• Gujarati News
  • International
  • The Former PM Of Britain Said There Was An Inadvertent Mistake; There Will Be An Inquiry In The Partygate Case

બોરિસ જોનસન સામે સંસદને ગેરમાર્ગે દોરવાના આરોપ:બ્રિટનના પૂર્વ PMએ કહ્યું- અજાણતા ભૂલ થઈ ગઈ હતી; પાર્ટીગેટ કેસમાં પૂછપરછ થશે

લંડન2 મહિનો પહેલા
  • કૉપી લિંક
2022માં પાર્ટીગેટ કેસ અને અન્ય કૌભાંડો સામે આવ્યા પછી, બોરિસ જોનસને PM પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી હતી.

બ્રિટનમાં પાર્ટીગેટ કેસને લઈને આજે પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસનની પૂછપરછ કરવામાં આવશે. જોનસને કોરોના દરમિયાન ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટી કરી હતી. બાદમાં જ્યારે મામલો સામે આવ્યો ત્યારે સંસદને સાચી માહિતી આપવામાં આવી ન હતી. હવે જોનસને સ્વીકાર્યું છે કે તેણે સંસદને ગેરમાર્ગે દોરી હતી. જો કે, તેમણે એમ પણ કહ્યું હતું કે અજાણતા ભૂલ થઈ ગઈ હતી. જાણીજાઈને આવું કરવામાં આવ્યું નહોતું.

બોરિસે 52 પાનાની ફાઇલ તપાસ સમિતિને સોંપી હતી. તેમાં કહ્યું- મેં જાણીજોઈને અથવા બેદરકારીથી 1 ડિસેમ્બર 2021, 8 ડિસેમ્બર 2021 અથવા અન્ય કોઈ તારીખે સંસદને ગેરમાર્ગે દોરવામાં આવી ન હતી. મેં માત્ર એટલું જ કહ્યું જે મારા વકીલે મને લેખિતમાં આપ્યું હતું. આ સિવાય જે પણ આરોપો છે તે પાયાવિહોણા છે.

ગયા વર્ષે લોકોએ પાર્ટીગેટ કૌભાંડ મામલે જોનસનનું માસ્ક અને હાથમાં દારૂની બોટલ લઈને પ્રદર્શન કર્યું હતું.
ગયા વર્ષે લોકોએ પાર્ટીગેટ કૌભાંડ મામલે જોનસનનું માસ્ક અને હાથમાં દારૂની બોટલ લઈને પ્રદર્શન કર્યું હતું.

શું છે પાર્ટીગેટ કૌભાંડ?
ખરેખર, વર્ષ 2020માં સમગ્ર દુનિયામાં કોરોનાને કારણે પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. બ્રિટનમાં પણ લોકડાઉન સાથે તમામ પ્રકારના મેળાવડા પર પ્રતિબંધ હતો. તે સમયે જોનસને પોતાના 56માં જન્મદિવસે ડાઉનિંગ સ્ટ્રીટમાં વાઇન-પાર્ટી કરી હતી. આ પાર્ટીનું આયોજન તેમની પત્નીએ કર્યું હતું. આમાં PM ઋષિ સુનક સાથે કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

જ્યારે આ મામલો સંસદમાં ઉઠાવવામાં આવ્યો ત્યારે જોનસને તમામ આરોપોને ફગાવી દીધા હતા. આ પછી તેમના પર 4 વખત સંસદને ગેરમાર્ગે દોરવાના આરોપ લાગ્યા હતા. હવે બ્રિટિશ સંસદની વિશેષાધિકાર સમિતિ આ મામલાની તપાસ કરી રહી છે.

આ તસવીર 2020ની છે. જેમાં બોરિસ જોનસન ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટી કરતા જોવા મળે છે.
આ તસવીર 2020ની છે. જેમાં બોરિસ જોનસન ડાઉનિંગ સ્ટ્રીટમાં પાર્ટી કરતા જોવા મળે છે.

જોનસનને સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે
જો સમિતિની તપાસમાં એવું સાબિત થાય છે કે જોનસને જાણીજોઈને સંસદને ગેરમાર્ગે દોર્યા છે, માટે તેમને નીચલા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. અગાઉ, જોનસનને પાર્ટીગેટ કેસ સહિત અનેક કૌભાંડોને કારણે જુલાઈ 2022માં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. આ મામલામાં ઋષિ સુનકને પણ પોલીસે દંડ ફટકાર્યો હતો.