બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એક નાઝી સૈનિકે બેલ્જિયમના ખેતરમાંથી એક પોકેટ ઘડિયાળ ચોરી હતી. 80 વર્ષ બાદ પણ આ ઘડિયાળ ચાલુ સ્થિતિમાં છે. તાજેતરમાં એક ખેડૂત પરિવારે આ ઘડિયાળ તેના નિર્માતાના પૌત્ર-પૌત્રીઓને પરત કરી. ઘડિયાળ 1910માં ડચ શહેર રોટ્ટરડેમમાં આલ્ફ્રેડ ઓવરસ્ટ્રિજ્ડ નામના એક યહૂદીએ તેના ભાઇ લુઇ માટે બનાવી હતી.
ઘડિયાળ પરના લખાણના આધારે વેને તેના નિર્માતાને લખેલા પત્રમાં જણાવ્યું કે લુઇને તેના 18મા જન્મદિને આ ઘડિયાળ ભેટ અપાઇ હતી, જેની પાછળ તેની સરનેમ, સ્થળ અને સમય તથા ભાઇ માટે એક સલાહ લખેલી હતી. 1942માં નાઝીઓએ લુઇની ધરપકડ કરી. ડચ ઇતિહાસકાર રૉબ સ્નિજર્સના જણાવ્યાનુસાર બંને ભાઇને ધરપકડ બાદ એક નાઝી કેમ્પમાં મોકલાયા. પછી કેમ્પના 3 સૈનિકને બેલ્જિયમના ખેડૂત ગુસ્તાવ જાનસેન્સને ત્યાં મોકલી દેવાયા. તેમને જે બાથરૂમ અપાયું હતું તે મકાઇના ખેતરમાં ખુલતું હતું. ઘડિયાળ આ ખેતરમાં કોઇ એક સૈનિકના ખિસામાંથી પડી ગઇ હોવાની શક્યતા છે. ત્યાં કેદ કરાયેલા ભાઇઓને લાગ્યું કે તેમની ઘડિયાળ નાઝી સૈનિકે ચોરી લીધી છે. જોકે, તે ખેતરમાંથી એક ખેડૂતને મળી હતી.
આ વાતને દાયકાઓ વીતી ગયા બાદ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તે ખેડૂતના પૌત્ર રિચર્ડ વેન અમેજડેને ઘડિયાળના નિર્માતાનું સરનામું શોધી કાઢ્યું અને તેમને એક ઇમેલ કરીને જણાવ્યું કે તે જ્યારે પણ આ ઘડિયાળ જોવે છે ત્યારે તેને બીજું વિશ્વયુદ્ધ યાદ આવે છે.
ઘડિયાળ પરત કરવા ખેડૂતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી
ખેડૂતના પૌત્ર વેને ઘડિયાળ તેના મૂળ માલિક સુધી પહોંચાડવા સોશિયલ મીડિયાની મદદ લીધી. તેના 24 કલાકમાં જ ઘડિયાળના નિર્માતાના પરિવારનો જવાબ આવ્યો. જાણવા મળ્યું કે તેમની પુત્રી અને તેના 3 સંતાન છે, જેઓ યુદ્ધમાં બચી ગયા હતા. પછી વેન તે પરિવાર સુધી પહોંચ્યો અને ઘડિયાળ પરત કરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.