તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
2021માં શનિ મકર રાશિમાં જ રહેશે. આખું વર્ષ આ ગ્રહ રાશિ બદલશે નહીં. પરંતુ આ વર્ષે શનિ 33 દિવસ સુધી અસ્ત રહેશે. ત્યાં જ, 141 દિવસ સુધી વક્રી પણ રહેશે. શનિની સીધી અસર 7 રાશિઓ ઉપર રહેશે. જેમાં 3 ઉપર સાડાસાતી, 2 ઉપર ઢૈય્યા અને અન્ય 2 ઉપર શનિની દૃષ્ટિ બની રહેશે.
શનિનું અસ્ત થવું શુભ મનાય છેઃ-
આ વર્ષે 12 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી શનિ મકર રાશિમાં અસ્ત રહેશે. આ 33 દિવસોમાં સૂર્ય અને શનિ એક જ રાશિમાં રહેશે. જ્યોતિષ ગ્રંથોમાં શનિનું અસ્ત થવું શુભ માનવામાં આવે છે. અસ્ત થઇ જવાથી શનિની અશુભ અસરમાં ઘટાડો આવી જશે. આ દિવસ સાડાસાતી ધરાવતાં લોકો માટે સારા કહેવામાં આવી શકે છે. એટલે ધન, મકર અને કુંભ રાશિઓના લોકો ઉપર શનિની અશુભ અસર ઓછી થઇ જશે. ત્યાં જ, ઢૈય્યાથી પીડિત કર્ક અને તુલા રાશિના લોકો માટે પણ રાહતનો સમય કહી શકાય છે.
શનિ વક્રી ચાલથી મુશ્કેલીઓ વધી શકે છેઃ-
23 મેથી 11 ઓક્ટોબર સુધી શનિ મકર રાશિમાં જ વક્રી રહેશે. વક્રી એટલે પૃથ્વીથી એવો જોવા મળશે જેમ કે, તે ખૂબ જ ધીમો કે પાછળ ચાલી રહ્યો હોય. 141 દિવસ સુધી શનિની આવી સ્થિતિની અસર પણ બધી રાશિઓ ઉપર પડશે. શનિના વક્રી થઇ જવાથી અનેક લોકોને નુકસાન થઇ શકે છે, પરંતુ સાડાસાતી અને ઢૈય્યાની રાશિઓ ઉપર ખાસ તેની અસર જોવા મળશે. આ રાશિઓના લોકોની પરેશાનીઓ વધી શકે છે. આ દિવસોમાં ઈજા, દુર્ઘટના અને ધનહાનિ પણ થવાના યોગ બનશે.
7 રાશિઓ ઉપર શનિદેવની સીધી અસર રહેશેઃ-
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.