળને મજબૂત કરવાનું કામ કરે છે. એના ફાયદાકારક ગુણધર્મો કબજિયાતની સારવારમાં પણ અસરકારક છે. તલ ચાવવાથી પણ સૂકી ઉધરસમાં રાહત મળે છે.
હાડકાં મજબૂત થશે
તલના સેવનથી હાડકાં મજબૂત થાય છે. તલમાં જોવા મળતું સેસમીન એ એન્ટીઑકિસડન્ટ છે, જે કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે.
તણાવ દૂર થશે
તલમાં એવાં ઘણાં તત્ત્વો જોવા મળે છે, જે તણાવ અને ડિપ્રેશનને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે પણ તમે તણાવ અનુભવો છો ત્યારે તમે તલનું સેવન કરી શકો છો. કાળા તલમાં ભરપૂર માત્રામાં રહેલાં પોષકતત્ત્વો તણાવ ઘટાડવામાં અસરકારક છે. દરરોજ કાળા તલ ખાવાથી માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.
પાચન માટે ફાયદાકારક
કાળા તલમાં ઉચ્ચ ફાઈબર હોય છે, જેને કારણે એ કબજિયાતમાં રાહત આપે છે. તલમાંથી મળતું તેલ આંતરડાંને લુબ્રિકેટ કરે છે અને ફાઇબર આંતરડાંની ગતિમાં મદદ કરે છે.
બ્લડપ્રેશર નોર્મલ રહેશે
તલમાં ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ હોય છે, જે હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ છે. તલના તેલમાં હાજર સેસમીન અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ સંયોજનો બ્લડપ્રેશરના લેવલને સામાન્ય રાખવામાં મદદરૂપ થાય છે. ડાયટમાં તલનો સમાવેશ કરવાથી બ્લડપ્રેશરને સામાન્ય રાખવામાં મદદ મળે છે. દરરોજ કાળા તલ ખાવાથી બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે.
શિયાળાની ઋતુમાં કાળા તલનું સેવન કરવાની સલાહ પણ આપવામાં આવે છે. કાળા તલમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ અને ફાઈબર જેવા ગુણો હોય છે, જેનાથી ઠંડીમાં ફાયદો થાય છે.
કાળા તલના ફાયદાઓ વિશે જાણીને તમને આશ્ચર્ય થશે
નબળાઈ દૂર કરશે
કેટલાક લોકોમાં પોષકતત્ત્વો ન હોવાને કારણે ખૂબ જ ઝડપથી નબળાઈ અને થાક અનુભવવા લાગે છે. આ સ્થિતિમાં કાળા તલનું સેવન કરવાથી શરીરમાં પ્રોટીનની મળે છે.
હાડકાં મજબૂત રહેશે
કાળા તલમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. ડાયટમાં કાળા તલનો સમાવેશ કરવાથી ઘૂંટણ અને સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.
પાઈલ્સની સમસ્યાથી છુટકારો મળશે
કાળા તલ પાઈલ્સ જેવી બીમારીઓથી છુટકારો મેળવવા માટે પણ ફાયદાકારક છે. કાળા તલનું રોજ ઠંડા પાણી સાથે સેવન કરવાથી તમે પાઈલ્સની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.