માઈગ્રેન દુનિયાની અનેક બીમારીમાંની એક બીમારી છે. દુનિયામાં સૌથી વધારે થતો ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર પણ છે. આનાથી પીડિત લોકોને સતત માથામાં દુખાવો રહે છે. આંકડા પ્રમાણે, માઈગ્રેનથી પીડિત 20% લોકો માથાનો દુખાવો રોકવા માટે ઓપિઓઈડ નામનું ડ્રગ લે છે. વૈજ્ઞાનિકોના કહ્યા પ્રમાણે, દવાઓનો ઉપયોગ કર્યા વગર પણ માઈગ્રેનની સારવાર શક્ય છે. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિયેશનમાં પબ્લિશ રિસર્ચ પ્રમાણે, માઇન્ડફુલ મેડિટેશન અને યોગ કરવાથી માઈગ્રેનની તકલીફ ઓછી થઈ શકે છે.
માઈગ્રેન સાથે જોડાયેલી અમુક વાતો:
રિસર્ચ શું કહે છે?
રિસર્ચમાં માઈગ્રેનના દર્દીઓને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. પ્રથમ ગ્રુપને માઈન્ડફુલનેસ પ્રેક્ટિસ કરવાનું કહેવામાં આવ્યું. તેમાં મેડિટેશન, હઠ યોગ અને શ્વાસ લેવાની પેટર્ન પર ધ્યાન આપ્યું. આ ઉપરાંત ઘરે પણ પ્રેક્ટિસ કરવાની સલાહ આપવામાં આવી. બીજા ગ્રુપને માત્ર માથાના દુખાવા બાબતે શિક્ષણ આપવામાં આવ્યું. માઈગ્રેન વિશે ડીટેલમાં જણાવ્યું. ક્લાસ દરમિયાન તેમના પ્રશ્ન-જવાબ ડિસ્ક્સ કર્યા.
8 અઠવાડિયાંનાં એક્સપરિમેન્ટમાં ખબર પડી કે, માઈન્ડફુલનેસ માઈગ્રેન અટેક્સ ઓછું કરવામાં અસરકારક છે. સતત મેડિટેશન અને યોગ કરનારા લોકોમાં માત્ર માઈગ્રેન જ નહીં પણ ડિપ્રેશન અને ચિંતા પણ ઓછી થઈ.
માઈન્ડફુલ મેડિટેશન કેવી રીતે કરવું?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.