હેલ્થ ડેસ્ક: ચોમાસાની સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવાથી ડેન્ગ્યુ થવાની ભીતિ વધુ રહે છે. તેથી ડેન્ગ્યુ માટે જાગ્રત થવું અત્યંત જરૂરી છે. કારણ કે, લોકોને મુશ્કેલીમાં ધકેલનાર આ રોગમાં જાણકારી જ બચાવનું કામ કરે છે. ડેન્ગ્યુ માદા મચ્છર કરડવાથી થાય છે. તેનાં લક્ષણોની વાત કરીએ તો...
તપાસ
જો ઉલ્લેખ કરેલાં લક્ષણોમાંથી કોઈ એક પણ લક્ષણ જણાય તો, તરત જ ડોક્ટર પાસે જવું જોઈએ અને તેમની સલાહ પ્રમાણે લોહીની તપાસ કરાવવી જોઈએ. ડેન્ગ્યુની તપાસ માટે NS1 ટેસ્ટ કરવામાં આવે છે. તેનાથી ડોક્ટર નક્કી કરે છે કે દર્દીને ડેન્ગ્યુ થયો છે કે નહીં.
ડેન્ગ્યુ વિશે માહિતી
ડેન્ગ્યુના મચ્છર સામાન્ય રીતે દિવસમાં જ કરડતા જ હોય છે
ગરમી અને ચોમાસામાં આ બીમારી ઝડપથી થાય છે. ડેન્ગ્યુના મચ્છર હંમેશાં ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. જેમકે ધાબા પર રહેલી પાણીની ટાંકી, ઘડા અને ડોલમાં રહેલું પાણી, કૂલરનું પાણી અને કુંડાંમાં જમા થયેલું પાણી વગેરે.
ઉપાય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.