હરિયાણા સરકારે સરકારી કર્મચારીઓ પરનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ગતિવિધિઓમાં સામેલ થવા અંગેનો પ્રતિબંધ હટાવી લીધો છે. હરિયાણા સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક સર્ક્યુલર જારી કરીને તેની જાણકારી આપી છે.
સર્ક્યુલરમાં પ્રતિબંધ સાથે જોડાયેલા આદેશો પરત લઈ લીધા છે, જેના અંતર્ગત સરકારી કર્મચારીઓના RSSની ગતિવિધિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ લાગ્યો હતો. એટલે કે હવે હરિયાણા સરકારના કર્મચારી RSSની પ્રવૃતિઓમાં ખુલીને ભાગ લઈ શકશે.
આવો સમજીએ, હરિયાણા સરકારનો આ આદેશ શું છે? RSSની શાખાઓમાં જવા પરનો પ્રતિબંધ ક્યારે લગાવાયો હતો? પ્રતિબંધ લગાવવા પાછળનું કારણ શું હતું? અને અત્યારે કયા-કયા રાજ્યોમાં સરકારી કર્મચારીઓ પર આ પ્રકારનો પ્રતિબંધ છે?
સૌપ્રથમ હરિયાણા સરકારનો નિર્ણય સમજી લઈએ
હરિયાણાના સરકારી કર્મચારી હવે RSSની પ્રવૃતિઓમાં સામેલ થઈ શકશે. સરકારે 1967 અને 1980માં લગાવેલા પ્રતિબંધવાળા આદેશોને પરત લઈ લીધા છે. જો કે રાજનીતિમાં કર્મચારીઓના ભાગ લેવા પર, પ્રચાર કરવા અને વોટ માગવા પર હજુ પણ પ્રતિબંધ જારી રહેશે. 1967 અને 1980માં લગાવનારી સરકારોએ RSSને રાજકીય સંગઠન માન્યું હતું. જ્યારે RSS ખુદને સાંસ્કૃતિક સંગઠન કહે છે.
કેન્દ્રએ સરકારી કર્મચારીઓ પર આ પ્રકારનો પ્રતિબંધ ક્યારે લગાવ્યો હતો?
પ્રતિબંધ લગાવવાનું કારણ પણ જાણી લો
કેન્દ્ર સરકારે આદેશમાં સિવિલ સેવા (આચરણ) નિયમ, 1964નો હવાલો આપતા પ્રતિબંધ લગાવ્યો હતો. કહેવાયું હતું કે સરકારી કર્મચારીઓની ભાગીદારી આ નિયમોનું ઉલ્લંઘન કરે છે. જાણીએ સિવિલ સેવા (આચરણ) નિયમ, 1964 શું છે...
સિવિલ સેવા (આચરણ) નિયમ, 1964ના રૂલ-6 અનુસાર,
કોઈપણ સરકારી કર્મચારી કોઈ એવા સંગઠનમાં સામેલ નહીં થાય કે તેનો સભ્ય નહીં હોય, જેનો ઉદ્દેશ કે પ્રવૃતિઓ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા કે જાહેર વ્યવસ્થા કે નૈતિકતાની વિરુદ્ધ હોય.
કેન્દ્રની જનતા પાર્ટી સરકારે હટાવ્યો હતો પ્રતિબંધ
દેશમાં ઈમર્જન્સી હટ્યા પછી સામાન્ય ચૂંટણી થઈ. તેના પછી જનતા પાર્ટીની સરકાર બની. કેન્દ્રની નવી સરકારે સરકારી કર્મચારીઓ પર લાગેલા આ પ્રતિબંધને હટાવી દીધો પણ 1980માં કોંગ્રેસ સરકારે ફરીથી પ્રતિબંધ લાગુ કરી દીધો હતો.
હરિયાણા સરકારે કયા આધારે પ્રતિબંધ હટાવ્યો છે?
હરિયાણા સરકારના સામાન્ય વહીવટ વિભાગે પત્રમાં કહ્યું છે કે 1967, 1970 અને 1980માં પ્રથમ જારી કરેલા આદેશોને તત્કાળ અસરથી પરત લેવામાં આવે છે કેમકે તે હવે પ્રાસંગિક નથી.
કયા-કયા રાજ્યોમાં કર્મચારીઓ પર આ પ્રકારનો પ્રતિબંધ હજુ લાગુ છે?
કયા રાજ્ય આ પ્રતિબંધને હટાવી ચૂક્યા છે?
કોંગ્રેસે આ નિર્ણય પર શું કહ્યું છે?
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે હવે હરિયાણાના કર્મચારીઓને ‘સંઘ’ની શાખાઓમાં ભાગ લેવાની છૂટ. સરકાર ચલાવી રહ્યા છે કે ભાજપા-RSSની પાઠશાળા!
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.