બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે બનાવવામાં આવેલા રેફ્યુજી કેમ્પના વિસ્તારમાં આગ લાગી ગઈ છે. દુર્ઘટનામાં 2 હજારથી વધારે શેલ્ટર હોમ નષ્ટ થઈ ગયાં હતાં. આ દરમિયાન કોઈ મૃત્યુ પામ્યું નથી કે કોઈ ઘાયલ થયું નથી. જોકે અનેક લોકો ગાયબ થયા હોવાનું જાણવા મળ્યું છે. લોકોના જણાવ્યા પ્રમાણે, આગે તેમનું બધું જ છીનવી લીધું છે. આગ લાગવાનું કારણ સામે આવી શક્યું નથી.
બાંગ્લાદેશના રેફ્યુજી કમિશનર મિઝાનુર રહેમાને કહ્યું- આગ કુતુપાલોંગ વિસ્તારમાં 5 માર્ચે બપોરે 2.45 વાગ્યે લાગી હતી. અહીં સૌથી વધારે શરણાર્થીઓ રહે છે. 12 હજારથી વધારે લોકો બેઘર થઈ ગયા છે. હાલ આ ઘટનાની તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. એમાં આગ લાગ્યા પછી ભાગદોડ, ધુમાડો અને તબાહી જોવા મળી રહી છે.
દુર્ઘટનાની તસવીર જુઓ...
આગ ઓલવવામાં લગભગ 3 કલાક લાગ્યા, રેસ્ક્યૂમાં પણ મુશ્કેલી આવી
રેફ્યુજી કેમ્પમાં રહેનાર મામુન જૌહરે કહ્યું- મારું ઘર-દુનિયા બધું જ જતું રહ્યું. આગે અમારી પાસેથી બધું જ છીનવી લીધું. હવે મારી પાસે કશું જ રહ્યું નથી. ત્યાં જ ઘટનાસ્થળે હાજર ફાયરબ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગ ઓલવવામાં સાડાત્રણ કલાકનો સમય લાગી ગયો. ત્યાં જ આગ લાગવાના કારણની જાણકારી મળી નથી,.
અધિકારીએ કહ્યું- રેફ્યુજી કેમ્પ પહાડી વિસ્તારમાં છે. અહીં લાગેલી આગ ખૂબ જ ભયાનક હતી. એ તેજીથી ફેલાઇ રહી હતી. ફાયરબ્રિગેડના કર્મીઓને ત્યાં પહોંચવામાં મુશ્કેલી આવી રહી હતી. લોકોને રેસ્ક્યૂ કરવામાં પણ મુશ્કેલી આવી. તેમને આગ પર કાબૂ મેળવવામાં સાડાત્રણ કલાકનો સમય લાગી ગયો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.