તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુપ્રીમ કોર્ટમાં આજે ટાટા વિ. સાયરસ મિસ્ત્રી વિવાદની અંતિમ સુનાવણી થશે. ચીફ જસ્ટિસ એસ. એ. બોબડેએ 8 ડિસેમ્બરનો દિવસ માત્ર આ જ કેસની સુનાવણી માટે નક્કી કર્યો છે. આ કેસ ગત વર્ષે 2 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવવાને અયોગ્ય ગણ્યું હતું.
એનસીએએલટીએ મિસ્ત્રીને ફરી ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો હતો. તેની વિરુદ્ધ ટાટા સન્સ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. હવે શું છે સમગ્ર વિવાદ? 4 વર્ષમાં આ વિવાદને લઈને શું-શું બન્યું? કેટલું મોટું છે ટાટા ગ્રૂપ? આવો જાણીએ...
પ્રથમ સાયરસ મિસ્ત્રને ટાટા સન્સમાંથી કેમ હટાવાયા?
24 ઓક્ટોબર 2016ના રોજ ટાટા ગ્રુપે સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવી દીધા હતા. તેમના સ્થાને રતન ટાટાને વચગાળાના ચેરમેન બનાવાયા હતા. ટાટા સન્સે કહ્યું હતું, મિસ્ત્રીના કામકાજની રીત ટાટા ગ્રુપના કામ કરવાની રીત સાથે મેળ ખાતી નથી.
આ કારણથી બોર્ડના સભ્યોનો મિસ્ત્રી પરથી ભરોસો ઉઠી ગયો હતો. મિસ્ત્રીને હટાવ્યા પછી 12 જાન્યુઆરી, 2017ના રોજ એન. ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન બનાવવામાં આવ્યા. ટાટાના 150 વર્ષથી પણ વધુના ઈતિહાસમાં સાયરસ મિસ્ત્રી છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા.
સાયરસ મિસ્ત્રી ક્યારથી ટાટા સન્સના ચેરમેન હતા?
હવે સમજીએ ટાટા સન્સ છે? અને તે ટાટા ગ્રુપથી કેટલું અલગ છે?
4 વર્ષથી ટ્રિબ્યુનલ અને કોર્ટમાં ચાલી રહ્યો છે મામલો
24 ઓક્ટોબર 2016ના રોજ ટાટા સન્સના ચેરમેન પદેથી સાયરસ મિસ્ત્રીને હટાવી દેવાયા. તેમણે ડિસેમ્બર 2016મા કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)માં તેની વિરુદ્ધ અરજી દાખલ કરી. જુલાઈ 2018મા એનસીએલટીએ મિસ્ત્રીની અરજી નકારી અને ટાટા સન્સના નિર્ણયને સાચો ગણાવ્યો. તેની વિરુદ્ધ મિસ્ત્રી કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલમાં ગયા. ડિસેમ્બર 2019માં એનસીએલટીએ મિસ્ત્રીને બીજીવાર ટાટા સન્સના ચેરમેન બનાવવાનો આદેશ આપ્યો. તેની વિરુદ્ધ ટાટા સન્સે જાન્યુઆરી 20202માં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
જમશેદજીએ 21 હજાર રૂપિયાથી કારોબાર શરૂ કર્યો હતો
1868માં જમશેદજી ટાટાએ 21 હજાર રૂપિયામાં એક નાદાર ઓઈલ મિલ ખરીદી અને ત્યાં રૂનું કારખાનું શરૂ કર્યુ. જમશેદજીએ ચાર લક્ષ્ય નક્કી કર્યા. પ્રથમ-એક આયર્ન અને સ્ટીલ કંપની ખોલવી. બીજું, એક વર્લ્ડ ક્લાસ ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરવું. ત્રીજું-એક હોટેલ ખોલવી અને ચોથું એક હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર પ્લાન્ટ સ્થાપિત કરવો.
જો કે, જમશેદજી પોતાના જીવનમાં માત્ર તાજમહલ (મુંબઈ) જ શરૂ કરી શક્યા. તેના પછી તેમની પેઢીઓએ તેમના તમામ લક્ષ્યો પૂરા કર્યા. માર્ચ 2020 સુધી ટાટા ગ્રૂપની તમામ કંપનીઓની રેવન્યુ 7.92 લાખ કરોડથી વધુ હતી. જ્યારે, તેમની માર્કેટ કેપ માર્ચ 2016 સુધી 11.09 લાખ કરોડ રૂપિયા હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.