તમિલનાડુના રાજ્યપાલ બાદ હવે રાજસ્થાનના રાજ્યપાલ ચર્ચામાં છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ગેહલોત સરકાર પર નિશાન ટાંકતા કહ્યું કે, વિધાનસભાનું સત્ર મુલતવી રાખ્યા વિના સીધું સત્ર બોલાવવાની પ્રથા લોકશાહી વ્યવસ્થાઓ માટે ઘાતક છે. આનાથી ધારાસભ્યોને નિશ્ચિત સંખ્યામાં સવાલ પુછવાના સિવાય કોઈ તક મળી શક્તી નથી. કુલ મળીને રાજ્યપાલનું કહેવું છે કે, ધારાસભ્યોના સવાલોને મર્યાદિત રાખવાની પ્રથા ખોટી છે.
હવે રાજ્યપાલને કોણ જણાવે કે, સંપૂર્ણ સ્વતંત્રતા હોવા છતાં કેટલાય ધારાસભ્યો, આખરે કેટલા સવાલો પૂછે છે? સવાલ પૂછવાના પ્રત્યે તે કેટલા સજાગ અને આતુર હોય છે? પછી સવાલ પણ કેવા કેવા? થોડાક વર્ષો પહેલા એક તુલનાત્મક અભ્યાસમાં એ વાત સામે આવી કે, વિધાનસભામાં ઘણા ધારાસભ્યો તેમના અને પોતાના પરિવાર કે મિત્રોના વ્યાપાર કે વ્યવસાય સાથે જોડાયેલા મોટાભાગના સવાલો પૂછે છે. જનતા જેમણે તેઓને ચૂંટીની મોકલ્યા છે, જેમને તેમની સમસ્યાઓને ઉઠાવવા માટે વિધાનસભામાં મોકલ્યા છે, એ એક પ્રકારની લાગણી છે.
વિશ્વાસ બનાવી રાખવા સખત મહેનત કરવી પડશે?
આખરે જે લોકશાહી વ્યવસ્થાઓની ચિંતા રાજ્યપાલ વ્યક્ત કરી રહ્યા છે, તેમનું શું થશે જ્યારે ચૂંટવાવાળી, વોટ આપવાવાળી જનતાનો તેમના પ્રતિનિધિઓ પરથી વિશ્વાસ જ ઉઠી જશે? કેમકે જનતાનો તેમના પ્રતિનિધિઓ પર વિશ્વાસ બની રહે, એવું ન તો તો કોઈ કરે છે અને ન એવું કોઈ કરતા જોવા મળે છે! થવું એ જોઈએ કે, ધારાસભ્યો, સાંસદ જ નહિં, મેયર, કાઉન્સિલર, જિલ્લા પ્રમુખ, ત્યાં સુધી કે પંચ અને સરપંચોને પણ જનતાનો વિશ્વાસ જીતવા અને બનાવી રાખવા માટે સખત મહેનત કરી જોઈએ. લોકતંત્રનું સમ્માન કરવા માટે આની કરતા કોઈ સારો વિકલ્પ નથી.
જનતાનો વિશ્વાસ બન્યો રહેશે તો લોકશાહી અખંડ રહેશે અને રાજકારણમાં પણ ધીમે-ધીમે શુદ્ધતા આવતી જશે. આ સમય દેશની દરેક તાકાતને જોડી, મળાવી, રાજકારણની શુદ્ધતા માટે સંઘર્ષ કરવાનો છે. સફળતાનો ખરેખર આ જ અર્થ થાય છે કે દેશ અને દુનિયામાં દરેક જગ્યાએ, દરેક મોરચા પર સારી તાકાતની અધિકતા હોય અને તે તમામ સારી તાકાતો સાથે મળીને કોઈ કામમાં લાગી જાય કે લાગ્યા રહે. જ્યાં સુધી ધારાસભ્યોને વધુમાં વધું સવાલો પૂછવાનો મામલો છે, તેમાં સુધાર ત્યારે જ આવી શકે છે જ્યારે તે પોતે સાચી લાગણીથી જનતાની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ઈચ્છાશક્તિ રાખે છે!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.