બોલિવૂડ એક્ટર રણબીર કપૂર તથા આલિયા ભટ્ટના પ્રી-વેડિંગ ફંક્શન આજથી (13 એપ્રિલ)થી શરૂ થઈ ગયાં છે. સૌ પહેલા ગણેશજીની પૂજા વિધિ કરવામાં આવી હતી. ત્યાર બાદ મહેંદી ફંક્શન યોજાશે. મહેંદી ફંક્શનની સાથે જ સંગીત સેરેમની યોજવામાં આવશે. માનવામાં આવે છે કે કપૂર તથા ભટ્ટ પરિવાર અલગથી સંગીત સેરેમની યોજશે નહીં.
28 મહેમાનની હાજરીમાં લગ્ન કરશે
આલિયા તથા રણબીરના લગ્નમાં માત્ર 28 મહેમાન હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર તથા આલિયાએ આટલા જ મહેમાનોને બોલાવવાનો આગ્રહ રાખ્યો હતો, આથી જ બહુ જ ઓછા મહેમાનોને બોલાવવામાં આવ્યા છે.
લગ્ન પહેલાં પિતૃ પૂજા થશે
લગ્ન પહેલાં કપૂર પરિવાર પિતૃ પૂજા કરશે. આ પૂજા રણબીર કપૂર કરશે. ત્યાર બાદ જાન નીકળશે.
પ્રી-વેડિંગ ફંક્શનમાં જુઓ કોણ કોણ આવ્યું?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.