તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હિંદુ પંચાંગ પ્રમાણે મહા મહિનાના સુદ પક્ષની એકાદશી મંગળવાર, 23 ફેબ્રુઆરીએ છે. તેને જયા, અજા અને ભીષ્મ એકાદશીના નામે ઓળખવામાં આવે છે. માન્યતા પ્રમાણે જે લોકો આ એકાદશીએ વ્રત કરે છે, વિષ્ણુ પૂજા કરે છે, તેમને જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ કર્મોથી છુટકારો મળી શકે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ એકાદશી સાથે જોડાયેલી ખાસ વાતો....
સ્કંદ પુરાણમાં એકાદશીનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છેઃ-
હિંદુ પંચાંગના એક મહિનામાં બે પક્ષ હોય છે. એક પક્ષમાં એક એકાદશી આવે છે. આ પ્રકારે 12 મહિનામાં કુલ 24 એકાદશી આવે છે. જ્યારે અધિકમાસ આવે છે ત્યારે 26 એકાદશી આવે છે. બધી એકાદશીનું મહત્ત્વ સ્કંદ પુરાણના એકાદશી મહાત્મ્ય અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે. એકાદશીએ વ્રત કરવામાં આવે છે અને વિષ્ણુ પૂજા પછી બ્રાહ્મણોને દાન આપવામાં આવે છે.
એકાદશીએ મહાલક્ષ્મી-વિષ્ણુજીની પૂજા જરૂર કરોઃ-
એકાદશીએ ભગવાન વિષ્ણુનું લક્ષ્મીજી સાથે પૂજન કરો. અભિષેક કરો. દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરો અને અભિષેક કરો. પૂજામાં ફળ-ફૂલ, ગંગાજળ, ધૂપ-દીપ અને પ્રસાદ અર્પણ કરો. દિવસમાં એક સમયે ફળાહાર કરો. રાતે ભગવાન વિષ્ણુ સામે દીવો પ્રગટાવો. ભગવાનના મંત્રનો જાપ કરો. બીજા દિવસે એટલે બારસના દિવસે કોઇ બ્રાહ્મણને દાન-દક્ષિણા આપો. તે પછી ભોજન ગ્રહણ કરો. આ વ્રતમાં કોઇપણ પ્રકારના ગરમ વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
એકાદશીએ આ શુભ કામ પણ કરી શકાય છેઃ-
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.