વર્ષ 1988માં લંડનથી ન્યૂયોર્ક જનારી ફ્લાઇટ પૈન એમ 103માં ધમાકો કરવાના આરોપીને અમેરિકાએ રવિવારે પોતાની કસ્ટડીમાં લઇ લીધો છે. 34 વર્ષ પહેલાં સ્કોટલેન્ડના લોકરબીમાં થયેલી આ આતંકી ઘટનામાં ફ્લાઇટમાં હાજર 259 લોકોના જીવ ગયા હતા. તેની સાથે 11 લોકો તેનો કાટમાળ પડવાને કારણે મૃત્યુ પામ્યા હતા. ઘટનામાં 270 લોકોનાં મોત થયાં હતાં. આ ઇંગ્લેન્ડની ધરતી પર થયેલા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે.
સ્કોટલેન્ડ અને અમેરિકાના અધિકારીઓએ બતાવ્યું કે આરોપીનું નામ અબુ અગેલા મસૂદ ખૈર અલ-મરીમી છે જે લિબિયાનો રહેવાસી છે. સ્કોટલેન્ડના ક્રાઉન ઓફિસ અનુસાર આરોપીના પકડાઇ જવાની જાનકારી એ બધા પરિવારને આપવામાં આવી જેમાં લોકો આ હુમલામાં માર્યા ગયા હતા. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જાણકારી આપી કે તેને વોશિંગ્ટન ડીસી કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
2020માં અમેરિકાએ સાબિત કર્યો હતો આરોપ
2020માં જ્યારે આતંકી હુમલાના 32 વર્ષ પૂરાં થયાં તો અમેરિકાએ મસૂદ વિરુદ્ધ હુમલાને લઇને કેટલાક નવા આરોપો સાબિત કર્યા હતા. અમેરિકાના એટોર્ની જનરલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે છેવટે હવે કેટલાક અમેરિકન અને બીજા લોકોના જીવ લેનારા આ આરોપી ગુનેગારને સજા મળશે.
આ રીતે હુમલાના ષડ્યંત્રમાં મસૂદની સામેલગીરીનો થયો ખુલાસો
1988ના આતંકી હુમલાની તપાસમાં વર્ષ 2017માં ત્યારે મોટો ટર્ન આવ્યો જ્યારે અમેરિકન અધિકારીઓને હાથ મસૂદના લિબિયાની ઇન્ટેલિજન્સ એજન્સીને આપેલો ઇન્ટરવ્યૂ હાથ લાગ્યો. આ ઇન્ટરવ્યૂ વર્ષ 2012માં ગદ્દાફીની સરકારને હટાવ્યા પછી આપેલો હતો. અત્યારે ઇન્ટેલિજન્સ એજન્સીએ તેને કસ્ટડીમાં રાખ્યો છે.
આ ઇન્ટરવ્યૂમાં તેણે કબૂલ કર્યું કે પૈન એમ ફ્લાઇટ 103માં હુમલા માટે તેણે બોમ્બ બનાવ્યો હતો. તેણે કહ્યું કે આ કામમાં તેની સાથે બીજા બે લોકો પણ હતા. FBIના પંચનામામાં બતાવ્યું કે આ હુમલાના ષડ્યંત્રમાં લિબિયાની ઇન્ટેલિજન્સ એજન્સી પણ સામેલ હતી. ગદ્દાફીએ હુમલા માટે તેને અને તેના બે સાથીઓને ધન્યવાદ કહ્યા હતા.
આતંકી હુમલાના એક આરોપીને આપવામાં આવી છે સજા
1991માં પૈન એમ ફ્લાઇટ 103માં થયેલા આતંકી હુમલાના લિબિયાની ઇન્ટેલિજન્સના બે લોકોને આરોપી ઠરાવ્યા હતા. એમાંથી એક અબ્દુલ બાસિત અલ-મગરાહી અને બીજો લામેન ખલીફા ફહિમ હતો. આ હુમલામાં ફહિમ પર લાગેલા આરોપ સાબિત નથી થઇ શક્યા.
વર્ષ 2001માં લિબિયાના ગુપ્ત વિભાગના અધિકારી અબ્દુલ બાસિત અલ-મગરાહીને વિમાનમાં બોમ્બ વિસ્ફોટનો દોષી કરાર આપવામાં આવ્યો છે. હુમલાના સંબંધમાં દોષી ઠરાવેલ તે એક માત્ર વ્યકિત હતો. કેન્સર પીડિત હોવાથી 2009માં દયાને આધારે મગરાહીને છૂટો કરવામાં આવ્યો હતો. વર્ષ 2012માં લિબિયામાં મગરાહીનું મૃત્યુ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.