તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડૂતો ફરીથી રસ્તા પર છે. તેનું કારણ ખેતી સાથે જોડાયેલા દોઢ મહિના પહેલાં બનેલા ત્રણ કાયદા. આ ત્રણ કાયદાના વિરોધમાં પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતો 26-27 નવેમ્બરે દિલ્હી ચલોની અપીલ સાથે દેખાવ કરવાની તૈયારીમાં છે. પંજાબના ખેડૂત સંગઠનનો દાવો છે કે, આ પ્રદર્શનમાં 1 લાખથી વધારે ખેડૂતો જોડાશે. પણ કેમ ખેડૂતો દિલ્હી જવા પર અડગ છે? તે ત્રણ કાયદા શું છે જેનો વિરોધ થઇ રહ્યો છે? આવો જાણીએ....
કેટલા રાજ્યોના ખેડૂતો સામેલ થઇ રહ્યા છે?
તેમાં મુખ્ય પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો સામેલ થઇ રહ્યા છે. મધ્ય પ્રદેશના ખેડૂતો પણ સામાજિક કાર્યકર્તા મેઘા પાટકરના નેતૃત્વમાં દિલ્હી પહોંચી રહ્યા છે. જો કે, ઉત્તર પ્રદેશમાં આગ્રામાં જ ખેડૂતોને રોક્યા અને મેઘા પાટકરની ધરપકડ કરી. એવું ચર્ચાઈ રહ્યું છે કે, ખેડૂત આંદોલનને આખા દેશમાંથી 500 સંગઠનોનું સમર્થન છે. ઓલ ઇન્ડિયા કિસાન સંઘર્ષ કો-ઓર્ડીનેશન કમિટી(AIKSCC)નું કહેવું છે કે, ખેડૂતોને જ્યાં પણ દિલ્હી જવાથી રોકવામાં આવશે, તેઓ ત્યાં જ બેસીને વિરોધ પ્રદર્શન કરશે.
ખેડૂતોનું આંદોલન કરવા પાછળનું કારણ શું છે?
મોદી સરકાર સંસદના છેલ્લા સત્રમાં ખેતી સાથે જોડાયેલા ત્રણ કાયદા લાવી હતી, આ ત્રણ કાયદા છે: કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020, ખેડૂતો (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020, આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020. આ ત્રણેય સંસદમાં પસાર થઇ ગયા છે અને કાયદો પણ બની ગયા છે. ભારતીય કિસાન યુનિયન હરિયાણાના અધ્યક્ષ ગુરનામ સિંહનું કહેવું છે કે, આ કાયદા ખેતી-ખેડૂતની કબર ખોદવા માટે બનાવ્યા છે. ત્રણ કાયદા પરત લેવા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.
સરકારનું શું કહેવું છે?
અત્યાર સુધી જે ખબર પડી છે તે પ્રમાણે, સરકાર ત્રણ કાયદાને પરત નહિ લે. સરકારનો દાવો છે કે આ કાયદા પાસ થવા એ એક ઐતિહાસિક નિર્ણય છે અને તેનાથી ખેડૂતોની જિંદગી બદલાઈ જશે. વડાપ્રધાન મોદીએ આ કાયદા આઝાદી પઢી ખેડૂતોને એક નવી આઝાદી આપવા માટે બનાવ્યા છે. મોદીનું કહેવું છે કે, ખેડૂતોને MSPનો ફાયદો મળવાની વાત ખોટી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ કાયદાને મહત્ત્વપૂર્ણ, ક્રાંતિકારી અને ખેડૂતો માટે ફાયદાકારક કહ્યા હતા.
જો કે, તેમની જ સરકારમાં સહયોગી રહેલા શિરોમણી અકાલી દળે આ કાયદાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અકાલી દળના સાંસદ અને કેબિનેટ મંત્રી હરસિમરત કૌરે આ કાયદાના વિરોધમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું. બાદમાં અકાલી દળ પણ NDAથી 22 વર્ષ બાદ અલગ થઈ ગયું
Barricades put up, Water Cannons used, Illegal Arrests made on eve of Constitution Day as farmers were coming to Delhi to ask for their Constitutional Rights.
— Yogendra Yadav (@_YogendraYadav) November 26, 2020
Govt should remember that people are supreme in a democracy and in the end they will prevail.#FarmersDilliChalo pic.twitter.com/xXw4fQouIT
શું છે તે ત્રણ કાયદા?
1. ખેડૂત વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020
આ કાયદામાં એક એવી ઇકોસિસ્ટમ બનાવવાની જોગવાઈ છે, જ્યાં ખેડૂતો અને વેપારીઓને બજારની બહાર પાક વેચવાની સ્વતંત્રતા રહેશે. કાયદામાં રાજ્યની અંદર અને બે રાજ્યોની વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી છે. તે ઉપરાંત માર્કેટિંગ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઓછો કરવાની વાત પણ આ કાયદામાં છે.
2. ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020
આ કાયદામાં કૃષિ કરાર (એગ્રીકલ્ચર એગ્રીમેન્ટ) પર નેશનલ ફ્રેમવર્કની જોગવાઈ કરવામાં આવી છે. તે કૃષિ ઉત્પાદનોના વેચાણ, ફર્મ સેવાઓ, કૃષિ બિઝનેસ ફર્મ, પ્રોસેસર્સ, જથ્થાબંધ વેપારીઓ અને રિટલરોની સાથે ખેડૂતોને જોડવામાં આવે છે. તેની સાથે ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણનો પુરવઠો, પાકના સ્વાસ્થ્ય પર નજર રાખવી, લોનની સુવિધા અને પાક વીમાની સુવિધા આપવાની વાત આ કાયદામાં છે.
3. આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020
આ કાયદામાં અનાજ, કઠોળ, તેલીબિયાં, ખાદ્ય તેલ, ડુંગળી અને બટેટાંને જરૂરી વસ્તુઓની લિસ્ટમાંથી દૂર કરવાની જોગવાઈ છે. સરકારના અનુસાર, તેનાથી ખેડૂતોને તેમના પાકની યોગ્ય કિંમત મળી શકશે કેમ કે, માર્કેટમાં હરીફાઈ વધશે.
આ 3 કાયદાઓ પર ખેડૂતોને શેનો ડર છે અને સરકારનો બચાવ શું છે?
1. ખેડૂત વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ 2020
2. ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ પરના કરાર બિલ 2020
3. આવશ્યક વસ્તુ (સંશોધન) બિલ 2020
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.