શિયાળાની ઋતુ આવી ગઈ છે. હવે આપણે સવાર અને રાત દરમિયાન ઠંડી અનુભવીએ છીએ. આ સિઝન ખાવા-પીવાની મજા માણવા અને રજાઓ માટે જાણીતી છે. પરંતુ આ સિઝનમાં બીમાર પડવાનું જોખમ પણ એટલું જ રહેતું હોય છે. એઈમ્સ ભોપાલ ખાતેના ડૉ. વિનીત દ્વિવેદીના જણાવ્યા મુજબ, આ ઋતુમાં સાવચેતી રાખીને માંદા પડતા બચી શકાય છે.
શિયાળાની ઋતુમાં અસ્થમા અને સાંધાના દુખાવાની તકલીફોમાં વધારો થાય છે. સિનિયર સિટીઝન અને બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. આ સિઝનમાં, ઉકાળો, તુલસીનો છોડ અને હળદરનું દૂધ ખૂબ જ અસરકારક ઉપાય છે, જે તમને માંદા પડતા બચાવી શકે છે.
શરદી ન થાય એ માટે સાવચેતી રાખવાના ઉપાય
ઠંડીમાં આ 8 સમસ્યાઓ પેદા થઈ શકે છે, તેનાથી બચવાના ઉપાય જાણો
1. ડાયેરિયા
2. માઇગ્રેન
3. ડ્રાય સ્કિન
4. ઉધરસ અને કફ
શિયાળા દરમિયાન સામાન્ય રીતે છાતીમાં કફ જમા થઈ જાય છે અને તેનાથી ઘણી મુશ્કેલી થાય છે. આ માટે અંજીર ખાઓ. આ કફ કાઢશે અને કફથી રાહત આપશે. શરીરને ગરમ રાખીને પણ આવી સમસ્યાઓથી બચી શકાય છે. આ માટે તમે હળદરવાળું ગરમ દૂધ પણ પી શકો છો.
5. તાવ
તાવ વધારે ઠંડી લાગે તો તાવ આવે તે સામાન્ય વાત છે. તેનાથી બચવા માટે દિવસમાં 3 વાર અજમાનું ચૂર્ણ લેવાથી ફાયદો રહે છે. તુલસીનો ઉકાળો પણ ફાયદાકારક છે.
6. વાઈરલ
વાઈરલ ફીવર એટલે કે ઉધરસ, શરદી અને તાવ એક સાથે થાય તો ફુદીનાનાં પાંદડાંની ચા બનાવી પીવાથી આરામ મળે છે. તેનાથી બચવા માટે પોતાની જાતને સુરક્ષિત રાખવી જરૂરી છે.
આ રીતે વાઈરલથી બચો
7. અસ્થમાના દર્દીઓ વધારે સાવચેતી રાખે
વધારે કફ જમા થઈ જાય તો અસ્થમાના દર્દીઓની મુશ્કેલી વધી શકે છે. અજમા સાથે નાની પીપર અને ખસખસનો ઉકાળો પીવાથી તરત જ આરામ મળે છે. આદુ અને સૂકાયેલું આદું અસ્થમા પીડિતો માટે ઘણું કારગત છે. ભોજન અને ચામાં આદુનો પ્રયોગ કરો. સૂકા આદુને મધ સાથે લો.
8. સાંધાનો દુખાવો
શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા રહે છે. સરસિયાના તેલમાં 3-4 લસણની કળી ઉમેરી તેને થોડું ગરમ કરી ઠંડું પડી ગયા બાદ માલિશ કરો. તેનાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે અને તાપમાન જળવાઈ રહે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.