પૃથ્વીનું તાપમાન ઝડપથી વધી રહ્યું છે અને વર્ષ 2100 સુધીમાં 1.5 ડીગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની આગેવાની હેઠળ 195 દેશો જુદી જુદી રીતે પ્રયાસોમાં કાર્યરત છે, પરંતુ જો યુએન સાથે જોડાયેલી સંસ્થા આઈપીસીસીની વાત માનીએ તો સમગ્ર માનવજાતિ પૃથ્વીને એક મોટા અને કાયમી પરિવર્તન તરફ ધકેલી રહી છે. ખરેખર ગ્લોબલ વોર્મિંગની જ અસર છે, જે આપણે સતત જંગલમાં લાગતી આગ, પૂર, ભૂસ્ખલન વગેરેના રૂપમાં સતત જોઈ રહ્યા છીએ.
IPCCએ એક રિપોર્ટ જાહેર કર્યો
પૃથ્વી પર કેવા પ્રકારના ફેરફારો થઈ રહ્યા છે એ અંગે ઇન્ટર ગવર્નમેન્ટલ પેનલ ધ ક્લાઇમેટ ચેન્જ (IPCC)એ સોમવારે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટ અનુસાર, 1980 બાદથી સમુદ્રમાંથી આવતી હીટવેવ, એટલે કે ગરમ પવનની પ્રક્રિયામાં વધારો થયો છે. એની પાછળનું સૌથી મોટું કારણ માનવજાતની પ્રવૃત્તિઓ છે. 2006 બાદ ખાસ કરીને ગંભીર ફેરફારો જોવા મળ્યાં છે.
ઘણાં જ વિનાશકારી પરિણામો ભવિષ્યમાં જોવા મળશે
આ IPCCનું છઠ્ઠું આકારણી ચક્ર છે, જે અંતર્ગત વૈજ્ઞાનિકોનાં વિવિધ જૂથો વિશ્વના દરેક ખૂણામાં થઈ રહેલા આબોહવા પરિવર્તનનો અભ્યાસ કરી રહ્યા છે. IPCC પ્રથમ જૂથ, એટલે કે વર્કિંગ ગ્રુપ -1નો અભ્યાસ 6 ઓગસ્ટના રોજ પૂર્ણ થયો હતો અને આજે પેનલ દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, હાલમાં વાતાવરણમાં જે પણ ફેરફાર થઈ રહ્યા છે એ બદલી ન શકાય એવા છે. વૈજ્ઞાનિકોએ 195 દેશોની સરકારોને પેરિસ કરારના ઠરાવને પરિપૂર્ણ કરવા માટે સાથે મળીને કામ કરવાની સલાહ આપી છે. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે જો કોઈ લગામ વિના તાપમાન અને કાર્બન ઉત્સર્જન વધતું રહ્યું, તો ભવિષ્યમાં આપણને તેની ઘણી આડઅસરો જોવા મળશે.
વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે 2030 સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં 50 ટકાનો ઘટાડો કરવો ખૂબ જ જરૂરી છે. માત્ર આ જ દિશામાં પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિને 1.5℃ સુધી મર્યાદિત કરવાનું શક્ય બનશે. જો આ પ્રમાણે કરવું હશે તો તમામ સરકારોએ તત્કાલિક યોજનાઓ બનાવવી પડશે. તમને જણાવી દઈએ કે ગ્લાસગોમાં આયોજિત થઈ રહેલા કોપ26 પહેલાં આઇપીસીસી વધુ એક મહત્ત્વનો રિપોર્ટ જાહેર કરશે, જેથી કોપ26ની બેઠકમાં જુદા જુદા દેશો આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરી શકે.
જળવાયુ પરિવર્તનને કારણે પૃથ્વી પર થયા કેવા ફેરફાર
આઈપીસીસી વર્કિંગ ગ્રુપ-1ના રિપોર્ટના મુખ્ય મુદ્દા
રિપોર્ટમાં જણાવાયું છે કે માનવજાતિએ કેવી રીતે જળવાયુને પહોંચાડી અસર
વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે માનવજાતિએ જે રીતે જળવાયુના તાપમાનમાં વધારો કર્યો છે એને કારણે પૃથ્વી પર ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે. છેલ્લાં 2000 વર્ષોમાં જે ફેરફાર થયા છે એ અસાધારણ છે. 1750 બાદ ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં ઝડપથી વધારો થયો છે. વર્ષ 2019માં વાતાવરણમાં કાર્બનડાયોકસાઈડ (CO2)નું પ્રમાણ અત્યારસુધીનો સૌથી વધુ નોંધાયું છે. આટલું વધુ પ્રમાણ છેલ્લાં 20 લાખ વર્ષમાં પણ થયું નહીં હોય.
જ્યારે અન્ય ગ્રીન હાઉસ ગેસ- મિથેન (CH4) અને નાઈટ્રસઓક્સાઈડ (N2O)નું પ્રમાણ 2019માં એટલું વધ્યું છે કે એ છેલ્લાં 8 લાખ વર્ષોમાં પણ નહીં રહ્યું હોય. 1970 બાદથી પૃથ્વીના ગરમ થવાના દરમાં વધુ વધારો થયો છે. જેટલું તાપમાન છેલ્લાં 2000 વર્ષમાં વધ્યું નથી, એટલું છેલ્લાં 50 વર્ષમાં વધ્યું છે.
વર્કિંગ ગ્રુપ-1ના રિપોર્ટ સાથે જોડાયેલી ખાસ વાત
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.