'સૌથી નમ્ર સેલિબ્રિટી':અરિજિત સિંહ મુર્શિદાબાદમાં કરિયાણાની ખરીદી માટે સ્કૂટર ચલાવીને ગયો, સાદા કપડાંમાં અને પગમાં ચપ્પલ જોઈને ચાહકોએ કર્યા વખાણ

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ સિંગર અરિજિત સિંહ હંમેશા તેના ડાઉન ટુ અર્થ સ્વભાવને કારણે ચર્ચામાં રહે છે. હવે આ દરમિયાન, સિંગરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે પશ્ચિમ બંગાળના તેના હોમ ટાઉન મુર્શિદાબાદમાં સ્કૂટર પર ઘરનો સામાન લેવા નીકળ્યો છે.

સિંગર સાદા કપડામાં જોવા મળ્યો હતો
વીડિયોમાં સિંગર એકદમ સાદા કપડામાં જોવા મળી રહ્યો છે. અરિજિત હાથમાં બેગ અને પગમાં ચપ્પલ પહેરીને ફરતો જોવા મળે છે. આ દરમિયાન અરિજિત ત્યાં હાજર લોકો સાથે વાત કરતા જોઈ શકાય છે.

ચાહકો સાદગીથી પ્રભાવિત થયા
તેમના ચાહકો તેમના પ્રિય ગાયકના નમ્ર સ્વભાવને જોઈને ખૂબ જ ખુશ થયા. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, 'ડાઉન ટુ અર્થ'. અન્ય એક યુઝરે લખ્યું, 'તે અસલી હીરો છે'.

કોન્સર્ટ દરમિયાન ફેન્સે ખરાબ વર્તન કર્યું હતું
થોડા દિવસો પહેલા ગાયક સાથે અકસ્માત થયો હતો. અરિજિત મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પોતાનું લાઈવ પરફોર્મન્સ આપી રહ્યો હતો. ત્યારબાદ કોન્સર્ટ દરમિયાન મહિલાએ તેનો હાથ ખેંચી લીધો, જેના કારણે તે ઘાયલ થયો. જોકે, અરિજિતે મામલો ખૂબ જ શાંતિથી ઉકેલી લીધો.

અરિજીત સિંહનો જન્મ મુર્શિદાબાદના જિયાગંજમાં પંજાબી શીખ પરિવારમાં થયો હતો. સિંગરના પિતા કક્કર સિંહ છે અને તેની માતા અદિતિ સિંહ બંગાળી હિંદુ છે. અરિજિત ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. 2013માં ફિલ્મ 'આશિકી 2' માં 'તુમ હી હો' અને 'ચાહું મેં યા ના' જેવા ગીતો રજૂ કર્યા પછી તેને વધારે ઓળખ મળી હતી.