• Gujarati News
  • Dharm darshan
  • Along With The Body, The Mind Should Be Cleansed Daily With The Help Of High Thoughts, Otherwise The Mind Gets Trapped In Impurities

રામકૃષ્ણ પરમહંસનો સંદેશ:શરીરની સાથે જ મનને ઉચ્ચ વિચારોની મદદથી રોજ સાફ કરવું જોઈએ, નહીતર મન દૂષણોમાં ફસાઈ જાય છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રામકૃષ્ણ પરમહંસ સાથે જોડાયેલો પ્રસંગ છે. પરમહંસજીની એક આદત હતી કે તેઓ જે કામ કરે, તે ખૂબ જ ઈમાનદારીથી મન લગાવીને ચિંતામુક્ત થઈને કરતાં. પરમહંસજીના બધા શિષ્ય તેમની આ આદત વિશે સારી રીતે જાણતાં હતાં. પરમહંસજીની પાસે એક લોટો હતો. દરરોજ તેઓ પોતાના પોટાને 3-4 વાર ખૂબ જ સારી રીતે માંજતાં હતાં. આ લોટાથી જ તેઓ પાણી પીતાં હતાં. રોજ રાત્રે સૂતાં પહેલાં અને સવારે ઊઠ્યાં પછી પરમહંસજી લોટાને જરૂર સાફ કરતાં હતાં. તેઓ લોટાની સફાઈ એવી રીતે કરતાં કે લોટો અંદરથી ચમકવા લાગ્યો હતો. ​​​​​​​ મોટાભાગના શિષ્ય પરમહંસજીના આ કામ વિશે જાણતાં હતાં, બધાને આશ્ચર્ચ પણ થતું કે તેમના ગુરુજી એક લોટાને આ રીતે માંજે છે. એક દિવસ એક શિષ્યએ પરમહંસજીને તેનું કારણ પૂછ્યું. એ વખતે બધા શિષ્ય પણ ત્યાં જ હાજર હતાં. ​​​​​​​

પરમહંસજીએ એ શિષ્યને કહ્યું કે જ્યારે-જ્યારે હું આ લોટો સાફ કરું છું તો એવું માનીને કરું છું કે આ મારું મન છે. આ લોટામાં આખા દિવસમાં ઘણીવાર ધૂળ જામી જાય છે, જેને સાફ કરવી જરૂરી છે. આપણું મન પણ લોટા જેવું જ હોય છે. એની ઉપર પણ આખા દિવસમાં ઘણા વિચારોની ધૂળ જામતી હોય છે. પરંતુ મનને સારા વિચારોથી સાફ ન કરવામાં આવે તો ખરાબ વિચારોની ધૂળ જામી જતી હોય છે. શરીર તો આપણે રોજ સાફ કરીએ છીએ, તેની સાથે જ મનને પણ સાફ જરૂર કરવું જોઈએ. ખરાબ વિચારોને લીધે જ મન આપણી પાસે ખોટા કામ કરાવી શકે છે. એટલા માટે મનને રોજ સાફ કરતાં રહેવું જોઈએ.​​​​​​​

પ્રસંગની શીખ
પરમહંસજીએ આપણને શીખ આપી છે કે આપણા મનમાં લોભ, લાલચ, ક્રોધ, મોહ, કામવાસના, જેવા દૂષણો તરફ આકર્ષણ પેદા થતાં હોય છે. જો આ દૂષણ બાબતો દૂર ન કરવામાં આવે તો આપણું મન એક દિવસ આપણા દ્વારા ખોટા કામ કરાવી શકે છે. એટલા માટે મનને સારા વિચારોથી સાફ કરવું જોઈએ. ખરાબ વિચારોને સમાપ્ત કરવા જોઈએ, ત્યારે જ આપણે દૂષણોથી બચી શકીએ છીએ.