ધૈવત ત્રિવેદી, વિમુક્ત દવે: ગત 28 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં જ્યાં કોરોના વેક્સિન બની રહી છે એ ઝાયડસ બાયોટેકની મુલાકાત લીધી ત્યારથી દેશ અને દુનિયામાં ચર્ચાઈ રહેલી કોરોના વેક્સિનમાં ઝાયડસ નિર્મિત ઝાયકોવ-ડી (Zycov-D)નું નામ પણ મોખરે આવી ગયું છે. અમદાવાદ નજીક ચાંગોદર ખાતે ઝાયડસના વેક્સિન રિસર્ચ સેન્ટરમાં બની રહેલી વેક્સિન કઈ રીતે તૈયાર થાય છે એની ફોર્મ્યુલા અને પદ્ધતિ શું છે, કેવા વાતાવરણમાં કેટલા વૈજ્ઞાનિકો રસી બનાવવાના આ ભગીરથ પ્રયાસમાં કાર્યરત છે એ અંગે દિવ્ય ભાસ્કરે ઝાયડસ પાસેથી સત્તાવાર વિગતો મેળવી હતી. ગુજરાતમાં બની રહેલી આ એકમાત્ર કોરોના વેક્સિન અંગેનો સૌપ્રથમ વિગતવાર અહેવાલ પ્રસ્તુત છે...
ઝાયડસે કઈ રીતે શરૂઆત કરી?
વેક્સિન નિર્માણક્ષેત્રે ગુજરાતની અગ્રણી ફાર્મા કંપની તરીકે ઝાયડસનો અનુભવ બહોળો છે અને એ વૈશ્વિક સ્તરે નામના ધરાવે છે. અગાઉ સ્વાઈન ફ્લૂ, ધનુર, હિપેટાઈટિસ બી, રુબેલા જેવા ઘાતક રોગોની રસી ઝાયડસે સફળતાપૂર્વક બનાવી છે, એટલે જ ગત વર્ષે ડિસેમ્બર એન્ડમાં કોરોના વાઇરસ ઓળખાયો અને થોડા સમયમાં વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ કોરોનાને મહામારી જાહેર કરી એ પછી તરત ઝાયડસે કોરોનાના મારણ તરીકે રસી બનાવવા અંગે સઘન વિચારણા કરવા માંડી હતી.
ઝાયડસના ચેરમેન પંકજ પટેલ અને એમ.ડી. શર્વિલ પટેલના માર્ગદર્શન હેઠળ કંપનીએ સૌપ્રથમ 3 મુદ્દા પર ફોકસ કર્યું.
1. રસી બનાવવા માટે ફોર્મ્યુલા, ટેક્નોલોજી અને ઉપકરણોથી માંડીને દરેક સ્તરે લેટેસ્ટ અને વૈશ્વિક ધોરણો અપનાવવામાં આવે.
2. રસીની પડતર ઓછામાં ઓછી થવી જોઈએ, જેથી બહુ જ કિફાયતી દરે એને બજારમાં મૂકી શકાય અને મહત્તમ લોકોને સુરક્ષાક્વચ મળી શકે.
3. રસી સાચવવાની પ્રક્રિયા અને ટ્રાન્સપોર્ટેશન ભારતના વાતાવરણને એકદમ અનુકૂળ હોય એની કાળજી લેવામાં આવે.
એ પછી વિવિધ મંજૂરીઓ, માહિતીઓના સહયોગ માટેની પ્રક્રિયા શરૂ થઈ, જેમાં ઝાયડસે ડ્રગ્ઝ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI), વિજ્ઞાન મંત્રાલય અંતર્ગતના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી (DBT), ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સહિતની વિવિધ સરકારી સંસ્થાઓ, સંશોધન અને પ્રમાણિત સંસ્થાઓ સાથે સંકલન કર્યું.
તમામ વિગતો, જરૂરિયાતો પૂરી થયા બાદ વેક્સિનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી. એ માટે અગાઉ રસીનિર્માણ પ્રક્રિયાનો અનુભવ પણ કામે લાગ્યો. આ તમામ પ્રાથમિક તૈયારીઓ પૂર્ણ થયા પછી ફેબ્રુઆરી મહિનાથી ઝાયડસે વેક્સિન બનાવવાની કામગીરી શરૂ કરી અને એની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી.
શા માટે આ 'ગુજરાતની વેક્સિન' પર સૌની નજર છે?
ગુજરાતમાં બની રહેલી આ વેક્સિનની શી વિશેષતા છે?
શું છે વેક્સિનની ફોર્મ્યુલા?
જાણો ઝાયડસ વિશે
ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી માટે ઝાયડસ નવું નામ નથી અને જ્યારથી કોરોનાની વેક્સિન બનાવવામાં કંપની સક્રિય બની છે ત્યારથી લોકમુખે પણ ઝાયડસનું નામ ચડી ગયું છે. કંપનીની શરૂઆત 1952માં સ્વ. રમણભાઈ બી. પટેલે કરી હતી અને ત્યાર બાદ તેનું સુકાન પંકજભાઈ પટેલે સાંભળ્યું છે. વર્ષ 1995માં કંપનીનું રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું અને ઝાયડસ ગ્રુપની ફ્લેગશિપ હેઠળ તેનું નામ કેડિલા હેલ્થકેર કરવામાં આવ્યું. એ સમયે કંપનીની રેવન્યુ રૂ. 250 કરોડ હતી, જે આજે રૂ. 15,000 કરોડ જેટલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.