આજની ભાગદોડ ભરી જિંદગીમાં લોકોને ન તો જમવાનો સમય મળે છે ના તો બીજો કોઈ, કામમાં જ એટલા વ્યસ્ત હોય છે કે, માનસિક રીતે પડી ભાંગે છે. માનસિક બીમારીઓથી છુટકારો મેળવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે.
આત્મહત્યાના વિચારો કરતી મહિલાઓ પર કરવામાં આવ્યું સંશોધન
પરંતુ જો માનસિક સ્વાસ્થ્યની પરેશાનીઓ સામે ઝઝુમી રહેલા લોકોમાં કસરત કરવાથી નિરાશાની ભાવના ઘટે છે. સાઇકિયાટ્રિક રિસર્ચમાં પ્રકાશિત એક સરવેમાં માનસિક સમસ્યા સામે ઝઝુમતા લોકોએ દરરોજ 30 મિનિટ કસરત કરી જેને કારણે આ લોકોમાં ડિપ્રેશન ઘટ્યું હતું અને આત્મહત્યા જેવા નકારાત્મક વિચારો પણ આવ્યા ન હતા.
સંશોધક ફેબિયન ડી લેગ્રાંડ અને તેમની ટીમે 18 થી 65 વર્ષની ઉંમરની મહિલાઓ પર સ્ટડી કર્યું હતું. જેમણે તાજેતરમાં જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે દરેકને સવાલો પૂછીને તેમની અંદર રહેલી આશા-નિરાશા અંગે જાણકારી પ્રાપ્ત કરાઇ હતી. દરરોજ ચાલતી થેરેપીની સાથે જ તેમને બે દિવસ કસરત અથવા કેટલાક ચુનંદા કાર્ય કરવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ બે દિવસ માટે કેટલીક મહિલાઓએ 30 મિનિટ સુધી તેમની મનપસંદ કસરત કરી અને કેટલીક મહિલાઓએ પોતાના રૂમમાં માત્ર પુસ્તકનું વાંચન અને ગેમ રમી હતી.
ત્યારબાદ દરેક મહિલાઓને ફોર્મ ભરાવીને તેમના અનુભવ વિશે પૂછવામાં આવ્યું. તેમાં જાણવા મળ્યું કે બે દિવસ સુધી કસરત કરનારી મહિલાઓમાં નિરાશા ઘટી હતી જ્યારે રૂમમાં એકલા રહેનારામાં કોઇ બદલાવ જોવા મળ્યો ન હતો. સાથે જ સહભાગીઓને પણ આ પ્રોગ્રામ સંતોષકારક લાગ્યો હતો અને તેના કોઇ ખરાબ પરિણામ સામે આવ્યા ન હતા.
આઉટડોર કસરતથી મહિલાઓને ફાયદો
રિસર્ચ અનુસાર કસરતથી મહિલાઓમાં આત્મનિર્ભરતાની ભાવના વધી. મહિલાઓને ઇનડોર જિમ અને આઉટડોર એક્સરાઇઝનું ટાસ્ક અપાયું હતું. આઉટડોર એક્સરરાઇઝથી લોકોને વધુ સારો અહેસાસ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.