H3N2 વાયરસનાં કેસ દેશમાં વધી રહ્યા છે. તેનાથી 2 લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન IMA મુજબ આ વાયરસ સામાન્ય રીતે 15 વર્ષથી નાની અને 50 વર્ષથી મોટી ઉંમરનાં લોકોને બીમાર પાડી રહ્યો છે. કોમોરબિડ દર્દી એટલે કે એક એવો વ્યક્તિ કે જે એક સમયે અનેક પ્રકારની ગંભીર બીમારીઓનો શિકાર હોય જેમ કે- તે ડાયાબિટીસ અને બીપી બંનેની તકલીફથી પીડાતો હોય અથવા તો એવા લોકો કે, જે અસ્થમા, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓ, નબળી ઈમ્યૂન સિસ્ટમ અને ન્યૂરોલોજિકલ સમસ્યાઓથી પીડાતા હોય, આ લોકોને H3N2નું જોખમ વધુ પડતુ રહે છે.
એક્સપર્ટ છે - ડૉ. શાલમાલી ઇનામદાર, કન્સલ્ટન્ટ & ફિઝિશિયન, કોકિલાબેન હોસ્પિટલ, મુંબઈ, ડૉ. રાજીવ ગુપ્તા, સિનિયર કન્સલ્ટન્ટ, ઈન્ટર્નલ મેડિસિન, સી કે બિરલા હોસ્પિટલ, દિલ્હી અને ગુરુગ્રામ, ડૉ. રોહિત જોશી, પીડિયાટ્રિશિયન, બંસલ હોસ્પિટલ ભોપાલ અને ડૉ. રીતુ સેઠી, ગાયનેકોલોજિસ્ટ, ગુડગાંવ.
H3N2 વાયરસનાં લક્ષણો મોસમી શરદી અને કફ જેવા છે. નીચે કેટલાક લક્ષણો છે, વાંચો અને સાવચેતી રાખો ...
હવે એક-એક કરીને તેના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ, તમે પણ નીચેના ગ્રાફિક્સ વાંચો અને બીજાને શેર પણ કરો
પ્રશ્ન - H3N2 હોય તો તાવ કેટલા દિવસમાં ઉતરી શકે છે?
જવાબ - ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)નું માનવુ છે કે, આ ઈન્ફેક્શનનાં લક્ષણો 5-7 દિવસ સુધી રહેશે. H3N2થી થતો તાવ 3 દિવસમાં ઉતરી શકે છે પરંતુ, ઊધરસ 3 અઠવાડિયાથી વધુ દિવસો સુધી રહે છે.
પ્રશ્ન - શું અમુક લક્ષણોને જોઈને એ જાણવુ સંભવ છે કે, તમને H3N2 ઈન્ફ્લૂએન્ઝા શા માટે થયુ છે?
જવાબ - ના, ફક્ત લક્ષણો જોઈને કઇપણ નક્કી ન કરી શકાય. લોહીના નમૂનાની તપાસ અને લેબમાં બીજા અમુક ટેસ્ટ કરવામાં આવે છે, જે તમને જણાવે કે તમને H3N2 થયુ છે કે કોઈ બીજી બીમારી છે.
પ્રશ્ન - H3N2ને ફેલાતા કેવી રીતે અટકાવી શકાય?
જવાબ - આ સ્ટેપ્સને ફોલો કરીને તમે H3N2ને ફેલાતા અટકાવી શકો છો...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.