તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સતત બે દિવસથી થઈ રહેલા અકસ્માતે ઈન્ડોનેશિયાને હચમચાવી નાંખ્યુ છે. શનિવારે અહીં 62 લોકોને લઈ જઈ રહેલું એક વિમાન સમુદ્રમાં ક્રેશ થઈ ગયુ હતું. શનિવારે જ જાવાના સુમેડાંગ જિલ્લામાં ભૂસખ્લન પણ થયું. રેસક્યુ ટીમ અહીં ફસાયેલા લોકોને બહાર કાઢી રહી હતી. રવિવારે ફરી જમીન ધસી પડી હતી. તેના કારણે રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ પણ દબાઈ ગયા હતા. આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 18 લોકો ઘાયલ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે આ અકસ્માત થયો છે. ઘાયલોને લેવા માટે આવેલી એમ્બ્યુલન્સ પણ માટીના ઢગલામાં દબાઈ ગઈ હતી. પછીથી ક્રેનની મદદથી તેને કાઢવામાં આવી હતી.
નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના સ્પોક્સમેન રાદિત્ય જાતિએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. જ્યારે 18 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે શનિવારે રાતે વરસાદ રોકાઈ ગયો હતો. લેન્ડ સ્લાઈડથી એક પુલ અને રસ્તો બંધ થઈ ગયો હતો. રેસ્ક્યૂ ટીમને કાદવ હટાવવા માટે મશીન લાવવામાં મુશ્કેલી થઈ હતી.
વરસાદે વધારી મુશ્કેલી
હાઈટાઈડના કારણે ઈન્ડોનેશિયાના ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને પુરની ઘટનાઓ થઈ રહી છે. અહીં 17000 ટાપુઓમાં લાખો લોકો પહાડી વિસ્તારો કે નદીઓની નજીક ઉપજાઉ મેદાનોની પાસે રહે છે.
એક દિવસ પહેલા વિમાન સમુદ્રમાં પડ્યું હતું
શ્રીવિજય એરનું એક વિમાન શનિવારે સમુદ્રમાં પડ્યું હતું. બોઈંગ 737-500 ક્લાસના આ પ્લેને જાકાર્તાના સુકર્ણો-હટ્ટા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ઉડાન ભરવાની ચાર મિનિટ પછી તેનો એર ટ્રાફિક કન્ટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો. તે સમયે વિમાન 10 હજાર ફુટની ઉંચાઈ પર હતું.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.