'બબીતા'ની ગુજરાત મુલાકાત:મુનમુન દત્તાએ મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું, અમદાવાદમાં ગુજરાતી થાળીનો આસ્વાદ માણ્યો

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુનમુન દત્તા દોઢ દિવસ ગુજરાતમાં રહી હતી.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતા એટલે કે મુનમુન દત્તા થોડાં દિવસ પહેલાં જ ગુજરાત આવી હતી. મુનમુન દત્તા ભાઈ, ભાભી તથા ભત્રીજી સાથે આવી હતી. ગુજરાતમાં મુનમુન દત્તા દોઢ દિવસ રહી હતી અને તેમાં અમદાવાદ તથા અંબાજીની મુલાકાત લીધી હતી.

ફેમિલી ફ્રેન્ડના ત્યાં રોકાઈ
મુનમુન દત્તા અમદાવાદમાં પોતાના ફેમિલી ફ્રેન્ડ ડૉ. પંકજ નાગરના ત્યાં રોકાઈ હતી. મુનમુન દત્તા અમદાવાદમાં સૌ પહેલાં રિવરફ્રન્ટ ગઈ હતી. ત્યારબાદ સાંજે ડિનર માટે જાણીતી ગુજરાતી હોટલમાં ગઈ હતી. આટલું જ નહીં મુનમુન દત્તાએ લો ગાર્ડનની હેપ્પી સ્ટ્રીટ પણ જોઈ હતી.

અંબાજીમાં માથું નમાવ્યું
મુનમુન દત્તા પરિવાર સાથે અંબાજી પણ ગઈ હતી. માતાના દર્શન કર્યા બાદ એક્ટ્રેસે ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. અંબાજીમાં મુનમુન દત્તા આવી હોવાની વાત ફેલાતા જ ચાહકોની ભીડ ઉમટી પડી હતી. મુનમુને ચાહકો સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.

આ કારણે અમદાવાદ આવી
ડૉ. પંકજ નાગર જાણીતા એસ્ટ્રોલોજર છે. મુનમુન દત્તા તેમની સાથે જ્યોતિષ અંગેની વાતચીત કરવા માટે ખાસ ગુજરાત આવી હતી. આ ઉપરાંત તેને છેલ્લાં ઘણાં સમયથી અંબાજી જવું હતું.

મુંબઈથી અમદાવાદ આવતા સમયે તકલીફ પડી
મુનમુન દત્તાએ કહ્યું હતું કે ઇન્ડિગો ફ્લાઇટમાં તેઓ મુંબઈથી અમદાવાદ આવતા સમયે ઘણાં જ થાકી ગયા હતા. એરલાઇન્સે છેલ્લી ઘડીએ ગેટ બદલી નાખ્યો હતો અને તેથી જ તેમણે એરપોર્ટના એક છેડેથી બીજે છેડે ફ્લાઇટ માટે ભાગતા ભાગતા જવું પડ્યું હતું.

મુનમુન દત્તાની ગુજરાત મુલાકાત તસવીરોમાં.....