16 નવેમ્બરના રોજ સૂર્ય વૃશ્ચિક રાશિમાં આવી ગયો છે. હવે તે 17 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે. તેનાથી દેશની અર્થવ્યવસ્થા અને વહીવટી કાર્યોમાં ફેરફાર થશે. જેથી થોડાં લોકોને નોકરી અને બિઝનેસમાં પ્રમોશન મળવાના યોગ છે. ત્યાં જ, થોડી રાશિના લોકોને તેનો આર્થિક ફાયદો પણ મળી શકે છે.
જ્યોતિર્વિજ્ઞાનમાં સૂર્યને બધા જ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્યની શુભ અસરથી સ્વાસ્થ્યને લગતી પરેશાની દૂર થાય છે. આત્મવિશ્વાસ વધે છે. સરકારી કાર્યો પૂર્ણ થઈ જાય છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળે છે. મોટાં લોકો અને અધિકારીઓ પાસેથી મદદ મળે છે અને સન્માન પણ વધે છે. સૂર્યની અશુભ અસરના કારણે નોકરી અને બિઝનેસમાં વિઘ્ન આવે છે. નુકસાન પણ થાય છે. મોટાં લોકો સાથે વિવાદ પણ થઈ શકે છે. આંખને લગતી પરેશાનીઓ થાય છે. માથાનો દુખાવો પણ થાય છે. કામકાજમાં વિઘ્ન આવે છે. વિવાદ અને તણાવ પણ રહે છે.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્યના રાશિ બદલવાથી મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકો માટે સારો સમય શરૂ થઈ જશે. આ સિવાય તુલા, કર્ક, વૃશ્ચિક, મીન અને વૃષભ રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. ત્યાં જ, મેષ, સિંહ અને ધન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.
મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકો માટે શુભ
મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકોને કિસ્મતનો સાથ મળી શકે છે. દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થવાના યોગ બનશે. અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે. વિચારેલાં મોટાં કામ પણ પૂર્ણ થઈ શકે છે. પ્રોપર્ટી અને આર્થિક મામલે ફાયદો આપનાર સમય રહેશે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે.
મીન સહિત 5 રાશિના લોકો માટે સામાન્ય સમય
સૂર્યના રાશિ બદલવાથી તુલા, કર્ક, વૃશ્ચિક, મીન અને વૃષભ રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિના લોકોના કામ તો પૂર્ણ થશે, પરંતુ મહેનત પણ વધારે રહેશે. ખર્ચ અને તણાવ વધી શકે છે. રોજિંદા કાર્યોમાં વિવાદની પરિસ્થિતિ બની શકે છે. સાથે જ, ધનલાભ પણ થઈ શકે છે. અનેક મામલે નક્ષત્રોનો સાથ મળી શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ થઈ શકે છે.
મેષ, સિંહ અને ધન રાશિના લોકો માટે મુશ્કેલીનો સમય
સૂર્યનું રાશિ પરિવર્તન થવાથી મેષ, સિંહ અને ધન રાશિના લોકોને જોબ અને બિઝનેસ માટે મુશ્કેલ સમય રહી શકે છે. વિવાદ અને તણાવ વધી શકે છે. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિવાદ થવાની શક્યતા છે. ધનહાનિ અને સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. નવા કામની શરૂઆત કરવાથી બચવું. ઉધાર લેશો નહીં. કામકાજમાં બેદરકારી અને ઉતાવળ કરવાથી પણ બચવું જોઈએ.
અશુભ પ્રભાવથી બચવા માટે શું કરવું
સૂર્યની અશુભ અસરથી બચવા માટે પીપળા અને મદારના ઝાડમાં પાણી નાખવું. શુભ ફળ વધારવા માટે સૂર્યોદય પહેલાં જાગીને સૂર્યને પ્રણામ કરો. તાંબાના વાસણથી સૂર્યને જળ ચઢાવવું. જે રાશિના જાતકો ઉપર સૂર્યની મિશ્રિત અસર પડશે તે લોકોએ પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને સૂર્યને ચઢાવવું જોઈએ. સૂર્યને લાલ ફૂલ ચઢાવવાં જોઈએ. જાસૂદના ફૂલ ચઢાવવાથી સૂર્યને લગતા દોષ દૂર થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.