‘પીએમ મોદી અથવા તેમની સરકાર પર સવાલ ઉઠાવનારા પર પ્રહાર કરવામાં આવે છે. BBC સાથે પણ એવું જ થયું. મારા ફોનની જાસૂસી કરવામાં આવી છે. વિપક્ષો સામે કેસ નોંધાયા છે. ભારતમાં વિપક્ષી નેતા તરીકે આ એક એવું દબાણ છે, જેનો સતત સામનો કરવો પડે છે.’
આ નિવેદન કોંગ્રેસનેતા રાહુલ ગાંધીનું છે. આ 7મી વખત છે, જ્યારે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પરથી મોદી સરકારની ટીકા કરી છે. વાસ્તવમાં રાહુલ બ્રિટનના 7 દિવસના પ્રવાસ પર છે.
ભાજપે રાહુલના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે રાહુલ વિદેશની ધરતી પર ભારતને બદનામ કરી રહ્યા છે.
ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીશું કે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પરથી મોદી સરકારની ક્યારે-ક્યારે ટીકા કરી છે? નિષ્ણાતો પાસેથી જાણીશું કે એનો હેતુ શું છે?
6 વર્ષમાં એ 7 પ્રસંગ, જ્યારે રાહુલ ગાંધીએ વિદેશની ધરતી પરથી મોદી સરકાર પર પ્રહારો કર્યા
1. મે 2022 બ્રિટન: ભારતનો અવાજ દબાવવામાં આવ્યો છે
લંડનમાં 'આઈડિયાઝ ફોર ઈન્ડિયા' કોન્ફરન્સ યોજાઈ રહી હતી. આ સંમેલનમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહારો કર્યા. રાહુલ કહે છે, 'આત્માનો અવાજ વિના કોઈ અર્થ નથી, ભારતનો અવાજ દબાવી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ હવે ભારત માટે લડી રહી છે. આ એક વૈચારિક લડાઈ છે. પાકિસ્તાનની જેમ ED, CBI જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ કરીને રાજ્યો અને સંસ્થાઓને ખોખલી બનાવવામાં આવી રહ્યાં છે.’
રાહુલે વધુમાં કહ્યું હતું કે ભારતમાં અત્યારે સ્થિતિ સારી નથી, ભાજપે આખા દેશમાં કેરોસિન છાંટ્યું છે. એક સ્પાર્ક અને અમે બધા એક મોટા સંકટમાં પહોંચી જઈશું. કોંગ્રેસની પણ જવાબદારી છે કે લોકોને સાથે લાવીને લોકોમાં જે ગુસ્સો અને આગ સળગી રહી છે એને શાંત કરે. આ દરમિયાન રાહુલે ભારતની તુલના પાકિસ્તાન સાથે કરી હતી.
તેમણે કહ્યું હતું કે રશિયા યુક્રેનમાં જે કરી રહ્યું છે, ચીન ભારતમાં ડોકલામ અને લદાખમાં એ જ પેટર્ન બતાવી રહ્યું છે. ચીને ભારતમાં ડોકલામ અને લદાખમાં પોતાની સેના તહેનાત કરી છે અને અરુણાચલ પ્રદેશ અને લદાખને ભારતના ભાગ તરીકે સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
2. ઓગસ્ટ 2018 બ્રિટન અને જર્મનીઃ લોકોની સમસ્યાઓ ઉકેલવાને બદલે તેમના ગુસ્સાનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે
રાહુલ ગાંધી એ સમયે કોંગ્રેસના અધ્યક્ષ હતા અને જર્મનીના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ભારતમાં રોજગારની મોટી સમસ્યા છે, પરંતુ વડાપ્રધાન એના વિશે વાત કરવા માગતા નથી. ચીન દરરોજ 50,000 લોકોને રોજગાર આપે છે, જ્યારે ભારતમાં માત્ર 400 લોકોને રોજગાર મળે છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદીની તુલના ટ્રમ્પ જેવા પોપ્યુલર નેતાઓ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે આ નેતાઓ રોજગાર જેવી લોકોની સમસ્યા ઉકેલવાને બદલે તેમની નારાજગીનો ફાયદો ઉઠાવે છે. આમ કરીને આ લોકો દેશને નુકસાન પહોંચાડે છે. દલિતો, લઘુમતીઓ અને પછાત લોકોને હવે સરકારી લાભો મળતા નથી. ગરીબોની યોજનાઓના પૈસા હવે અમુક મોટા કોર્પોરેટ્સને જ આપવામાં આવી રહ્યા છે.
આતંકવાદી સંગઠન આઈએસની રચનાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ ચેતવણી આપી હતી કે જો લોકોને વિકાસની પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવશે તો દેશમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે કહ્યું હતું કે 21મી સદીમાં લોકોને બહાર રાખવું અત્યંત જોખમી છે. જો તમે 21મી સદીમાં લોકોને દૃષ્ટિકોણ નહીં આપો તો કોઈ બીજું આપશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો વડાપ્રધાન મોદી પોતે સાવચેત રહેત હોત તો ચીન સાથે ડોકલામ વિવાદ સર્જાયો ન હોત. ડોકલામ કોઈ અલગ મુદ્દો નથી. એ એક પ્રક્રિયાનો ભાગ હતો. જો વડાપ્રધાને આખી પ્રક્રિયાનું કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યું હોત તો એને અટકાવી શકાયો હોત.
3. માર્ચ 2018 મલેશિયા: મેં નોટબંધીની દરખાસ્તને ડસ્ટબિનમાં ફેંકી દીધી હોત
મલેશિયા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ 2016માં નોટબંધીને લઈને વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. ભારતીય સમુદાયને સંબોધતાં રાહુલે કહ્યું હતું કે જો હું વડાપ્રધાન હોત અને કોઈએ મને નોટબંધીનો પ્રસ્તાવ આપ્યો હોત તો મેં એને કચરાપેટીમાં, રૂમની બહાર કે ભંગારવાડામાં ફેંકી દીધો હોત. મેં એને આ રીતે અમલમાં મૂક્યો હોત, કારણ કે મારા મતે નોટબંધી સાથે આ રીતે થવું જોઈએ, કારણ કે એ કોઈના માટે સારી નહોતી.
4. માર્ચ 2018 સિંગાપોર: કેટલાક લોકો ચૂંટણી જીતવા માટે નફરત અને હિંસાનો આશરો લઈ રહ્યા છે
સિંગાપોરની લી કુઆન યી સ્કૂલ ઓફ પબ્લિક પોલિસીમાં પેનલ ડિસ્કશનમાં બોલતાં રાહુલે કહ્યું હતું કે ભારતનું વિઝન એ છે કે વ્યક્તિ ગમે તે ધર્મ, જાતિ કે ભાષાની હોય, તેને ઘર જેવી લાગણી થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો ચૂંટણી જીતવા માટે નફરત અને હિંસાનો સહારો લઈ રહ્યા છે. જ્યારે અમારું વિઝન લોકોને જોડવાનું છે.
રાહુલે આગળ કહ્યું હતું કે જો તમે મને પૂછો કે મને મારા દેશ માટે શું ગર્વ છે, તો એ બહુ સારો વિચાર છે. વિચાર એ છે કે ભારતમાં લોકો જે ઈચ્છે એ કહી શકે છે અને તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. લોકો ન્યાય માટે ન્યાયતંત્રમાં જાય છે, પરંતુ પહેલીવાર ચાર ન્યાયાધીશ ન્યાય માટે લોકો પાસે આવ્યા. રાહુલે આરોપ લગાવ્યો કે સિસ્ટમ અને ન્યાયતંત્ર પર ખૂબ જ આક્રમક અને સંગઠિત હુમલો થઈ રહ્યો છે. જો તમે પ્રેસ, ઈન્ડસ્ટ્રીના લોકો સાથે વાત કરશો તો તેઓ પણ તમને કહેશે કે અમને ડર લાગે છે, જેથી સામાન્ય રીતે ભયનું વાતાવરણ જોવા મળે છે.
5. જાન્યુઆરી 2018 બહરીન: સરકાર નોકરીઓનું સર્જન કરવામાં નિષ્ફળ ગઈ
કોંગ્રેસ-અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી પ્રથમવાર બહરીન પહોંચ્યા હતા. એનઆરઆઈને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે આજે દેશમાં વિચિત્ર સ્થિતિ છે. સરકાર રોજગારી ઊભી કરવામાં નિષ્ફળ રહી છે. લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે અને દેખીતી રીતે તેઓ ગુસ્સમાં છે. એનાથી બચવા માટે સરકાર વંશીય અને ધાર્મિક ઉન્માદ પેદા કરાવી રહી છે. દેશમાં વિભાજનકારી શક્તિઓ નક્કી કરી રહી છે કે લોકોએ શું ખાવું જોઈએ અને શું નહીં. દેશમાં વિઘટનની સ્થિતિ સર્જાઈ રહી છે. દલિતોને મારવામાં આવી રહ્યા છે, પત્રકારોને ધમકાવવામાં આવી રહ્યા છે. તેમનું માનવું છે કે કોંગ્રેસ સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવીને ફરીથી નવા ભારતનું નિર્માણ કરશે.
6. સપ્ટેમ્બર 2017 અમેરિકા: આજે નફરત અને હિંસાનું રાજકારણ થઈ રહ્યું છે
સપ્ટેમ્બર 2017માં તેમનાં બે સપ્તાહના યુએસ પ્રવાસ દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રખ્યાત યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેમાં સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સંસદને અંધારામાં રાખીને નોટબંધી લાવવામાં આવી હતી, નોટબંધીને કારણે અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો હતો.
તેમણે કહ્યું હતું કે આજે નફરત અને હિંસાની રાજનીતિ થઈ રહી છે. મારા કરતાં હિંસાનો અર્થ કોણ સારી રીતે જાણે છે, કારણ કે મેં મારા દાદી અને પિતાને એમાં ગુમાવ્યાં છે. અહિંસાની વિચારધારા આજે ખતરામાં છે, જોકે એ એકમાત્ર વિચારધારા છે, જે માનવતાને આગળ લઈ જઈ શકે છે. અમે માહિતીનો અધિકાર આપ્યો, પરંતુ મોદી સરકારે એને દબાવી દીધો. સરકારમાં હવે શું થઈ રહ્યું છે એ લોકોને ખબર નથી. સાંપ્રદાયિક શક્તિઓ મજબૂત થઈ રહી છે, ઉદારવાદી પત્રકારોને ગોળી મારવામાં આવી રહી છે. ભારતમાં દરરોજ 30,000 યુવાન જોબ માર્કેટમાં આવે છે, પરંતુ તેમાંથી માત્ર 450ને જ રોજગાર મળે છે. આ સ્થિતિ ભારત માટે આજે સૌથી મોટો પડકાર છે. રોજગારની સમસ્યા વધી રહી છે, કારણ કે આજકાલ માત્ર ટોચની 100 કંપની પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. જો રોજગાર વધારવો હોય તો નાની અને મધ્યમ કંપનીઓને પણ પ્રોત્સાહન આપવું પડશે.
રાજનૈતિક નિષ્ણાત પાસેથી જાણો રાહુલની વિદેશમાં સરકારની ટીકા પાછળનાં 5 કારણ
1. વિપક્ષનું કામ જ ટીકા કરવાનું છેઃ રાશિદ કિડવાઈ
2. સોશિયલ મીડિયાના યુગમાં દેશ-વિદેશની વાત કરવી યોગ્ય નથી
3. દેશમાં રહેશો તો સરકારની ટીકા કરશો અને વિદેશમાં જાઓ તો સરકારનાં વખાણ કરવા એવો કોઈ નિયમ નથી: અભય દુબે
4. રાહુલને કોઈ લાભ નહીં મળે
5. ભારતીય સંઘ અને ભારત સરકાર વચ્ચેનો ભેદ દૂર કરવાનો પ્રયાસ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.