- Home
- Dharm Darshan
- Rituals
Know about Bhaidooj significance rituals and importance
કયા કારણથી ઊજવાય છે ભાઇબીજ, જાણો પૌરાણિક કથા

- ભાઇબીજની ઉજવણી પાછળનું કારણ શું છે?
જ્યાં નારીની પૂજા થાય, ત્યાં દેવતાઓ પણ વાસ કરે છે, એવું ભગવાન મનુ કહે છે. ભાઇબીજના દિવસે બહેન ભાઇને જમવા બોલાવીને પોતાનો ભ્રાતૃપ્રેમ વ્યક્ત કરે છે. ભાઇ બહેનને દક્ષિણા આપે કે વસ્ત્ર પ્રદાન કરે છે. ભાઇ-બહેન વચ્ચે, કોઇપણ નર-નારી વચ્ચે નિર્મળ પ્રેમની મધુરતા જળવાઇ રહે તેવા ઉદ્દેશથી આ તહેવાર ઉજવાય છે.
- ભાઇબીજની ઉજવણીની શરૂઆત ક્યારથી થઈ?
ઋગ્વેદના દશમા મંડળમાં યમ-યમીનો સંવાદ છે. યમ-યમી જોડકાં ભાઇ-બહેન છે. આમ છતાં, બહેન યમી પોતાના ભાઇ યમ સાથે પરણવા માંગે છે, પરંતુ ભાઇ યમે વિરોધ કરીને આવા અનૈતિક સંબંધને સ્વિકાર્યો નહીં. છેવટે યમીએ ભાઇની વાત સ્વીકારી. ભાઇ યમને બહેન યમીએ આમંત્રણ આપીને ભોજન કરાવ્યું. બંન્ને ભાઇ-બહેનના પ્રેમની ભાવના દ્રઢ થઈ. એ દિવસ હતો કાર્તક સુદ બીજ. ત્યારથી સમાજમાં ભાઇબીજની ઉજવણીની શરૂઆત થઈ.
- ભાઇબીજના દિવસે ભાઇ બહેનના ઘરે જમવા શા માટે જાય છે?
ભાઇબીજ તો ભાઇ-બહેન વચ્ચેના પ્રેમને વ્યક્ત કરવાનું પવિત્ર પર્વ છે. પુરાણ કથાઓ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણ અને પત્ની છાયાની પુત્રી યમુનાએ તેના ભાઇ યમરાજને પોતાના ઘરે જમવા બોલાવી ભાઇનો સત્કાર કર્યો. આ કારણે ભાઇબીજ 'યમદ્વિતીયા' તરીકે પણ ઓળખાય છે. જીવનભર બહેનનું રક્ષણ કરવાની ભાઇની પવિત્ર ફરજ છે. આવી ભાવના દ્રઢ કરવા ભાઇબીજે ભાઇ બહેનના ઘરે જમવા જાય છે.
- ભાઇબીજના દિવસે યમુના નદીમાં સ્નાનનું મહત્વ શા માટે છે?
ભાઇબીજ યમરાજા અને તેમની બહેન યમુનાનો તહેવાર છે. યમુનાને ભાઇ યમના આશિર્વાદ હતા કે, તારા કોઇ કાંઠે ભાઇબીજના દિવસે જે ભાઇ-બહેન સાથે સ્નાન કરશે, તેમને હું કષ્ટ નહીં આપું. આ કારણે ભાઇ-બીજના દિવસે યમુના સ્નાન કરવામાં આવે છે.
(માહિતી: પ્રો. ડો. મણિભાઈ પ્રજાપતિ, રાષ્ટ્રપતિ સન્માનિત સંસ્કૃત વિદ્વાન).
ગ્રહદશાવધુ
-
શનિવારે એક સાથે ચાર ખગોળીય ઘટનાનો સંયોગ
-
રવિવારથી સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થતા ધનારક કમુહૂર્તા શરૂ થશે
-
ગુરુવારે પુત્રદા એકાદશી, સંતાનપ્રાપ્તિ ઈચ્છતાં દંપતીએ આ વ્રત કરવું
રાશિ-ઉપાયવધુ
-
સૂર્યદેવના પુત્ર છે શનિ, મકર અને કુંભ રાશિના છે સ્વામી, દર શનિવારે તેમની વિશેષ પૂજા કરવાથી થઇ શકે લાભ
-
જેમની બર્થ ડેટ 2 અથવા 29 છે, તેઓને આ સપ્તાહમાં નુકસાન થઈ શકે છે, 8 અને 26 તારીખે જન્મનારને મળી શકે છે મોટી સફળતા
-
મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે મંગળ ગ્રહ, દર મંગળવારે કરવી જોઈએ આ ગ્રહની પૂજા
વાસ્તુશાસ્ત્રવધુ
-
ક્યારેય પીરસેલા ભોજનની નિંદા કરીને અન્નનું અપમાન ન કરશો, જમતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો?
-
ગર્ભવતી મહિલાના રૂમમાં લગાવો બાળ ગોપાળની કે કોઈ સુંદર બાળકની તસવીર, ઘરમાં કઈ દિશામાં લગાવવી કયા ભગવાનની તસવીર
-
જે ઘરોમાં વાસ્તુદોષ હોય ત્યાં રહેનાર લોકોના વિચારોમાં નકારાત્મકતા હોય છે, ઘરની અંદર જ નહીં, બહાર પણ રાખો સફાઈ