25 ઓક્ટોબર 2022ના રોજ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સાજિયા (નામ બદલ્યું છે) તેની મિત્ર રેશમા (નામ બદલ્યું છે) ના રૂમમાં રોકાઈ હતી. રાત્રે લગભગ 11 વાગ્યે પીડિતાના બે સંબંધીઓ સહિત 3 લોકો બળજબરીથી રૂમમાં ઘૂસ્યા હતા. બંને યુવતીઓ એક જ પલંગ પર સૂતી હોવાના કારણે તેમને સમલૈંગિક કહીને ખરાબ રીતે મારવાનું શરૂ કરી દીધું હતું. તેમજ લોખંડના ગરમ સળિયા વડે તેમના પ્રાઈવેટ પાર્ટ દઝાડી દીધા હતા. આ દર્દનાક ઘટના બાદ હોમોસેક્સ્યૂઆલિટીને લઈ ચર્ચા થઈ રહી છે.
આવી સ્થિતિમાં આજે ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ કે શું છે સમગ્ર કેસ, શા માટે સમલૈગિંકોને કલંક માનવામાં આવે છે અને વિવિધ ધર્મોમાં હોમોસેક્સુઆલિટી વિશે શું કહેવામાં આવ્યું છે.
સૌથી પહેલા જાણી લો સમગ્ર મામલો...
મુર્શિદાબાદના સાગરદિઘી પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી સાજિયા અને રેશમા બાળપણથી એકબીજાના મિત્રો છે. સાજિયા કહે છે, 'હું અને મારી મિત્ર દરરોજે મળતા હતા અને સાથે બેસીને સિગારેટ પીતા હતા, પરંતુ તે 25 ઓક્ટોબરે મારા ઘરે આવી નહોતી. રાત્રે તેણે મને ફોન કરીને કહ્યું કે તેને પેટમાં દુખાવો થઈ રહ્યો છે. તેની નાદુરસ્ત તબિયતને કારણે મેં રાત તેના ઘરે રોકાવાનું નક્કી કર્યું.
સાજિયાના જણાવ્યા અનુસાર, બે સંબંધીઓ સહિત ત્રણ લોકો રાત્રે 11 વાગ્યે તેના રૂમમાં ઘૂસ્યા. તેઓ બંનેને સમલૈંગિક કહીને તેમની સાથે મારઝૂડ કરવા લાગ્યા હતા. વિરોધ કરવા પર બંને છોકરીઓના પ્રાઈવેટ પાર્ટને લોખંડના ગરમ સળિયાથી સળગાવી દેવામાં આવ્યા હતા. તેમના કપડા ઉતારીને બળાત્કારનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
લગભગ 5 દિવસ બાદ સાગરદિધી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા પછી આ કેસ સામે આવ્યો છે. આ કેસમાં અપડેટ એ છે કે, પોલીસે એક આરોપી સાહેબુલ શેખની ધરપકડ કરી છે, જોકે કદમ મોલ્લા અને સમજેર શેખના નામના આરોપી સંબંધીને પકડવા માટે પોલીસ સતત શોધખોળ કરી રહી છે.
'લોકોએ અગાઉ પણ ધર્મ વિરુદ્ધ કહીને વિરોધ કર્યો હતો'
સાજિયાની માતાનું કહેવું છે કે બંને છોકરીઓને સાથે રહેવું ગમે છે અને તેઓ દરેક બાબતમાં એકબીજાને સપોર્ટ કરે છે. છોકરીની માતાએ કહ્યું કે ભૂતકાળમાં ઘણી વખત સ્થાનિક લોકોએ પરિવાર સાથે તેમની નિકટતા અંગે ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે આ તેમના ધર્મ અને રિવાજોની વિરુદ્ધ છે.
જો કે રેશમાએ બંને વચ્ચે સમલૈંગિક સંબંધ હોવાનો સ્વીકાર કર્યો છે. તેણે કહ્યું કે હવે અમે બંને રિલેશનશિપમાં છીએ. જો અમને રોકવામાં આવ્યા હોત તો અમે આવું ન કરતા.
મુસ્લિમ ધર્મમાં સમલૈંગિકતાને લઈ શું કહેવામાં આવ્યું છે?
સમલૈંગિકતાને લઈ મુસ્લિમ ધર્મમાં ઘણી બધી માન્યતા છે. આમાંથી કેટલીક અહીં છે...
જમીયત ઉલેમા-એ-હિન્દના વડા અરશદ મદનીનું કહેવું છે કે મહિલાને જોવી પણ ગુનો છે, તો પછી સમલૈંગિક સંબંધ મોટી વાત છે.
આ વિષય પર તેમણે કહ્યું કે વ્યક્તિએ પોતાની પત્નીને જીવનભર પ્રેમ કરવો જોઈએ અને તેની સાથે સંબંધ બાંધવો જોઈએ. ભગવાને સ્ત્રી અને પુરુષને એવી રીતે બનાવ્યા છે કે તેઓ બાળકનું સુખ મેળવી શકે, પરંતુ સમલૈંગિક સંબંધોના કિસ્સામાં આ ક્યાંય બંધબેસતું નથી.
બીજી તરફ, આફ્રિકન-અમેરિકન ઈમામ દાયી અબ્દુલ્લાએ કહ્યું છે કે આખી દુનિયામાં ઓછામાં ઓછા 12 આવા ઇમામ છે, જેઓ ગે છે. દાયી અબ્દુલ્લાએ કહ્યું કે કુરાન-શરીફ સમલૈંગિકતાને મંજૂરી આપે છે, કારણ કે તેની વિરુદ્ધ કંઈપણ લખ્યું નથી.
અબ્દુલ્લા અનુસાર, સુરહ 24ની આયાત 31 અને 32માં અપરિણીત સાથે લગ્ન કરવાનું કહેવામાં આવ્યું છે, પછી તે ગુલામ પુરુષ હોય કે સ્ત્રી. કુરાનમાં લગ્ન માટે પુરુષ કે સ્ત્રીનો કોઈ ઉલ્લેખ નથી.
હિંન્દુ ધર્મમાં સમલૈંગિકતાનો ઇતિહાસ
ખ્રિસ્તી ધર્મમાં સમલૈંગિકતાનો ઉદય
વિવિધ કલ્ચરમાં સમલૈંગિકતા વિશે શું કહેવામાં આવ્યું છે?
મેસોપોટેમીયા
ચીન
વિશ્વમાં સમલૈંગિકોની શું પરિસ્થિતિ છે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.