જે લોકો રમત ગમતમાં વધારે ધ્યાન આપે છે અને દોડે છે તેમને પગમાં દુખાવો (પગમાં ગોટલા ચડે) અને જકડાઈ જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જે પાછળનું કારણ એ છે કે, રમતી વખતે અથવા દોડતી વખતે પગ પર વધુ દબાણ આવે છે, જેના કારણે પગમાં દુખાવો થાય છે. જેના કારણે લોકોને ચાલવામાં અને સીઢીઓ ચઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે લોકો કસરત કરવાનું શરૂ કરે છે તેમાં પણ પગનો દુખાવો ખૂબ જ સામાન્ય છે. પગમાં દુખાવાની સમસ્યા સ્નાયુઓમાં તણાવ અને શરીરમાં કેટલાક હોર્મોનલ અસંતુલનને કારણે છે. મ ફિઝિયોથેરાપિસ્ટ ખ્યાતિ શર્મા પગના દુખાવાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય તે અંગે જણાવી રહ્યા છે.
પગના દુખાવાથી રાહત મેળવવા માટે આ કસરત કરો
પગના દુખાવાના ઘણા કારણો હોય છે, આ સમસ્યા મોટે ભાગે એથ્લેટ્સ અને કસરત કરતા લોકોમાં જોવા મળે છે. પગના દુખાવાની સમસ્યામાં આ કસરતોનો અભ્યાસ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
રિવર્સ લંગ એક્સરસાઇઝ
પગના દુખાવામાં આ કસરત ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. રિવર્સ લન્જ કરવા માટે પહેલા સીધા ઊભા રહો. તમારા જમણા પગને ઉપાડીને એક ડગલુંપાછળ લો અને ડાબા પગને ત્યાં જ રહેવા દો. હવે જમણા પગના ઘૂંટણને જમીન પર રાખો અને જાંઘ અને પીઠ પાછળ 90 ડિગ્રીનો ખૂણો બનાવવાનો પ્રયાસ કરો. આ પછી ડાબા પગને ઘૂંટણ પર વાળો અને તેને જાંઘની બરાબર લાવો. થોડીવાર આ સ્થિતિમાં રહો. તે પછી સામાન્ય સ્થિતિ થઇ જશે.
પગની ઘૂંટી કસરત
પગની ઘૂંટીની કસરત કરવાથી પગના દુખાવામાં રાહત મળે છે. આ માટે પહેલા જમણા પગના અંગૂઠા પર ઉભા રહો અને એડીને હવામાં રાખો. એ પછી ધીમે-ધીમે એડીને ઉપરની તરફ ઉંચી કરો. આ કર્યા પછી આ પ્રક્રિયાને બીજા પગથી આ રીતે જ કરો.
હાઇડ્રેશન જરૂરી
શરીરને હાઈડ્રેટ રાખો કારણ કે ડિહાઈડ્રેશનને કારણે સ્નાયુઓમાં ખેંચાણ જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.
આઇસપેકનો શેઇક કરો
સ્નાયુના દુખાવામાં સીધા બેસો અને આઈસ પેકની મદદથી 15 મિનિટ સુધી કોમ્પ્રેસ કરો. ત્યાર બાદ તેલથી સારી રીતે માલિશ કરો.
સારા શૂઝનો ઉપયોગ કરો
પગમાં દુખાવો ન થાય તે માટે યોગ્ય કદના શૂઝ અને સ્પોર્ટ્સ વેર પહેરો. આમ કરવાથી પગ પર વધારે દબાણ નથી પડતું અને તમે પીડા વગર દોડી શકો છો.
પગનો દુખાવો તમને કોઈ પણ રીતે હેરાન કરી શકે છે. ચાલતા-ચાલતા પગમાં દુખાવો થવો, રાતના સમયે પગની નસ પર નસ ચઢવી જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ જો આપણે થોડું પણ ધ્યાન રાખીએ છીએ તો આ દુખાવાની સમસ્યામાંથી રાહત મળી શકે છે. તો બીજી તરફ ભાગદોડ ભરેલી જિંદગીમાં સાંધાનો દુખાવો થવો સામાન્ય છે. જેના કારણે પગમાં દુખાવો થાય છે. આ દુખાવો રાતે વધારે થાય છે. આવો જાણીએ આ સમસ્યાનો ઈલાજ
પાણી પીવું જરૂરી છે
પાણી સ્નાયુઓમાં ભેજ જાળવી રાખે છે. તેની ઉણપથી જડતા અને દુખાવો થાય છે, જે વર્કઆઉટ દરમિયાન વધી શકે છે. આ ઉપરાંત પાણી શરીરમાંથી ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે.આ માટે દિવસભર થોડું થોડું પાણી પીવાની ટેવ પાડવી જોઈએ.
તેલનું માલિશ કરો
માલિશ કરવાથી સ્નાયુઓમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ગરમાહટ મળે છે. આ સાથે લેક્ટિક એસિડને પણ દૂર કરે છે, તેલ સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે. પાઈન, લવંડર, આદુ અને ફુદીના વાળા તેલનું માલિશ કરવાથી સ્નાયુઓમાં દુખાવો ઓછો થઈ શકે છે અને સોજો પણ દૂર થઇ જાય છે.
સ્ટ્રેચિંગ
સ્નાયુઓમાં તણાવની સારવાર માટે સ્ટ્રેચિંગએ સૌથી અસરકારક રીત છે. જે સ્નાયુઓને મજબૂત અને વધુ લચીલી કરે છે. તેમાં ઈજા થવાની સંભાવના ઓછી હોય છે, તેથી સ્ટ્રેચિંગ કરો.
હીટ થેરાપી
હીટ થેરાપીનો ઉપયોગ મચકોડ, ખેંચાણ, સ્નાયુઓની જડતાની સારવારમાં થાય છે. માત્ર ગંભીર ઇજાઓ માટે હીટ થેરાપીનો ઉપયોગ કરો, કારણ કે તે સોજો પણ વધારી શકે છે.જો કે ગરમી સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે, તે સ્નાયુઓની જડતા પણ ઘટાડે છે.
પ્રોટીન
મસલ્સના વિકાસ અને રિકવરી માટે પ્રોટીન જરૂરી છે. જો શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન ન મળે તો પણ સ્નાયુઓમાં દુખાવો થાય છે. વધારાની પ્રવૃત્તિ પછી શરીરમાં ઊર્જાનું સ્તર જાળવી રાખવા માટે સ્નાયુઓને પ્રોટીનની જરૂર હોય છે. ત્યારે પ્રોટીન અને કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે ઈંડા, ચિકન, માછલી, સ્પ્રાઉટ્સ અને કઠોળને આહારમાં સમાવેશ કરો.
લાલ મરચાથી પણ ફાયદા
લાલ મરચુંમાં કેપ્સેસીન હોય છે જે સંધિવા, સાંધા અને સ્નાયુઓના દુખાવામાં રાહત આપે છે. ઓલિવ ઓઈલ અથવા નારિયેળ તેલમાં અડધી ચમચી લાલ મરચું મિક્સ કરીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો અને બે મિનિટ પછી ધોઈ લો.
કસરત જરૂરી છે
જો શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહી ન હોય તો માંસપેશીઓ સમસ્યા થાય છે. કસરત દ્વારા જ આ સમસ્યાથી બચી શકાય છે. દરરોજ કસરત કરવાથી બ્લડ સેલ્સ એક્ટિવ સક્રિય રહે છે. ઘણા લોકો વ્યાયામને વધારે મહત્વ નથી આપતા, તેનાથી લોહીનો પ્રવાહ જળવાઈ રહે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.