આફ્રિકામાં ફ્રેડી તોફાનથી 400 લોકોનાં મોત:3 દેશોમાં વરસાદ અને ભૂસ્ખલનથી 88 હજારથી વધુ લોકો બેઘર, PHOTOSમાં જુઓ તબાહીના દૃશ્યો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

3 આફ્રિકન દેશો મલાવી, મોઝામ્બિક અને મેડાગાસ્કરમાં આવેલાં ફ્રેડી તોફાનના કારણે 400થી વધુ લોકોનાં મોત નીપજ્યા છે. લગભગ 700 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વરસાદ, પૂર અને મડસ્લાઈડના કારણે લગભગ 88 હજાર લોકો બેઘર થઈ ગયા છે. મલાવીના રાષ્ટ્રપતિ લાજરસ ચકવેરાએ ગુરુવારે પૂર પીડિતોને મળવા માટે ક્વીન એલિઝાબેથ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે દેશમાં 14 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.

તોફાન પ્રભાવિત વિસ્તારોમાં લોકોને જરૂરી ચીજવસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મિનિસ્ટ્રી ઓફ ક્લાઈમેટ ચેન્જ અનુસાર મલાવીમાં ફ્રેડી તોફાન સૌથી પહેલાં ફેબ્રુઆરીમાં આવ્યો હતો. તે હવે શાંત થઈ ગયો છે, પરંતુ હજુ થોડા દિવસો સુધી ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ મોઝામ્બિકમાં ભૂસ્ખલનને કારણે ઘણા ગામડાઓ સંપૂર્ણપણે સંપર્કવિહોણા બની ગયા છે.

તસવીરોમાં જુઓ મલાવી સહિત 3 દેશોમાં તોફાનની અસર...

બાઢ અને કાદવની વચ્ચે લોકો સલામત જગ્યાએ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
બાઢ અને કાદવની વચ્ચે લોકો સલામત જગ્યાએ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
પૂર અને ભૂસ્ખલનને કારણે ઘણા શહેરોમાં રસ્તાઓ પણ તૂટી ગયા.
પૂર અને ભૂસ્ખલનને કારણે ઘણા શહેરોમાં રસ્તાઓ પણ તૂટી ગયા.
મલાવીમાં તોફાનમાં જીવ ગુમાવનાર લોકોને અંતિમ વિદાય અપાઈ.
મલાવીમાં તોફાનમાં જીવ ગુમાવનાર લોકોને અંતિમ વિદાય અપાઈ.
મલાવાના રાષ્ટ્રપતિ લાજરસ ચકવેરાએ પીડિતોની મુલાકાત લીધી.
મલાવાના રાષ્ટ્રપતિ લાજરસ ચકવેરાએ પીડિતોની મુલાકાત લીધી.
તસ્વીરમાં મકાન ધરાશાયી થયા બાદ કાદવમાં લોકો પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તસ્વીરમાં મકાન ધરાશાયી થયા બાદ કાદવમાં લોકો પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તોફાન પ્રભાવિત વિસ્તારોમાંથી જેસીબી મશીન વડે કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.
તોફાન પ્રભાવિત વિસ્તારોમાંથી જેસીબી મશીન વડે કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.
મલાવીમાં ડિફેન્સ ફોર્સ કાટમાળમાંથી લોકોને બચાવવા રેસ્ક્યૂ હાથ ધર્યું.
મલાવીમાં ડિફેન્સ ફોર્સ કાટમાળમાંથી લોકોને બચાવવા રેસ્ક્યૂ હાથ ધર્યું.
અનેક ગામો પૂરના પાણીમાં ડુબી ગયા છે.
અનેક ગામો પૂરના પાણીમાં ડુબી ગયા છે.
આ તસવીરમાં લોકો જરૂરી સામાન લઈને સુરક્ષિત જગ્યાએ જતાં જોવા મળે છે.
આ તસવીરમાં લોકો જરૂરી સામાન લઈને સુરક્ષિત જગ્યાએ જતાં જોવા મળે છે.
પૂરના કારણે બેઘર બનેલા કેટલાક લોકોએ સ્કૂલમાં આશ્રય લીધો .
પૂરના કારણે બેઘર બનેલા કેટલાક લોકોએ સ્કૂલમાં આશ્રય લીધો .
અન્ય સમાચારો પણ છે...