તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિંગાપોર: ઈરાનની મિસાઈલથી યુક્રેનનું વિમાન ભૂલથી તૂટી પડવાની ઘટનામાં પાંચ દેશના કુલ 176 મુસાફરના મૃત્યુ થયા હતા. ઈરાનને આ ભૂલ ભારે પડી શકે છે. આ તમામ દેશે ગુરુવારે લંડનમાં એક બેઠક યોજીને ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. યુક્રેનના વિદેશ મંત્રી વાડિમ પ્રિસ્તાયકોએ આ જાહેરાત કરી હતી.
વિમાન મિલિટરી બેઝ નજીકથી પસાર થતું હોવાથી તોડી પડાયું
પ્રિસ્તાયકોએ કહ્યું કે, અમે ઈરાન પાસે જંગી વળતરની માંગ કરીશું. ગયા બુધવારે ઈરાનની રાજધાની તહેરાન નજીક એક મિસાઈલ હુમલામાં યુક્રેનનું વિમાન તૂટી પડ્યું હતું. પ્રિસ્તાયકોએ કહ્યું કે, યુક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું વિમાન તેમના મિલિટરી બેઝ નજીકથી પસાર થતું હોવાથી તોડી પડાયું હતું, જે એક ભૂલ હતી. આ પ્રકારની ઈરાનની કબૂલાત મૂર્ખતાપૂર્ણ છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.