ધરપકડથી ભયભીત ઈમરાન:સમર્થકોને ઘરની બહાર હાજર રહેવાનો આદેશ; સ્પેશિયલ કમાન્ડો ફોર્સ ગમે ત્યારે ઈમરાનને ઉઠાવી શકે છે

લાહોર17 દિવસ પહેલા

ઈસ્લામાબાદ હાઈકોર્ટ તરફથી તોશાખાન કેસમાં જાહેર કરાયેલ ધરપકડ વોરંટ છતા પોલીસ ઈમરાનખાનની ધરપકડ કરી શકી નથી. ઘણા કલાકો સુધી ડ્રામા ચાલ્યો હતો. આ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે ઈમરાન ખાન ઘરે હાજર નથી. કોર્ટની નોટિસને પણ તેમના સ્ટાફે રિસીવ કરી હતી.

ઘણા કલાકો બાદ જ્યારે પોલીસ પરત ફરી તો ઈમરાન બહાર આવ્યા હતા. ખાને સરકાર, પોલીસ, સેના અને ISI પર આકરા પ્રહાર કર્યા હતા. જો કે, પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ જણાવી રહ્યો છે કે ઈમરાન ધરપકડથી બચી શકશે નહીં. તેમની ધરપકડ કરવા માટે સ્પેશિયલ કમાન્ડર ફોર્સ તહેનાત છે.
ઈમરાન શું કરી રહ્યા છે
ધરપકડથી બચવા માટે ઈમરાન ખાને લાહોરમાં પોતાના ઘર જમાન પાર્કની બહાર પોતાના સમર્થકોને ભેગા કર્યા છે. જમાન તરફ ચાર રસ્તા આવે છે, આ ચાર રસ્તા પર તેમના સમર્થકો લાકડીઓ લઈને હાજર છે. આમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ લોકોને ત્યાં જ ભોજન અને પાણી આપવામાં આવી રહ્યું છે.

ઈમરાને ગયા દિવસોમાં જેલભરો આંદોલન શરુ કર્યું હતું. તેમની પાર્ટીના અનેક નેતાઓ જેલમાં છે. ખાસ વાત એ છે કે ઈમરાન પોતે જેલમાં જવાથી ભાગી રહ્યા છે. તેમણે આ માટેની તમામ પ્રકારની તૈયારીઓ શરુ કરી છે.

ગયા દિવસોમાં ઈસ્લામાબાદ કોર્ટમાં તેમના જામીન નામંજૂર થયા બાદ ઈમરાન ખાન.
ગયા દિવસોમાં ઈસ્લામાબાદ કોર્ટમાં તેમના જામીન નામંજૂર થયા બાદ ઈમરાન ખાન.

સરકાર અને પોલીસની તૈયારી બીજી

  • ‘જિયો ન્યૂઝ’ના એક રિપોર્ટ મુજબ, રવિવારે બપોરે ઈસ્લામાબાદ પોલીસના માત્ર 10 લોકોજ ખાનના ઘરે પહોંચ્યા હતા.તેમનો ઈરાદો ઈમરાનની ધરપકડ કરવાનો હતો જ નહીં. તે લોકો માત્ર એટલું જ જોવા ગયા હતા કે ત્યાં ઈમરાનના કેટલા સમર્થકો છે, અને તેમની પાસે કોઈ પ્રકારની હથિયારો છે.
  • રિપોર્ટ અનુસાર- રેન્જર્સ અને પોલીસની સ્પેશિયલ કમાન્ડો ટીમ ગમે ત્યારે ઓપરેશન હાથ ધરશે અને તેમાં ખાનની ધરપકડ કરવામાં આવશે. આ ટીમમાં મહિલા પોલીસકર્મીઓ પણ છે. પોલીસને શંકા છે કે ઈમરાન પકડાઈ જવાથી બચવા માટે મહિલાઓ અને બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી શકે છે.
  • જમાન પાર્ક જતા રસ્તાઓ પર કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. જો ઈમરાન ત્યાંથી ભાગી જવાના પ્રયાસ કરે છે તો તેમની રસ્તામાં પણ ધરપકડ કરવામાં આવશે. જો તેમની ધરપકડ કરાશે તો સૌથા પહેલા મોટી સરકારી હોસ્પિટલમાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવશે. ત્યારબાદ એજન્સી તેમની પૂછપરછ કરશે. બાદમાં તેમને ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
આ તસવીર 2019ની છે. ફોટોમાં ગવર્નર તબુક પ્રિન્સ ફહદ બિન સુલ્તાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદે ઈમરાન ખાનને 'ગોલ્ડ કલાશ્નિકોવ' અને ગોળીઓ ભેટમાં આપી હતી.
આ તસવીર 2019ની છે. ફોટોમાં ગવર્નર તબુક પ્રિન્સ ફહદ બિન સુલ્તાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદે ઈમરાન ખાનને 'ગોલ્ડ કલાશ્નિકોવ' અને ગોળીઓ ભેટમાં આપી હતી.

રવિવારે શું થયું હતું

  • પાકિસ્તાન પોલીસ રવિવારે તોશાખાના મામલે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી. ઇસ્લામાબાદ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે જ્યારે એસપી તેમના રૂમમાં પહોંચ્યાં ત્યારે ઇમરાન ત્યાં હાજર હતા નહોતા. તે પછી પોલીસ નોટિસ આપીને પાછી ફરી હતી.
  • તેના થોડા કલાકો બાદ ઈમરાન ખાને લાહોરમાં પોતાના સમર્થકોને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું- પાકિસ્તાનનું ક્યારેય આટલું અપમાન થયું નથી, અમારા ક્રાઈમ મિનિસ્ટર (વડાપ્રધાન શહબાઝ શરીફ) ભીખ માગતા ફરી રહ્યા છે. ઈમરાને તેમના સમર્થકોને કહ્યું- તમે મારા ટાઈગર્સ છો. હું ક્યારેય કોઈની સામે ઝુક્યો નથી, આપણે માત્ર અલ્લાહ સામે નમનારા લોકો છીએ. ઈમરાન ખાને વડાપ્રધાન શાહબાઝ શરીફ વિશે કહ્યું કે તેઓ 16 અબજના કૌભાંડ માટે સજા ભોગવવાના હતા. જનરલ બાજવાએ તેમને વડાપ્રધાન બનાવ્યા. ગૃહમંત્રીએ 8 હત્યાઓ કરી છે. ઈમરાન ખાને પાકિસ્તાનના ગૃહમંત્રીને ચોર કહ્યા હતા.
  • તેમણે કહ્યું- નવાઝ શરીફ લંડનથી નિર્ણય લઈ રહ્યા છે. આ લોકો આપણું ભાગ્ય નક્કી કરે છે. ભારતની ચેનલો આપણી મજાક ઉડાવી રહી છે. પોતાના ભાષણ દરમિયાન ઈમરાને લોકોને જેહાદ પર નીકળવાની સલાહ પણ આપી હતી. તેમણે કહ્યું કે ISIના કેટલાક અધિકારીઓ શેતાન બની ગયા છે. આ લોકો કહે છે કે તેઓ મારી રક્ષા કરશે, હું કહું છું કે તેઓ મારી હત્યા કરવા માગે છે.
તસવીર એ ભેટોની છે જે ઈમરાન ખાને જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે વેચી દીધી હતી.
તસવીર એ ભેટોની છે જે ઈમરાન ખાને જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે વેચી દીધી હતી.

ઈમરાનને 7 માર્ચે ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર કરવામાં આવશે
આ પહેલા ઈમરાનની ધરપકડ કરવા ગયેલી પોલીસે કહ્યું હતું કે તેમના ઘરે જવા પાછળ તેમની ધરપકડ કરવાનો હેતુ નહોતો. જો એવું જ કરવું હોત તો કોઆ અમને રોકી શકતું નહોતું. ઈમરાન અમને મળ્યા પણ નથી. અમે ઈમરાન વતી પૂર્વ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીને 7 માર્ચે કોર્ટમાં હાજર રહેવા નોટિસ આપી છે. ઈસ્લામાબાદ પોલીસે પણ ટ્વીટ કર્યું હતું કે ઈમરાન ધરપકડથી બચવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે.

ખાને 7 માર્ચે ઇસ્લામાબાદ કોર્ટમાં હાજર થવાનું છે. બીજી બાજુ,પાકિસ્તાન-તહરીક-એ-ઇન્સાફ (PTI)ના વાઇસ ચેરમેન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું કે પોલીસની નોટિસમાં ઇમરાનની ધરપકડનો ઉલ્લેખ નથી. ઇમરાન પોતાની લીગલ ટીમ સાથે બેઠક કરશે. ત્યાર બાદ આગળની રણનીતિ અંગે જણાવશે.

ઇમરાન ખાનને સત્તામાં લાવનારાઓમાં જનરલ બાજવા (જમણે) અને ભૂતપૂર્વ ISI વડા ફૈઝ હમીદ (ડાબે - કાળા કોટમાં) હતા. હવે બાજવા ખાનના સૌથી મોટા દુશ્મન બની ગયા છે.
ઇમરાન ખાનને સત્તામાં લાવનારાઓમાં જનરલ બાજવા (જમણે) અને ભૂતપૂર્વ ISI વડા ફૈઝ હમીદ (ડાબે - કાળા કોટમાં) હતા. હવે બાજવા ખાનના સૌથી મોટા દુશ્મન બની ગયા છે.

મોટો સવાલઃ ઈમરાન ખાનની ધરપકડ થશે?
ઈમરાન ખાન ભલે રવિવારે ધરપકડથી બચી ગયા હોય, પરંતુ તેમણે પોતે જ પોતાની મુશ્કેલીઓ વધારી દીધી. ખરેખરમાં, જ્યારે ઇસ્લામાબાદ પોલીસ તેમની ધરપકડ કરવા પહોંચી હતી. ત્યારે તેમણે ઘરના ત્રણેય રસ્તા પર હજારો સમર્થકોને એકઠા કર્યા હતા. આ પછી, જ્યારે એસપી તારિક બશીર નોટિસ સાથે ખાનના ઘરમાં પ્રવેશ્યા તો તેમને કહેવામાં આવ્યું તે ખાન ઘરમાં હાજર નથી.

પોલીસ જ્યારે પરત ફરી તો ઈમરાન ખાનના ઘરની બહાર આવ્યા અને સમર્થકોને સંબોધન કર્યું. ઈમરાને વડાપ્રધાનને ક્રાઈમ મિનિસ્ટર કહ્યા. બીજા બધા નેતાઓને ચોર, ડાકુ, લૂંટારા અને ગુંડા હોવાનું જણાવ્યું. સેના અને ISIને સીધો પડકાર કર્યો. હવે કોર્ટ તેમના પર વધુ સકંજો કસશે.

પ્રથમ- સમર્થકોને ઉશ્કેરીને પોલીસના કામમાં દખલગીરી કરવી.
બીજું- તે જૂઠું બોલવું કે હું ઘરે નહોતો.

ખાન કહી રહ્યા છે કે તે 7 માર્ચે પોતે કોર્ટમાં રજૂ થશે, પરંતુ કોર્ટ ઈચ્છે છે કે તેમની ધરપકડ કરવામાં આવે. તેથી, તે તદ્દન શક્ય છે કે તેમને કોઈપણ દિવસે ગમે તે સમયે ઘરેથી ઝડપી લેવામાં આવશે. એવો દાવો પાકિસ્તાની મીડિયા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...