તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પોષ મહિનામાં ખાસ માનવામાં આવતી મૌની અમાસ 11 ફેબ્રુઆરીના રોજ છે, જ્યારે બીજા જ દિવસે એટલે 12 તારીખથી ગુપ્ત નોરતા શરૂ થઇ રહ્યા છે. ખાસ વાત એ છે કે સુદ પક્ષના દિવસો 15ની જગ્યાએ 16 દિવસના રહેશે. જ્યારે ગુપ્ત નવરાત્રિ આ વખતે 9ની જગ્યાએ દસ દિવસની રહેશે.
પંડિતોના મત પ્રમાણે સુદ પક્ષ અને ગુપ્ત નવરાત્રિમાં એક-એક દિવસ વધારે હોવું શુભ સંયોગ છે, જે મંગળકારી રહેશે. આ યોગમાં કરવામાં આવતી પૂજા, દાન-પુણ્ય અને ખરીદદારી વિશેષ ફળદાયી અને સમૃદ્ધિકારક રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે પોષ મહિનાની અમાસને મૌની અમાસ પણ કહેવામાં આવે છે. જે 11 ફેબ્રુઆરીના રોજ સૂર્યોદય સાથે જ શરૂ થઇ જશે. આ દિવસે મનુ ઋષિનો જન્મ દિવસ પણ ઊજવવામાં આવે છે. ઋષિઓ અને પિતૃઓને નિમિત્ત કરવામાં આવતી પૂજા, જલાર્પણ અને દાન કરવા માટે આ દિવસ ઉત્તમ ફળદાયી હોય છે. આ દિવસોમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની પણ પરંપરા છે.
12 ફેબ્રુઆરીથી મંદિરમાં વિશેષ આરાધના કરવી. મહા મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રિ 12થી 21 ફેબ્રુઆરી સુધી રહેશે. આ નવરાત્રિમાં દેવી મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. માતા દુર્ગાના અનેક ભક્ત નવ દિવસ ઉપવાસ રાખીને સપ્તશતી અને ચાલીસાનો પાઠ કરી વિવિધ પ્રકારની સાધનાઓ કરશે. આ નવરાત્રિ શક્તિની પૂજા માટે ખાસ માનવામાં આવે છે. પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે. તેમાં શારદીય અને ચૈત્ર નવરાત્રિ પ્રકટ અને મહા અને અષાઢમાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે.
ફેબ્રુઆરીમાં અમૃત સિદ્ધિ-પુષ્ય નક્ષત્રનો સંયોગઃ-
ગુપ્ત નવરાત્રિ દરમિયાન 16, 20 અને 25 ફેબ્રુઆરીએ અમૃત સિદ્ધિ યોગ અને 24 અને 25 ફેબ્રુઆરીએ પુષ્ય નક્ષત્રનો સંયોગ રહેશે. આ શુભ યોગમાં ઘરેણાં, વાહન, જમીન અને ભવનની ખરીદદારી અને વેચાણ કરવું ફાયદાકારક રહેશે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.