સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઇડલ 12' છેલ્લાં ઘણાં સમયથી વિવાદમાં છે. જોકે, લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, આ તમામ ડ્રામા માત્રને માત્ર શોની TRP વધારવા માટે કરવામાં આવ્યો છે. શો સાથે જોડાયેલા સૂત્રોના મતે, તમામ વિવાદ સેલ્ફ જનરેટેડ છે. અચાનક કોઈ સ્પર્ધક ગીત સારું ના ગાય તો તેને ટ્રોલ કરવાનો અથવા તો શોના જજ ઈમાનદાર નથી, તે બધી જ વાતો પ્લાન્ડ કરેલી છે.
પબ્લિસિટી માટે બધું જ વ્યવસ્થિત રીતે ડિઝાઈન કરવામાં આવ્યું
વેબ પોર્ટલ સ્પોટબોયના અહેવાલમાં કહેવામાં આવ્યું છે, પ્લેટફોર્મ અનેક ઈન્ટરપ્રિટેશન્સ માટે ઓપન છે કે કેવી રીતે પબ્લિસિટી કરવામાં આવે. સૌ પહેલાં જજ અમિત કુમારે દાવો કર્યો કે તેમને માત્ર સ્પર્ધકોના વખાણ જ કરવાનું કહેવામાં આવ્યું હતું. પછી ગીતકાર (મનોજ મુંતશિર) શોની વિરુદ્ધમાં બોલનાર અમિત કુમારની ટીકા કરે છે. આ બધું પબ્લિસ્ટી માટે બહુ જ વ્યવસ્થિત રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, જ્યારે શોના હોસ્ટ આદિત્ય નારાયણને પૂછવામાં આવ્યું કે શું શોમાં આવનાર ગેસ્ટ જજને માત્ર સ્પર્ધકોની સારી વાત જ કરવાનું કહેવામાં આવે છે તો હોસ્ટે જવાબ આપ્યો હતો કે ના એવું તો બિલકુલ નથી.
'ધ વોઈસ ઈન્ડિયા'ની TRP માટે આમ કરવામાં આવ્યું હતું
રિપોર્ટમાં 2019માં ટેલિકાસ્ટ થયેલો શો 'ધ વોઈસ ઈન્ડિયા'નું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. આ શોના જજ અદનામ સામી તથા અનુ મલિક હતા. એક દિવસ એવા ન્યૂઝ વાઈરલ થયા કે બંને સિંગર્સ વચ્ચે ઝઘડો થયો છે. જોકે, વાસ્તવમાં એવું કંઈ જ થયું નહોતું. આ અંગે અદનાન સામીએ એક વાતચીતમાં કહ્યું હતું કે એક દિવસ સવારમાં શોની PR ટીમે TRP વધારવાના ઉદ્દેશથી બંને જજ વચ્ચે ઝઘડો થયો હોવાના ન્યૂઝ વાઈરલ કર્યા હતા. નવાઈની વાત એ હતી કે અદનાન તથા અનુને આ અંગે કંઈ કહેવામાં પણ આવ્યું નહોતું. જ્યારે આ વાત મીડિયામાં આવી ત્યારે બંને શૂટિંગમાં વ્યસ્ત હતા અને બંનેને આ ન્યૂઝથી નવાઈ લાગી હતી.
'ઇન્ડિયન આઇડલ 12' અંગેના લેટેસ્ટ વિવાદ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.