તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈજિપ્તની સુએઝ કેનાલમાં છેલ્લા 6 દિવસથી અટવાયેલું માલવાહક જહાજ આખરે આજે બહાર કઢાયું હતું. આ જહાજ એશિયા અને યુરોપ વચ્ચે માલ વહનનું કામ કરી રહ્યું હતું. નહેરમાં જહાજ ફસાઈ જવાને કારણે 150થી વધુ માલવાહક જહાજો પણ ત્યાં અટવાયા હતા. મીડિયાના અહેવાલ અનુસાર, સમયસર માલનો સપ્લાય અને પરિવહન અટકી જતા આશરે 50 હજાર મિલિયન ડોલરનું નુકસાન થયું છે. પ્રતિ કલાક અહીંયા 400 મિલિયન ડોલરના નુકસાનનું અનુમાન થયું હોવાનો અંદાજો લગાયો હતો. ઇંચ કેપ શિપિંગ સેવાઓએ અહેવાલ આપ્યો છે કે વિશાળ કન્ટેનર શિપને આંશિક રીતે ખાલી કરાવવામાં આવ્યું છે. તેનાથી હવે ટ્રાફિક ફરી ખુલી ગયો છે.
ટ્રાફિક વિક્ષેપના કારણે નુકસાન વેઠવું પડ્યું
દુનિયાનું સૌથી વિશાળ જહાજ છે
આ માલવાહક જહાજનું નામ 'ધ એવર ગીવન' છે. પનામાનું આ જહાજ એશિયાથી યુરોપ વચ્ચે માલ પરિવહનનું કાર્ય કરે છે. જે 1300 ફૂટની લંબાઈ ધરાવે છે. ગત મંગળવારે 23 માર્ચના રોજ સુએઝ નહેરમાં જહાજ ફસાયું હતું, જેના કારણે બંન્ને બાજુનું પરિવહન ખોરવાયું હતું. આ જહાજ પર ઑઈલ લૉડ કરવામાં આવ્યું હતું અને તેના ક્રૂમાં 25 જેટલા ભારતીયો પણ સામેલ છે. આ ટ્રાફિક જામમાં આશરે 150 જહાજો ફસાયેલા હતા, જેમાં ક્રૂડ ઓઇલના 13 મિલિયન બેરલથી ભરેલા 10 ક્રૂડ ટેન્કરનો સમાવેશ થાય છે. આને કારણે, ઘણા દેશોમાં પેટ્રોલિયમ પેદાશોની ડિલિવરીમાં વિલંબ થયો હતો અને કાર્ગો અટવાયા બાદ ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.