આજે સવારે હું કિસ્સા ખ્વાની બજારથી થઈને પેશાવરના ખુદાદાદ પહોંચ્યો. દરેક તરફ માતમ છે. લોકો શહેરના મહાન દીકરા દિલીપકુમારના નિધનની વાત કરી રહ્યા છે. ભારતીય સિનેમાના આ સપૂતનો જન્મ 11 ડિસેમ્બર 1922ના રોજ પાકિસ્તાનના પેશાવરના આ ખુદાદાદ મોહલ્લામાં જ થયો હતો. તેમના પૈતૃક મકાનથી થોડેક દૂર એક નાની દુકાન છે.
અહીં બેઠેલા જાવેદ મોહમ્મદ કહે છે કે દિલીપસાહબ એક મહાન કલાકાર હોવાની સાથે સાથે અમારા નાયક પણ છે. તે ભાવુક થઇને કહે છે કે 12 વર્ષથી દિલીપસાહબના ઘરને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવાની વાત થઈ રહી છે પણ કામ શરૂ થયું નથી. હવે સરકાર તેમની અંતિમ ઈચ્છા પૂરી કરે. આ જ દિલીપસાહેબને અમારી સાચી શ્રદ્ધાંજલિ હશે. સાંસ્કૃતિક વારસા પરિષદ અનેક વર્ષથી પેશાવરમાં 11 ડિસેમ્બરે દિલીપકુમારનો જન્મદિવસ ઉજવે છે. સંગઠનના સચિવ શકીદ વહીદુલ્લાહ ખાન કહે છે કે દિલીપસાહબે પેશાવરના લોકો માટે મુંબઈમાં એક બંગલો ખરીદયો અને તેનું નામ પેશાવર હાઉસ રાખ્યું. આજે તેમના નિધનથી પેશાવર અનાથ થઈ ગયું છે.
પીએમ મોદીની સાથે ઈમરાનની પણ શ્રદ્ધાંજલિ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.