વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ નેતાઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે. કોંગ્રેસ પણ પરિવર્તન સંકલ્પ યાત્રાના નામ મતદારો સુધી પહોંચીને ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવા માટે મથામણ કરી રહ્યું છે. કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા રાપર પહોંચી ત્યારે ધારાસભ્ય લલિત કગથરાએ ભાષણ આપ્યું, જેની આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. ભાષણમાં કોંગ્રેસ ધારાસભ્યએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીથી લઈને મોરબી પુલ દુર્ઘટનાને યાદ કરીને ભાજપ પર પ્રહાર કર્યા, સાથે જ મોંઘવારી, બેરોજગારી મુદ્દે ભાજપે ભૂતકાળમાં કરેલા વિરોધ પ્રદર્શનોની કગથરાએ પોતાની આગવી સ્ટાઈલમાં લોકોને યાદ અપાવી. ઉપરના ફોટ પર ક્લિક કરો અને જુઓ આજની DB REELS.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.