દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે હનુમાનજયંતીની શોભાયાત્રા પર પથ્થરમારા પછી વિસ્તારમાં તણાવ ફેલાયો છે. બે પક્ષ વચ્ચે થયેલી હિંસક બબાલમાં 8 પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થઈ ગયા. હિંસા પર ઊતરેલી ભીડે ઘરો અને દુકાનોમાં તોડફોડ કરીને અનેક વાહનોને આગચંપી કરી હતી.
પોલીસે આ મામલે અત્યારસુધીમાં 2 કિશોર સહિત 23 લોકોની ધરપકડ કરી છે. જ્યારે આ મામલે નિષ્પક્ષ તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન ભાજપાએ જહાંગીરપુરી હિંસા માટે રોહિંગ્યા મુસ્લિમોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.
ચાલો, જાણીએ કે કોણ છે રોહિંગ્યા મુસ્લિમ? કેમ તેમના પર લાગી રહ્યા છે જહાંગીરપુરીમાં હિંસાના આરોપ? ભારતમાં છે રોહિંગ્યા મુસ્લિમોની કેટલી વસતિ? હિંસામાં રોહિંગ્યા સામેલ હોવાની વાત કેટલી સાચી?
કેમ આવ્યું જહાંગીરપુરી હિંસામાં રોહિંગ્યા મુસ્લિમોનું નામ?
જહાંગીરપુરીમાં હનુમાનજયંતીની શોભાયાત્રા પર પથ્થરમારા પછી થયેલી હિંસા માટે ભાજપાએ રોહિંગ્યા મુસ્લિમો અને ગેરકાયદે બાંગ્લાદેશી અપ્રવાસીઓને જવાબદાર ઠેરવ્યા.
દિલ્હી ભાજપ-અધ્યક્ષ આદેશ ગુપ્તાએ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સરકાર પર દિલ્હીમાં ગેરકાયદે રહેનારા રોહિંગ્યા મુસ્લિમોને વીજળી અને પાણીની સુવિધાઓ આપવાનો આરોપ લગાવ્યો.
તેના જવાબમાં AAPના ધારાસભ્ય નરેશ બાલિયાને ભાજપને કહ્યું હતું કે જ્યારે પોલીસ, સીબીઆઈ બધુ AAPનું છે, તો રોહિંગ્યા અને બાંગ્લાદેશી દેશની અંદર આવ્યા કેવી રીતે?
જહાંગીરપુરીમાં શું વાસ્તવમાં છે રોહિંગ્યા મુસ્લિમ?
જહાંગીરપુરી દિલ્હીના ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં વસેલું છે. આ એશિયાની સૌથી મોટી ફળ અને સબ્જી મંડી આઝાદપુરની નજીક સ્થિત છે. જહાંગીરપુરી અત્યંત સઘન વસાહત છે અને અહીં હિન્દુ-મુસ્લિમ અને પંજાબી સમુદાયના લોકો રહે છે.
આઝાદપુર મંડી પાસે હોવાને કારણે અહીં મોટી સંખ્યામાં ફળ-શાકભાજીનાં કામ સાથે સંકળાયેલા છે. જહાંગીરપુરીમાં નિમ્ન મધ્યમ આવક ધરાવતા વર્ગની સંખ્યા સારીએવી છે. તેથી અહીં ઝૂંપડપટ્ટીઓ પણ બનેલી છે. જહાંગીરપુરી વિસ્તારને Aથી લઈને H બ્લોક સહિત આઠ બ્લોકમાં વહેંચવામાં આવ્યો છે.
જહાંગીરપુરીના બ્લોક C અને બ્લોક H-2માં મુસ્લિમોની વસતિ વધુ છે. રિપોર્ટ્સ અનુસાર, બ્લોક C અને બ્લોક H-2માં બાંગ્લાદેશી મુસ્લિમોની વસતિ સૌથી વધુ છે, જેમાંથી અનેક રોહિંગ્યા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. જોકે તેમની સંખ્યા કેટલી છે એની અધિકૃત જાણકારી નથી. શનિવારે હનુમાનજયંતી વખતે થયેલી હિંસા જહાંગીરપુરીના C બ્લોકમાં જ થઈ હતી.
કોણ છે રોહિંગ્યા મુસ્લિમો?
રોહિંગ્યા એક સ્ટેટલેસ કે રાજ્યવિહીન જાતિય સમુદાય છે, જે ઈસ્લામને માને છે અને મ્યાંમારના રખાઈન પ્રાંતમાંથી આવે છે. 1982માં બૌદ્ધ બહુમતીવાળા દેશ મ્યાંમારે રોહિંગ્યાને નાગરિકતાથી વંચિત કરી દીધા હતા.
એનાથી તેમણે શિક્ષણ, સરકારી નોકરી સહિત અનેક અધિકારોથી વંચિત થવું પડ્યું. ત્યારથી મ્યાંમારમાં રોહિંગ્યા વિરુદ્ધ હિંસા જારી છે. 2017માં થયેલા રોહિંગ્યા નરસંહાર અગાઉ મ્યાંમારમાં તેમની વસતિ લગભગ 14 લાખ હતી.
2015 પછીથી મ્યાંમારથી 9 લાખથી વધુ રોહિંગ્યા શરણાર્થી ભાગીને બાંગ્લાદેશ અને ભારત સહિત આસપાસના અન્ય દેશોમાં જઈ ચૂક્યા છે. એકલા બાંગ્લાદેશમાં રોહિંગ્યાની સંખ્યા 13 લાખથી વધુ છે.
દિલ્હીમાં રોહિંગ્યાની અનેક વસાહતો
ભારતમાં છે કેટલા રોહિંગ્યા મુસ્લિમો?
ભારતમાં 2012 પછીથી રોહિંગ્યા મુસ્લિમોની સંખ્યા ઝડપથી વધી છે. ગૃહ મંત્રાલયના અનુસાર, UNHRCના પ્રમાણે, ભારતમાં ડિસેમ્બર 2021 સુધી 18 હજાર રોહિંગ્યા મુસ્લિમો હોવાની જાણકારી ઉપલબ્ધ છે.
સરકાર ગણાવી ચૂકી છે રોહિંગ્યાને દેશની સુરક્ષા માટે જોખમી
ભારતમાં રોહિંગ્યાને ગેરકાયદે પ્રવેશ કરાવે છે ગેંગ
રોહિંગ્યાના મામલે ગરમાવો આવે છે રાજનીતિમાં
શું રોહિંગ્યાનું છે આતંકવાદ સાથે કનેક્શન?
શું જહાંગીરપુરી હિંસા પાછળ રોહિંગ્યા મુસ્લિમોનો હાથ હતો?
હનુમાનજયંતીની શોભાયાત્રા પર પથ્થરમારા પછી જહાંગીરપુરીમાં થયેલી હિંસા દરમિયાન તોફાનીઓએ દિલ્હી પોલીસના સબ-ઈન્સ્પેક્ટર મેધા લાલ મીણા પર ગોળી ચલાવી હતી.
મેધા લાલ કહે છે કે જેવી શોભાયાત્રા C- બ્લોકમાં મસ્જિદ પાસે પહોંચી, તેના પર પથ્થરમારો શરૂ થઈ ગયો. તેમણે કહ્યું હતું કે તોફાનીઓ નારા લગાવી રહ્યા હતા અને તેમની બોલી ઘણાખરા અંશે બાંગ્લાદેશીઓ જેવી હતી.
રિપોર્ટસ અનુસાર, જહાંગીરપુરીના જે C બ્લોકમાં આ હિંસા થઈ, ત્યાં બાંગ્લાદેશી મુસ્લિમોની વસતિ સૌથી વધુ છે અને ત્યાં કથિત રીતે રોહિંગ્યા પણ રહે છે.
હવે સવાલ એ છે કે શું જહાંગીરપુરીમાં હનુમાનજયંતી દરમિયાન થયેલી હિંસામાં રોહિંગ્યા મુસ્લિમોનો હાથ હતો? તેનો જવાબ આગામી કેટલાક દિવસોમાં આવનારા દિલ્હી પોલીસના તપાસ રિપોર્ટમાં સામે આવી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.