2023ના વર્ષની પહેલી અને પોષ મહિનાના સુદ પક્ષની એકાદશી 2 જાન્યુઆરીએટલે કે સોમવારે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર તેને પૌષ પુત્રદા એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જાણ્યે-અજાણ્યે કરેલા પાપમાંથી છુટકારો મળે છે. આ વ્રતથી તમને જે પુણ્ય મળે છે તે ક્યારેય સમાપ્ત થતું નથી.
સંતાન સુખ માટે આ વ્રત કરો
આ વ્રતને લઈને માન્યતા છે કે, આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ-વિધાન સાથે પૂજા કરવાથી નિઃસંતાન દંપતિઓને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. માત્ર નિઃસંતાન જ નહીં પરંતુ આ વ્રત કરવાથી સંતાન સાધકોના બાળકોને પણ તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં ધન-ધાન્યની કમી નથી રહેતી અને હંમેશા સુખ-શાંતિ રહે છે.
આવો જાણીએ... પૂજા વિધિ
આ દિવસે પૂજામાં વિષ્ણુજીની સાથે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની પણ પૂજા કરવી જોઈએ, જેથી કૃષ્ણ જેવું યોગ્ય બાળકનો જન્મ થાય. સવારે સૂર્યોદય સાથે સ્નાન વગેરે દિનચર્યા પુરી કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો.પૂજામાં વ્રતનો સંકલ્પ લેવો. પૂજામાં ભગવાનને પીળા ફળ, પીળા ફૂલ, પંચામૃત, તુલસી વગેરે અર્પણ કરો. પતિ-પત્નીએ સાથે મળીને ઉપવાસનું વ્રત કરવું જોઈએ અને પૂજા કર્યા પછી ભગવાનની આરતી કરવી જોઈએ અને બધામાં પ્રસાદ વહેંચવો જોઈએ.
એકાદશી કથા
પૌરાણિક કથાઅનુસાર, ભદ્રાવતી નગરીમાં સુકેતુ માન નામનો રાજા હતો. જેમને કોઈ સંતાન ન હતું, આ ચિંતામાં તે ખૂબ જ પરેશાન રહેતો હતો. એકવાર તે પોતાની સમસ્યાના ઉકેલની શોધમાં જંગલ તરફ એકલો ચલાવ લાગ્યો હતો. આજુબાજુ ભટકતો દુઃખી રાજા વિશ્વદેવ ઋષિઓના સાનિધ્યમાં પહોંચ્યો, જ્યાં તેને આ પુત્રદા એકાદશીનું મહત્વવ જાણવા મળ્યું. આ જાણીને તેણે આ વ્રત કર્યું અને આ વ્રત કરવાના પરિણામે તેમના ઘરે એક બાળકનો જન્મ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.