તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કપૂર ખાનદાનની દીકરી રિમા જૈનના પુત્ર અરમાન જૈનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતું નથી. EDએ ટોપ્સ ગ્રુપ સાથે જોડાયેલા 175 કરોડના મની લૉન્ડરિંગ કેસમાં બીજીવાર સમન્સ મોકલ્યું છે. આ પહેલાં પણ અરમાનને પૂછપરછ માટે બોલવવામાં આવ્યો હતો, પરંતુ તે ગયો નહોતો.
અરમાનનું નામ કેમ આવ્યું?
તપાસ એજન્સીએ અરમાન જૈનના ઘરમાં દરોડા પાડ્યા હતા. અરમાન જૈન પત્ની અનિસા મલ્હોત્રા, માતા રિમા જૈન તથા પિતા-ભાઈ સાથે રહે છે. શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકના પુત્ર વિહંગ સાથે અરમાનની ગાઢ મિત્રતા છે. વિહંગની આ કેસમાં બેવાર તપાસ થઈ ચૂકી છે. વિહંગ સાથેની વ્હોટ્સએપ ચેટમાં કેટલીક માહિતી સામે આવી છે, જેને કારણે ED અરમાનની પૂછપરછ કરવા માગે છે.
શું છે પૂરો કેસ?
મુંબઈ પોલીસની આર્થિક ગુનાખોરી શાખાએ ટોપ્સ ગ્રુપના પૂર્વ કર્મચારીઓની ફરિયાદ પર કંપનીના પ્રમોટર રાહુલ નંદા તથા અન્ય લોકો વિરુદ્ધ FIR કરવામાં આવી હતી. આ FIRના આધારે EDએ એન્ફોર્સમેન્ટ કેસ ઈન્ફર્મેશન રિપોર્ટ (ECIR) દાખલ કર્યો હતો. 20 ઓક્ટોબર, 2020ના રોજ થયેલી FIR પ્રમાણે, ટોપ્સ ગુર્પે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ અથૉરિટી (MMRDA)ને 175 કરોડનો ચૂનો લગાવ્યો છે. ટોપ્સ કંપની સમૂહ વિરુદ્ધ આર્થિક ગેરરીતિના ગુના પ્રકરણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ નવેમ્બર મહિનામાં શિવસેનાના પ્રતાપ સરનાઈકના ઘર અને ઓફિસ પર વ્યાપક દરોડા પાડ્યા હતા. તેમના પુત્ર વિહંગને કબજામાં લઈને પાંચ કલાક પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેમના બીજા પુત્ર પૂર્વેશની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પ્રતાપ સરનાઈકે પોતાના વિરુદ્ધ થયેલાં આક્ષેપોને ખોટાં ગણાવ્યા છે.
9 ફેબ્રુઆરીએ દરોડા પાડ્યા
EDએ અરમાનના પેડર રોડ સ્થિત ઘરે 9 ફેબ્રુઆરીના રોજ દરોડા પાડ્યા હતા. અરમાન પત્ની અનિસા મલ્હોત્રા, માતા રિમા જૈન, પિતા મનોજ જૈન તથા ભાઈ આદર જૈન સાથે રહે છે. દરોડા દરમિયાન અરમાન જૈનને સમાચાર મળ્યા કે તેના નાના મામા રાજીવ કપૂરનું નિધન થયું છે. EDએ અરમાનની માતા રિમા જૈનને રાજીવ કપૂરના ઘરે જવાની પરવાનગી આપી હતી.
અરમાન જૈન પછી પરવાનગી મળી હતી
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, થોડાંક કલાકો સુધી EDની ટીમે અરમાનના ઘરમાં તપાસ કરી હતી. ત્યારબાદ અરમાનને ઘરમાંથી જવાની પરવાનગી આપી હતી.
ઉલ્લેખનીય છે કે અરમાન જૈને ફિલ્મ 'લેકર હમ દિવાના દિલ'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. ત્યારબાદ અરમાને કોઈ ફિલ્મ કરી નહોતી. 2021ની શરૂઆતમાં અરમાને 'કિચન ટેલ્સ' કરીને મુંબઈમાં રેસ્ટોરાં શરૂ કરી છે. અરમાને 2020માં અનિસા મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં હતાં.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.