અનોખી પરંપરા:મહાસ્મશાનમાં આ રીતે કરવામાં આવે છે હોળીની ઉજવણી, રંગની બદલે રાખનો કરવામાં આવે છે ઉપયોગ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હિન્દૂ ધર્મમાં હોળી અને ધુળેટીનું અનેરું મહત્ત્વ છે, આ તહેવાર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. ભારતમાં અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ રીતે ધુળેટીની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે સાંભળ્યું હોય છે કે પાકા અને કાચા કલરથી જ રમવામાં આવે છે, પરંતુ ક્યારે પણ સાંભળ્યું છે કે, ચિતાની રાખમાંથી પણ હોળી રમવાની પરંપરા છે. કાશીમાં હોળીના 4-5 દિવસ પહેલાં મસાણ હોળી શરૂ થાય છે. આ માટે માત્ર દેશભરમાંથી જ નહીં, મોટી સંખ્યામાં વિદેશીઓ પણ અહીં મસાણ હોળી રમવા આવે છે. આ જ કારણ છે કે કાશી વિશ્વનાથ મંદિરની આસપાસ એકપણ હોટલ કે ગેસ્ટ હાઉસ ખાલી નથી.

ઉત્તર પ્રદેશના ઐતિહાસિક ધાર્મિક શહેર વારાણસીમાં, 'મસાણ હોળી' મણિકર્ણિકા ઘાટ પર ખૂબ જ ઉત્સાહથી રમવામાં આવે છે, જેને મહા સ્મશાન તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં શિવ ભક્તો ચિતાની રાખ સાથે હોળી રમે છે. શિવભક્તો ઘાટ પર સ્થિત મસાનનાથ મંદિરમાં ડમરુની ગૂંજ સાથે ભગવાન શિવની પૂજા કરે છે અને ભોલેનાથને ભસ્મ અર્પણ કરે છે અને બાદમાં એકબીજાને ચિતાની ભસ્મ વડે મસાન હોળી રમે છે.

મસાણ હોળીની આ ધાર્મિક પરંપરા
ધાર્મિક માન્યતા છે કે રંગભરની એકાદશીના બીજા દિવસે ભગવાન શિવ તમામ ગણો સાથે તમામ ભક્તોને દર્શન આપવા મણિકર્ણિકા ઘાટ પર આવે છે અને ભસ્મથી હોળી રમે છે કારણ કે લોકો માને છે કે શંકરને ભસ્મ ખૂબ જ પ્રિય છે અને તે પોતાની જાતને શણગારે છે. ભોલે બાબાએ તમામ દેવી-દેવતાઓ સાથે હોળી રમી હતી, પરંતુ આ હોળીના તહેવારમાં ભગવાન ભોલેનાથના પ્રિય ગણો, ભૂત-પ્રેતનો સમાવેશ થાય છે. ભૂત, પિશાચ, નિશાચર અને અદ્રશ્ય શક્તિઓ જોડાઈ ન શકી, આવી સ્થિતિમાં ભગવાન શિવ સ્વયં હોળી રમવા માટે મસાણ ઘાટ પર આવ્યા હતા.

આવો જાણીએ મસાણ મંદિરનો ઇતિહાસ
16મી સદીમાં જયપુરના રાજા માન સિંહે ગંગા નદીના કિનારે મણિકર્ણિકા ઘાટ ખાતે મસાણ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મણિકર્ણિકા ઘાટનો ઉલ્લેખ હિંદુ શાસ્ત્રોમાં પણ જોવા મળે છે અને અહીં દરરોજ 100 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, જેમાં 5,7,9 અને 11 મસાણ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે.અહીં પંચપલ્લવ એટલે કે પાંચ વૃક્ષોની છોકરીનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મસાણ હોળી પર હોળી રમવા માટે ખાસ કરીને 4000 થી 5000 કિલો લાકડા બાળવામાં આવે છે.

તો બીજી હોળી છે લઠ્ઠામાર હોળી
જાણો શું છે લઠ્ઠમાર હોળી

પૌરાણિક કથાઓ પ્રમાણે જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ યુવક હતા અને નંદગાવમાં રહેતાં હતા, એ સમયે તેમને બરસાણામાં રહેનારી રાધા સાથે પ્રેમ થઈ ગયો. હોળી પહેલાં શ્રીકૃષ્ણ પોતાના સાથીઓની સાથે બરસાણામાં હોળી રમવા ગયા તો રાધા સહિત બીજી ગોપીઓએ તેમને હંસી-ખેલમાં લાંઠીઓથી પીટવાનું શરૂ કર્યું. બીજી તરફ શ્રીકૃષ્ણ પોતાના સાથીઓની સાથે રાધા અને બીજી ગોપીઓની સાથે રંગ લગાવતા તો ક્યારેક તેમની લાઠીઓના વારથી બચતાં. ધીરે-ધીરે આ એક પરંપરા બની ગઈ અને તે આજે પણ ચાલી રહી છે. આ પરંપરામાં નંદગામના પુરુષો ભાગ લે છે જેને હરિયારે કહેવામાં આવે છે અને બરસાણાની મહિલાઓ ભાગ લે છે જેમને હરિયારને કહે છે.

જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાતો
પરંપરા પ્રમાણે હોળી પહેલાં બરસાણાની મહિલાઓ નંદગામ જઈને ત્યાંના ગોસ્વામી સમાજને બરસાણા આવીને હોળી રમવાનું નિમંત્રણ આપે છે. નક્કી કરેલાં સમયે નંદગામના હરિયારા પોતાના હાથમાં રંગ અને ઢાલ લઈને હોળી રમવા માટે બરસાણા ગામ આવે છે. અહીં તેઓ ગોપીઓને રંગ તો લગાવે જ છે, સાથે તેમની લાઠીઓના વારથી બચીને શ્રીજી મંદિરની ઉપર ધજા પણ લગાવતા હોય છે. આ મંદિર રાધારાણીનું છે. અહીં ધજા લગાવીને નંદગામના હરિયારા પોતાના ઘરે પાછા જાય છે.