- Gujarati News
- Dvb original
- Explainer
- Symptoms Of Corona Include Abdominal Pain, Vomiting, Joint Pain, Weakness, And Loss Of Appetite; In The Second Wave New Symptoms Are Coming Up From The New Strain
ભાસ્કર એક્સપ્લેનર:પેટમાં દુખાવો, ઊલટી, સાંધામાં દુખાવો, કમજોરી અને ભૂખ ઓછી લાગવી પણ કોરોનાનાં લક્ષણો છે; બીજી લહેરમાં નવા સ્ટ્રેનમાંથી નવા લક્ષણો સામે આવી રહ્યા છે
ભારતમાં કોરોનાવાઈરસની બીજી લહેર ઝડપથી ફેલાઈ ગઈ છે. મંગળવારે 1.15 લાખ નવા કેસ સામે આવ્યા છે. તે પહેલી લહેરની પીક કરતાં પણ વધારે છે. પહેલી લહેરની પીક 17 સપ્ટેમ્બર હતી, જ્યારે લગભગ 97 હજાર કેસ સામે આવ્યા હતા. તેની સરખામણીએ બીજી લહેરમાં 4 એપ્રિલના રોજ 1.03 લાખ અને હવે 6 એપ્રિલના રોજ 1.15 લાખ નવા કેસ સામે આવ્યા છે. તદુપરાંત કોરોનાવાઈરસનો નવો સ્ટ્રેન એક્ટિવ થવાથી નવા લક્ષણ પણ સામે આવી રહ્યા છે. હવે પેટમાં દુખાવો, ઊલટી, સાંધામાં દુખાવો, કમજોરી, ભૂખ ઓછી લાગવી એ પણ કોરોનાવાઈરસના નવા લક્ષણો તરીકે માનવામાં આવી રહ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના અનુસાર, જુદા જુદા લોકો જુદા જુદા લક્ષણો અનુભવી રહ્યા છે. મોટાભાગના લોકોને માઈલ્ડથી મોડરેટ બીમારી થઈ રહી છે અને હોસ્પિટલમાં દાખલ થયા વગર સ્વસ્થ પણ થઈ રહ્યા છે. સામાન્ય રીતે આ લક્ષણો વ્યક્તિને વાઈરસથી સંક્રમિત થયાના 5-6 દિવસ પછી જોવા મળે છે. જો કે, કેટલાક કિસ્સામાં આ લક્ષણો 14 દિવસ સુધી પણ સામે આવે છે.
કોરોના કેસિસ કેમ ઝડપથી વધી રહ્યા છે?
- વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજના પ્રોફેસર ડૉ. ગગનદીપ કંગના જણાવ્યા પ્રમાણે, દરેક વાઈરસ મ્યુટેટ થાય છે અને તેના નવા વેરિઅન્ટ સામે આવે છે. કોરોનાવાઈરસમાં પણ આવું થઈ રહ્યું છે. યુકે અને બ્રાઝિલ જેવા કેટલાક સ્ટ્રેન ગંભીર છે અને તે ઝડપથી ફેલાય છે.
- ભારત સરકારના જણાવ્યા મુજબ, આ સમયે દેશના 18 રાજ્યોમાં કોરોનાના ખતરનાક વેરિઅન્ટ્સ મળ્યા છે. તેમાં મહારાષ્ટ્રમાં મળેલા ડબલ મ્યુટેન્ટ સ્ટ્રેન પણ સામેલ છે. મહારાષ્ટ્રમાં જે કેસ સામે આવ્યા છે, તેમાં વાઈરસમાં બે જગ્યાએ ફેરફાર થયા છે. તેનાથી તેની ટ્રાન્સમિશનની ક્ષમતા વધી છે.
- નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, લોકોના વર્તનમાં પણ ફેરફાર આવ્યો છે. તેમને લાગી રહ્યું છે કે કોરોનાવાઈરસ હવે ખતરનાક નથી રહ્યો, તેથી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઈઝરનો ઉપયોગ ઘટી ગયો છે. વાઈરસના નવા કેસ સામે આવવામાં તેનું મહત્ત્વનું યોગદાન છે.
કેવી રીતે નવા લક્ષણ સામે આવ્યા છે?
- ભારતમાં નવા કેસિસને લઈને જે સ્ટડી થઈ છે, તેના અનુસાર બદલાતા સ્ટ્રેનના કારણે લક્ષણ પણ બદલાઈ રહ્યા છે. હવે માત્ર તાવ, થાક અથવા શરદી ઉધરસ, સ્વાદ અને ગંઘ મહેસસૂ ન થવી કોરોનાનાં લક્ષણો નથી રહ્યા. એક મીડિયા રિપોર્ટના અનુસાર, ગુજરાતના ડૉક્ટરોએ નવા લક્ષણો જોયા છે.
- આ રિપોર્ટના અનુસાર, બ્રાઝિલ અને કેન્ટના વેરિઅન્ટ્સ વધારે શક્તિશાળી છે અને તેના કારણે નવા પ્રકારના લક્ષણો સામે આવી રહ્યા છે. તેઓ મુખ્ય અંગો પર પણ હુમલો કરી રહ્યા છે. ભારતની હોસ્પિટલોમાં કરવામાં આવેલા રિસર્ચ અનુસાર, વાઈરસ માટે પોઝિટિવ આવેલા દર્દીઓમાં નવા લક્ષણો જોવા મળ્યા છે.
- નવા લક્ષણોમાં પેટમાં દુખાવો, ઉબકા, ઊલટી અને શરદીની સાથે સ્નાયુઓનો દુખાવો, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇન સમસ્યા, કમજોરી અને ભૂખ ઓછી લાગવી પણ સામેલ છે. ડૉક્ટર તાવ અને ઉધરસ જેવા સમાન્ય લક્ષણ ન હોવા છતાં પણ ટેસ્ટ કરાવે છે તો પણ તેઓકોરોનાવાઈરસ પોઝિટિવ થઈ રહ્યા છે. આ પહેલા યુકે અને અન્ય યુરોપના દેશોમાં ઈન્ફેક્શનની બીજી અને ત્રીજી લહેરમાં તાવ અથવા ઉધરસ સિવાયના પણ લક્ષણો, અસામાન્ય સંકેતો જોવા મળ્યાં હતાં.
- ચીનમાં કરવામાં આવેલી એક સ્ટડીના અનુસાર, કન્ઝંક્ટિવાઇટિસ પણ કોવિડ-19 ઈન્ફેક્શનનું લક્ષણ છે. નવા સ્ટ્રેનના કારણે આંખોમાં લાલાશ, સોજો અને પાણી આવવાની સમસ્યા થઈ શકે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં ગત સપ્તાહમાં પ્રકાશિત એક રિપોર્ટના અનુસાર, ઈન્ફેક્શન સાંભળવાની ક્ષમતાને કમજોર કરી રહ્યું છે. સ્ટડીના અનુસાર, 7.6% ઈન્ફેક્ટેડ લોકોની સાંભળવાની ક્ષમતાને અસર થઈ છે.
- અતિશય કમજોરી અને થાકને કોરોના ઈન્ફેક્શનના શરૂઆતના લક્ષણો માનવામાં આવી રહ્યા છે. તે સાયટોકીન્સના કારણે થઈ શકે છે, જે શરીરમાં કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન પર રિએક્શન તરીકે ઈમ્યુન સિસ્ટમમાં બનવા લાગે છે. જ્યારે તમારું શરીર ઈન્ફેક્શનની સામે લડે છે ત્યારે તમને મહેસૂસ થશે કે તમારા શરીરની બધી એનર્જીને કોઈએ ખેંચી લીધી છે.
ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ લક્ષણ શું છે?
- ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, ઘણા પ્રકારની ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યા પણ સામે આવી રહી છે. પહેલાની તુલનામાં તેની સંખ્યા વધી છે. પહેલા આ લક્ષણ દેખાતા નહોતા, પરંતુ હવે મોટાભાગના કેસમાં આ લક્ષણો દેખાઈ રહ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, વાઈરસનો નવો સ્ટ્રેન ડાયજેસ્ટિવ સિસ્ટમને અસર કરી રહ્યો છે અને તેના કારણે ડાયેરિયા, પેટમાં દુખાવો, ઉબકા, અને ઊલટી જેવા લક્ષણો વધી રહ્યા છે.
- શરીરમાં જેમ જેમ વાઈરસનો લોડ વધે છે, તેમ તેમ તે અન્ય અંગોને પણ નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરોની સલાહ છે કે બેદરકારી ન રાખવી. કોઈપણ લક્ષણ દેખાય તો ટેસ્ટ કરાવવો અને સમયસર સારવાર કરાવવાથી વાઈરસના લોડને વધતા અટકાવવો.
શું ઈન્ફેક્શન વધારે ઘાતક થઈ રહ્યું છે?
- મોટાભાગના નવા કેસોમાં લક્ષણો જ નથી. કેટલાકમાં માઈલ્ડથી મોડરેટ લક્ષણો છે. પરંતુ જે રીતે વાઈરસમાં ફેરફાર થઈ રહ્યો છે ઈન્ફેક્શનની ગંભીરતા પણ સામે આવી રહી છે. જે લોકોને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી છે, તેમના માટે આ ઈન્ફેક્શન ઘાતક સાબિત થઈ શકે છે અને તેના કારણે હોસ્પિટલમાં ભીડ જોવા મળી રહી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના મુખ્ય શહેરોની હોસ્પિટલોમાં નવા દર્દીઓ માટે જગ્યા જ નથી.
શું વેક્સિનેશનનો કોઈ ફાયદો થઈ રહ્યો છે?
- હાં. તેના ઘણા ફાયદા છે. વેક્સિન નિષ્ણાતોનો દાવો છે કે, થઈ શકે છે કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં ઉપલબ્ધ બંને વેક્સિન (કોવેક્સિન અને કોવિશીલ્ડ)થી બની રહેલી એન્ટિબોડીને ચકમો આપીને ઈન્ફેક્ટ કરે. પરંતુ ત્યારબાદ પણ ઈન્ફેક્શનની શક્યતા નકારી શકાતી નથી. જો વેક્સિન લીધી હશે તો તે ઈન્ફેક્શનને ગંભીર સ્ટેજ સુધી પહોંચવા નહીં દે અને મૃત્યુને અટકાવશે.
- તેના કારણે સરકારે પણ 1 એપ્રિલથી 45 વર્ષથી વધુની વય જૂથના તમામ લોકોનું વેક્સિનેશન શરૂ કર્યું છે. આ પહેલા, કોરોના ઈન્ફેક્શનનાં કારણે થતાં 90% મૃત્યુ આ વય જૂથમાં હતા. જ્યારે ડૉક્ટરોનું પણ કહેવું છે કે, વેક્સિન લીધી હોય કે ન લીધી હોય, લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ઓછો ન કરવો જોઈએ.