• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Number 5 Natives Can Get Promotion By Increasing Income And Work With The Help Of Officials, What Will Be The Fate Of Other Numbers?

શુક્રવારનું અંકફળ:અંક 5ના જાતકો અધિકારીઓના સહયોગથી આવક અને કામને આગળ વધારીને પદોન્નતિ મેળવી શકે છે, બીજા અંકોનું કેવું રહેશે ભાગ્ય?

4 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવાર, 17 માર્ચનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.

અંકઃ- 1

ગણેશજી કહે છે કે, તમારી લોકપ્રિયતા ચરમસીમા પર રહેશે અને તમે બીજા પર વધુ પ્રભાવ પાડશો. જો તમે અધિકારીઓની સાથે ટકરાવથી બચી રહેશો તો તમે વ્યાવસાયિક ક્ષેત્રમાં સારી પ્રગતિ કરી શકો છો. તમારા દુશ્મનો તમારું કશું જ નહીં બગાડી શકે.

શું કરવું - હનુમાન ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

------------------------------------

અંકઃ- 2

ગણેશજી કહે છે કે, આજે યોજનાઓને પૂર્ણ રૂપે ક્રિયાન્વિત કરી શકો છો અને તે તમને લાભદાયક પરિણામ આપશે. નોકરીયાતોને કાર્યસ્થળે પર તમે તમારા કાર્યો અને કર્તવ્યનિષ્ઠતા માટે ઉચિત પ્રશંસા અને સન્માન પ્રાપ્ત કરી શકો છો.

શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

------------------------------------

અંકઃ- 3

ગણેશજી કહે છે કે, તમારા પ્રયાસ ફળ આપશે અને તમારો આત્મવિશ્વાસ વધારશે. તમે એક નવી ભાગીદારી કે એસોશિએશનમાં પ્રવેશ કરી શકો છો. તમારો સામાજિક દાયરો વધશે અને તમે કેટલાક મહત્વપૂર્ણ કનેક્શન સ્થાપિત કરી શકશો. તમારા ઉપન્યાસ વિચારો અને કાર્યશેલીની પ્રશંસા થશે.

શું કરવું - માતા લક્ષ્મીની પૂજા કરો.

શુભ રંગઃ- બાદામી

શુભ અંકઃ- 11

------------------------------------

અંકઃ- 4

ગણેશજી કહે છે કે, આજે તમારી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. વ્યાવસાયિક સંદર્ભમાં મહત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરી શકો છો. જો તમે ઉચ્ચ અધ્યયન કે નોકરી માટે વિદેશ જવા ઈચ્છતા હો તો તમે નિરાશ નહીં થશો. તમે કેટલાક પ્રભાવશાળી લોકોને મળી શકો છો.

શું કરવું - માતા-પિતાના આશીર્વાદ લો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

------------------------------------

અંકઃ- 5

ગણેશજી કહે છે કે, તમને અધિકારીઓનો પૂર્ણ સહયોગ મળશે અને તમારી આવક, વેપાર અને બીજા ઉપક્રોમોથી ઘણા આગળ વધશે. જો તમે નોકરીયાત છો તો તમે આવક વધારો અને પદોન્નતિ પ્રાપ્ત કરી શકો છો. તમે કેટલાક ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ શકો છો જેના કારણે તમારી સામાજિક લોકપ્રિયતા વધશે.

શું કરવું - ગુરુજન કે વડીલોના આશીર્વાદ લો

શુભ રંગઃ-લીલો

શુભ અંકઃ- 9

------------------------------------

અંકઃ- 6

ગણેશજી કહે છે કે, સાહિત્ય, કલા, લેખન, સંગીત, ફિલ્મો કે રમત જેવા રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરવાની તક મળશે અને આકર્ષક સૌદા પણ હાથ લાગી શકે છે. તમે પોતાની માટે યશ તથા કીર્તિ પણ અર્જિત કરી શકશો. તમારા કામ અને વ્યવસાયમાં હકારાત્મક વિકાસ થશે.

શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.

શુભ રંગઃ-આસમાની

શુભ અંકઃ- 21

------------------------------------

અંકઃ- 7

ગણેશજી કહે છે કે, આજે તમારા સહકર્મી સમૂહની વચ્ચે તમારી લોકપ્રિયતામાં વધારો થઈ શકે છે. વ્યાવસાયિક રીતે જે વસ્તુઓ સુચારુ રહેશે અને તમને સારી પ્રગતિ પ્રાપ્ત થશે. તમારી આવાક વધશે અને તમને આર્થિક લાભ પ્રાપ્ત કરવામાં નવીન રસ્તાઓ પણ મળશે.

શું કરવું - ગણેશજીને મોદકનો ભોગ લગાવો.

શુભ રંગઃ- ક્રીમ

શુભ અંકઃ- 16

------------------------------------

અંકઃ- 8

ગણેશજી કહે છે કે, નોકરીયાત જાતકો માટે સમય અનુકૂળ નથી. અજ્ઞાતની સાથે વ્યવહાર કરતી વખતે સાવધાન રહો. સંચારી બનો અને પોતાને આરામ આપવા માટે સમય કાઢો. પોતાના કામને પોતાના પરિવારના સમયમાં બાધા ન બનવા દો.

શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.

શુભ રંગઃ- બ્રાઉન

શુભ અંકઃ- 7

------------------------------------

અંકઃ- 9

ગણેશજી કહે છે કે, વ્યાવસાયિક સંદર્ભમાં આશાવાદી દ્રષ્ટિકોણની સાથે કાર્યસ્થળ પર તમે ખૂબ જ ઊર્જાવાન રહેશો. તમે પોતાના વ્યવહારમાં અત્યધિક સફળ થશો અને ગ્રાહકોની સાથે સ્થાયી સંબંધ બનાવશો. તમે પોતાની યોગ્યતાને સાબિત કરવા માટે શ્રેષ્ઠ તકોનો લાભ ઊઠાવશો.

શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 3