સોમવારનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, તમારી લોકપ્રિયતા ચરમસીમાએ રહેશે અને તમે અનેક લોકો પર પ્રભાવ પાડી શકો છો. જો તમે અધિકારીઓની સાથે ટકરાવથી બચીને રહેશો, તો તમે વ્યાવસાયિક ક્ષેત્ર સાથે જોડાયેલી પ્રગતિ કરી શકશો. તમારા દુશ્મનો તમારું કશું જ બગાડી નહીં શકે.
શું કરવું - હનુમાન ચાલીસાનો પાઠ કરો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
-----------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, આજે યોજનાઓને પૂર્ણ રૂપમાં ક્રિયાન્વિત કરી શકો છો અને તે તમને લાભદાયક પરિણામ આપી શકશે. નોકરીયાત જાતકોને કાર્યસ્થળ પર પોતાના કાર્ય અને કર્તવ્યનિષ્ઠા માટે યોગ્ય પ્રશંસા અને સન્માન પ્રાપ્ત કરી શકો છો.
શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
-----------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, તમારા પ્રયાસો ફળ આપશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. તમે એક નવી ભાગીદારી કે એસોશિએશનમાં પ્રવેશ કરી શકો છો. તમારો સામાજિક દાયરો વધશે અને તમે કેટલાક મહત્વના કનેક્શન સ્થાપિત કરી શકશો. તમારા વિચારો અને કાર્યશૈલીની પ્રશંસા થશે.
શું કરવું - માતા લક્ષ્મીની પૂજા કરો.
શુભ રંગઃ- બાદામી
શુભ અંકઃ- 11
-----------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, આજે તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. વ્યાવસાયિક સંદર્ભમાં મહત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરી શકો છો. જો તમે ઉચ્ચ અધ્યયન કે નોકરી માટે વિદેશ જવા ઈચ્છતા હો તો તમે નિરાશ ન થશો. તમે પ્રભાવશાળી લોકો સાથે મળશો.
શું કરવું - માતા-પિતાના આશીર્વાદ લો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 2
-----------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, તમને અધિકારીઓનો પૂરો સહયોગ મળશે અને તમારી આવક, વેપાર અને બીજા ઉપક્રમો આગળ વધારી શકશો. જો તમે નોકરીયાત છો, તો તમે આવક વધારો કે પદોન્નતિ પ્રાપ્ત કરી શકો છો. તમે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો. જેનાથી તમને સામાજિક લોકપ્રિયતા મળી શકે છે.
શું કરવું - ગુરુજન કે વડીલોના આશીર્વાદ લો.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 9
-----------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, સાહિત્ય, કલા, લેખન, સંગીત, ફિલ્મો કે ખેલ જેવા રચનાત્મક ક્ષેત્રો સાથે જોડાયેલ લોકોને પોતાની પ્રતિભા પ્રમાણે પ્રદર્શન કરવાની તક મળશે અને આકર્ષક સૌદા હાથ લાગી શકે છે. તમે યશ અને કિર્તિ પ્રાપ્ત કરી શકો છો. તમારા કામ અને વ્યવસાયમાં હકારાત્મક વિકાસ થશે.
શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.
શુભ રંગઃ- આસમાની
શુભ અંકઃ- 21
-----------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, આજે તમારા સહકર્મી સમૂહની વચ્ચે તમારી લોકપ્રિયતામાં વધારો થઈ શકે છે. વ્યાવસાયિક રીતે વસ્તુઓ સુચારું રહેશે અને તમને સારી પ્રગતિ પ્રાપ્ત થશે. તમારી આવક વધશે અને તમને આર્થિક લાભ પણ પ્રાપ્ત કરીને નવા રસ્તાઓ પણ ખુલશે.
શું કરવું - ગણેશજીને મોદકનો ભોગ લગાવો.
શુભ રંગઃ- ક્રીમ
શુભ અંકઃ- 16
-----------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, નોકરીયાત જાતકો માટે સમય અનુકૂળ નથી. અજ્ઞાત લોકો સાથે વ્યવહાર કરતી વખતે સાવધાન રહેજો. સંચારી બનો અને પોતાને આરામ આપવા માટે થોડો સમય ફાળવો. પોતાના કામને પોતાના પરિવારના સમયમાં બાધા ન બનવા દો.
શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.
શુભ રંગઃ- બ્રાઉન
શુભ અંકઃ- 7
-----------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, વ્યાવસાયિક સંદર્ભમાં આશાવાદી દ્રષ્ટિકોણની સાથે કાર્યસ્થલે તમે ખૂબ જ ઊર્જાવાન રહેશો. તમે તમારા વ્યવહારમાં અત્યધિક સફળ થશો અને ગ્રાહકોની સાથે સ્થાયી સંબંધો બનાવશો. તમે પોતાની યોગ્યતાને સાબિત કરવા માટે સારી તકોનો લાભ ઊઠાવશો.
શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 3
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.