તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બાળપણ
ગાંધીજીની માફક કસ્તુરબાનું જન્મસ્થળ પણ પોરબંદર. ગાંધીજીના પૈતૃક મકાન, જે હાલ કીર્તિમંદિર તરીકે વિખ્યાત છે ત્યાંથી તદ્દન નજીક કસ્તુરબાના પિતાનું મકાન હતું. કસ્તુરબાના પિતા કરિયાણાના સાધારણ વેપારી હતા. એ જમાનાની પરંપરા મુજબ માત્ર ૧૩ વર્ષની ઉંમરે કસ્તુરબાના વિવાહ મોહનદાસ કરમચંદ ગાંધી સાથે થઈ ચૂક્યા હતા. કસ્તુરબાના પરિવારની સરખામણીએ મોહનદાસનો પરિવાર ચડિયાતો અને સંપન્ન ગણાતો હતો. કસ્તુરબા એ વખતે તદ્દન નિરક્ષર હતાં.
ગાંધીથી ગાંધીજી સુધીના સહયાત્રી
મોહનદાસ ગાંધી વકિલાત માટે આફ્રિકા ગયા. તેમની સાથે પરદેશગમન કરનાર કસ્તુરબાએ મોહનદાસની દરેક પ્રવૃત્તિઓમાં સાથ આપ્યો. ટોલ્સ્ટોય ફાર્મના ફિનિક્સ આશ્રમ અંગે ગાંધીજીના વિચારોને સાકાર કરવામાં કસ્તુરબાનું પણ યોગદાન હતું. હિન્દીઓના પ્રશ્નો ઊઠાવવા ગાંધીજીએ આંદોલન કર્યું તેમાં પણ કસ્તુરબા સક્રિય રહ્યાં હતાં. મોહનદાસના ભારતગમન પછી પણ તેઓ સતત પડછાયો બની રહ્યા.
વણકહી વાત |
વ્હાલસોયા 'બા'
ભારત પરત ફર્યા પછી મોહનદાસ મહાત્મા ગાંધી બન્યા, તો કસ્તુરબા પણ ગાંધીજી સહિત સેંકડો અંતેવાસીઓ માટે વ્હાલસોયા બા બની રહ્યા. સ્વયં ગાંધીજી પણ તેમનાં માટે બાનું જ સંબોધન કરતાં હતા. અસહકારની ચળવળ હોય કે હરિજન પ્રવૃત્તિ, કસ્તુરબા દરેક કાર્યક્રમોમાં ગાંધીજીના મક્કમ સહયોગી બની રહ્યા અને કસ્તુરબાના માધ્યમથી, પોતાનાં ઘરમાંથી જ ઉદાહરણ આપીને ગાંધીજી સમગ્ર દેશની મહિલાઓને સ્વતંત્રતા આંદોલનમાં જોડવામાં સફળ થયા.
નિધન
ગાંધીજીના આગ્રહ મુજબ અત્યંત મુશ્કેલ જીવનવ્રતનું પાલન હસતાં મુખે કરતાં રહેલાં કસ્તુરબા પુણે ખાતે આગાખાન મહેલમાં નજરકેદ હતા ત્યારે તેમણે દેહ છોડ્યો.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.