તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહારાષ્ટ્રમાં કોરોના કેસના રાફડો ફાટ્યો છે. આ જ કારણે રાજ્ય સરકારે વીકેન્ડ પર લૉકડાઉન જાહેર કર્યું છે. આટલું જ નહીં રાતના આઠથી સવારના સાત વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. 30 એપ્રિલ સુધી આ મિની લૉકડાઉન રહેશે. આ જ કારણથી 30 એપ્રિલના રોજ અક્ષય કુમારની 'સૂર્યવંશી' રિલીઝ થશે નહીં.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રોહિત શેટ્ટીના વખાણ કર્યા
રાજ્યમાં કોવિડ 19ની પરિસ્થિતિને કારણે મુખ્યમંત્રીએ રોહિત શેટ્ટી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં રોહિત શેટ્ટીએ ફિલ્મ રિલીઝ ના કરવાની વાત કરી હતી. રોહિત શેટ્ટીએ ફિલ્મની રિલીઝ ડેટ પોસ્ટપોન રાખતાં મુખ્યમંત્રીએ ડિરેક્ટરના વખાણ કર્યાં હતાં.
ફરી એકવાર રિલીઝ ડેટ ટાળવામાં આવી
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ ફિલ્મ 27 માર્ચે રિલીઝ થવાની હતી, પછી 24 માર્ચે રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, કોરોનાને કારણે લૉકડાઉન જાહેર કરતાં ફિલ્મ રિલીઝ થઈ શકી નહોતી.
આ વર્ષે સ્થિતિ થોડી સામાન્ય થતાં 30 એપ્રિલના રોજ ફિલ્મ રિલીઝ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી સાબિત થઈ છે. રોજે રોજ કોરોનાના નવા કેસો આવી રહ્યાં છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિ ઘણી જ ભયાવહ છે. આ જ કારણે ફિલ્મ રિલીઝ ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.