બંગાળની ખાડીને સ્પર્શતા તામિલનાડુ અને પુડુચેરીના સમુદ્રી તટો પર આજે બપોરે સાઈક્લોન ‘નિવાર’ ટકરાશે. આ દરમિયાન 100થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે આજે તામિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની ચેતવણી પણ આપી છે અને રેડ એલર્ટ જારી કર્યુ છે.
એવામાં એ જાણવું જરૂરી છે કે સાઈક્લોન નિવાર શા માટે આવી રહ્યું છે? સરકારોની કેવી તૈયારીઓ છે? નિવારના આવ્યા પછી શું-શું થઈ શકે છે? આવો જાણીએ...
સાઈક્લોન નિવાર ક્યારે આવશે?
સાઈક્લોન નિવાર આવવાની અસર તામિલનાડુ અને પુડુચેરીમાં દેખાવા લાગી છે. ત્યાં અત્યારથી સુસવાટા મારતો પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના અનુસાર, ચક્રવાત નિવાર બુધવારે સાંજે 5 વાગ્યા આસપાસ તામિલનાડુ અને પુડુચેરીના તટ પર ટકરાઈ શકે છે.
સાઈક્લોન નિવાર શા માટે આવી રહ્યું છે?
આ અંગે હવામાન વિભાગના પૂર્વ ડિરેક્ટર જનરલ કે જે રમેશ કહે છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી બંગાળની ખાડીમાં સાઈક્લોન સિઝન રહે છે. તેમાં પણ ઓક્ટોબર અને નવેમ્બરમાં કોર એક્ટિવિટી રહે છે. આ કારણથી આ મહિનાઓમાં સાઈક્લોન આવવાની આશંકા વધુ રહે છે. ભારતમાં વર્ષભરમાં બે વાર મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બરમાં ચક્રવાત બનવાની સંભાવના સૌથી વધુ રહે છે. મે-જૂનમાં આપણે ત્યાં અમ્ફાન અને નિસર્ગ તોફાનો આવ્યા હતા.
સાઈક્લોન નિવાર આવવાથી શું થશે?
બને છે એવું કે તોફાનમાં જે પવન ફૂંકાય છે, તે બે દિશામાં ફૂંકાય છે. પ્રથમ ક્લોકવાઈઝ અને બીજો એન્ટી ક્લોકવાઈઝ. કે જે રમેશ કહે છે કે પુડુચેરી અને તામિલનાડુની આસપાસ હવા ઉપરની તરફ એન્ટી ક્લોકવાઈઝ ડિરેક્શનમાં રહે છે. આ કારણથી તોફાનનું જે કેન્દ્ર છે, તેના ઉપરની તરફથી હવા તટ તરફ આવે છે.
આના કારણે સુસવાટા મારતો પવન ફૂંકાય છે અને સમુદ્રનું પાણી તટ તરફ જાય છે. કે જે રમેશ કહે છે કે સમુદ્રનું પાણી તટ તરફ આવવાથી પાણી અંદર ઘૂસવાની આશંકા છે. તટની આસપાસ જે નીચાણવાળા વિસ્તારો હોય છે, ત્યાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. તોફાનની અસરથી 27 નવેમ્બર સુધી તામિલનાડુમાં વરસાદ પડવાની શક્યતા છે.
સરકારો શું કરી રહી છે?
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તામિલનાડુના સીએમ ઈ પલાનીસામી અને પુડુચેરીના સીએમ નારાયણસામી સાથે વાત કરી અને ચક્રવાત નિવારનો સામનો કરવાની તૈયારીઓની જાણકારી મેળવી હતી. આ સાથે તેમણે બંને રાજ્યોને તમામ પ્રકારની મદદનો ભરોસો આપ્યો હતો.
સાઈક્લોન શું હોય છે?
ભારત અને દુનિયાભરના તટિય વિસ્તાર હંમેશા ચક્રવાતો સામે ઝઝૂમતા રહે છે. તટીય વિસ્તારો એટલે કે એવા વિસ્તારો કે જે સમુદ્રના કિનારે હોય. ચક્રવાતને અલગ અલગ જગ્યાના હિસાબે અલગ અલગ નામથી ઓળખ આપવામાં આવે છે. સાઈક્લોન, હરિકેન અને ટાઈફૂન, આ ત્રણેય ચક્રવાતી તોફાન હોય છે. ઉત્તરીય એટલાન્ટિક મહાસાગર અને ઉત્તર-પૂર્વ પ્રશાંતમાં આવતા તોફાનોને હરિકેન કહેવામાં આવે છે.
ઉત્તર-પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવતા તોફાનોને ટાઈફૂન કહે છે. દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં આવતા તોફાનોને સાઈક્લોન કહે છે. ભારતમાં ચક્રવાતી તોફાન દક્ષિણ પ્રશાંત અને હિન્દ મહાસાગરમાંથી જ આવે છે, તેથી તેમને સાઈક્લોન કહે છે.
ચક્રવાતી તોફાન શા માટે આવે છે?
કેટલા ભારતીયોને દર વર્ષે આ તોફાનોથી જોખમ રહેલું હોય છે?
ડિઝાસ્ટર મેનેજમેન્ટના રિપોર્ટ અનુસાર, ભારતની તટીય સીમા એટલે કે કોસ્ટલાઈનની લંબાઈ 8493.85 કિમી છે. તટીય સીમા પૂર્વ તટ પર પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પુડુચેરીને સ્પર્શે છે. જ્યારે પશ્ચિમી તટ પર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને દમણ-દિવ પર લાગે છે. આ ઉપરાંત આંદામાન-નિકોબાર બંગાળની ખાડી અને લક્ષદ્વીપ અરબી સમુદ્રમાં છે. આ સ્થળોએ ભારતની અડધી વસતી રહે છે. દેશની કુલ વસતી 128 કરોડ છે, જેમાંથી 60 કરોડથી વધુની વસતી આ રાજ્યોમાં રહે છે.
કઈ રીતે રખાય છે સાઈક્લોનના નામ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.