જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તન એટલે કે ગોચર પરથી દરેક રાશિના જાતક તેમજ દેશ-દુનિયા પર આવનારા પરિવર્તનનો અભ્યાસ કરી શકાય છે. આ ઉપરાંત તેમની પરિસ્થિતિનો અંદાજો પણ લગાવી શકાય છે. આ કારણોસર સમયાંતરે થતા ગ્રહોના રાશિ પરિવર્તન દ્વારા સમગ્ર માનવજીવન પર થનારી અસરો વિશે જણાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. એપ્રિલ મહિનામાં નવે-નવ ગ્રહોએ રાશિ પરિવર્તન કર્યું છે. સામાન્યત: સૂર્ય, બુધ, શુક્ર તો ટૂંકાગાળામાં જ રાશિ બદલી નાખતા હોય છે. પરંતુ અન્ય ગ્રહોનાં રાશિ પરિવર્તનનો સમય ઘણો વધારે હોય છે.
ગયા મહિને ઘણાં ગ્રહોએ રાશિ પરિવર્તન કર્યું છે. આ સાથે જ આ વર્ષનું સૂર્યગ્રહણ 30 એપ્રિલે થઇ ચૂક્યું છે. આ બધી જ ઘટનાઓ નજીકના ગાળામાં થવાથી દેશ-દુનિયા તથા લોકોના જીવનમાં ઘણા બદલાવો તરફ સંકેત કરે છે.
ગ્રહ | પહેલાની રાશિ | હાલની રાશિ | ગોચરની તારીખ |
સૂર્ય | મીન | મેષ | 14 એપ્રિલ |
બુધ | મીન | મેષ | 8 એપ્રિલ |
બુધ | મેષ | વૃષભ | 25 એપ્રિલ |
શુક્ર | કુંભ | મીન | 27 એપ્રિલ |
મંગળ | મકર | કુંભ | 7 એપ્રિલ |
ગુરુ | કુંભ | મીન | 13 એપ્રિલ |
શનિ | મકર | કુંભ | 29 એપ્રિલ |
રાહુ | વૃષભ | મેષ | 12 એપ્રિલ |
કેતુ | વૃશ્ચિક | તુલા | 12 એપ્રિલ |
સૌપ્રથમ સૂર્યની વાત કરીએ તો 14 એપ્રિલે મીન રાશિમાંથી મેષ રાશિમાં ગોચર કર્યું છે. આ પહેલાં બુધ ગ્રહએ પણ 8 એપ્રિલે મીનમાંથી મેષ રાશિમાં અને ફરી 25 એપ્રિલે મેષમાંથી વૃષભ રાશિમાં ગોચર કર્યું છે. આ સાથે જ શુક્રએ પણ 27 એપ્રિલે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. મંગળે પણ 7 એપ્રિલે મકરમાંથી કુંભ રાશિમાં ગોચર કર્યું છે. ગુરુ દર વર્ષે રાશિ બદલે છે. તેણે પણ 13 એપ્રિલે કુંભમાંથી સ્વરાશિ મીનમાં ગોચર કર્યું છે. દર અઢી વર્ષે રાશિ બદલતા અને સૌથી ધીમા ગ્રહ મનાતા શનિએ પણ 29 એપ્રિલના રોજ મકરમાંથી સ્વરાશિ કુંભમાં પ્રવેશ કર્યો છે. સદૈવ વર્કી એટલે ઊંધા ચાલતા છાયા ગ્રહો રાહુ અને કેતુએ પણ 12 એપ્રિલે ક્રમશઃ વૃષભમાંથી મેષ અને વૃષિકમાંથી તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે.
હવે વાત રાશિ પરિવર્તનથી થતી અસરો વિશે વિગતે વાત કરીએ
આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી અનુજ પંડ્યા(modernsage108@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.