સૂર્યનું આજથી 30 દિવસનું ભ્રમણ:નેતાઓ વાદવિવાદમાં ફસાય; પ્રજા રાજકીય કાવાદાવાનો ભોગ બને, 12માંથી 10 રાશિ માટે આ પરિભ્રમણ અશુભ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજથી સૂર્ય ગ્રહનું 30 દિવસ સુધી વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ: પાણીજન્ય-ચેપીરોગ, નેત્રપીડાનાં દર્દો વધે

ગ્રહ મંડળનો રાજા સૂર્ય બુધવારે સાંજે 7.16 વાગ્યાથી વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. આ પરિભ્રમણ 30 દિવસનું રહેશે. વૃશ્ચિક રાશિનું મૂળભૂત કારકત્વ યાદશક્તિ, ભવિષ્યમાં બદલાની ભાવના, વેરભાવના, ડંખી સ્વભાવ, કંઈક અંશે છૂપો ઘમંડ તથા આંતરિક ગુસ્સાવાળીવાળી પ્રકૃતિ છે. આરોગ્યની દૃષ્ટિએ મહત્ત્વના ગણાતા સૂર્યનું આ પરિભ્રમણ નૈસર્ગિક કુંડળીથી 8મા ભાવેથી પસાર થવાને કારણે આ સમયગાળામાં પાણીજન્ય રોગો, નેત્રરોગો, ચામડીનાં દર્દો કે ચેપીરોગો થવાની સંભાવના છે. વિશેષમાં આગ, અકસ્માત, શોર્ટસર્કિટના અશુભ બનાવો પણ વધી શકે! ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં રાજકીય મહાનેતાઓ અનેકવિધ બાબતોમાં વાદવિવાદમાં સપડાય, તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકીય કાવાદાવાનો પ્રજા ભોગ બની શકે, તેમ એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશનના પ્રણેતા જ્યોતિષી આશિષ રાવલે જણાવ્યું હતું.

બારમાંથી 10 રાશિ માટે આ પરિભ્રમણ અશુભ સાબિત થશે
બારમાંથી 10 રાશિ માટે આ પરિભ્રમણ અશુભ સાબિત થશે
  • મેષઃ- માથાના ભાગે વાગવાની સંભાવના. નાનામોટા વાદ-વિવાદથી બચવું.
  • વૃષભઃ- જીવનસાથી કે ભાગીદાર સાથે અકારણ ઝઘડા થઈ શકે. કાલ્પનિક ભયથી પીડા થાય, સ્વભાવ ઉગ્ર બને.
  • મિથુનઃ- અજાતશત્રુ પર વિજય. પદ-પ્રતિષ્ઠા, માન-સન્માન વધે. નજીકનાં સગાં મારફતે ભેટ મળી શકે.
  • કર્કઃ- સંતાનોના શિક્ષણ તેમજ આરોગ્યની ચિંતા રહે. વડીલ મિત્રોથી શુભ સમાચાર મળે.
  • સિંહઃ- નજીકનાં સગાં મારફતે વિક્ષેપોને કારણે તણાવ રહેશે. વડીલોની ચિંતા સતાવી શકે. વાહન અકસ્માત સંભવ.
  • કન્યાઃ- કબજિયાતને લગતી બીમારી થઈ શકે. જૂનાં કાર્યોમાં સફળતા મળે.
  • તુલાઃ- આકસ્મિક ખર્ચામાં વધારો થાય. બિનજરૂરી આગ્રહ નુકસાન પહોંચાડે. નજીકનાં સગાંના નિધન સમાચાર મળી શકે.
  • વૃશ્ચિકઃ- કોર્ટકચેરીનાં બંધન આવી શકે. ટૂંકી મુસાફરી લાભદાયી નીવડે. નકારાત્મક વિચારો ટાળવા.
  • ધનઃ- ડાયાબિટીસ વધી શકે. સરકારી બાકી નાણાં તાત્કાલિક મળે. શેરબજારમાં રોકાણો કરવાથી લાંબા ગાળે ફાયદો થાય.
  • મકરઃ- લગ્નોત્સુક યુવાનોને પસંદગીનું પાત્ર મળે. બાકી ઉધરાણીના પૈસા મળી શકે. નોકરીમાં બઢતી મળી શકે.
  • કુંભઃ- અટકેલાં કાર્યમાં સફળતા મળે. માતા તરફથી શુભ સમાચાર મળે.
  • મીનઃ- મહત્ત્વની કામગીરીમાં સફળતા અટકે. નજીકના મિત્રોથી નુકસાન સંભવ. તળિયાને લગતી તકલીફ આવી શકે.
મંગળની રાશિમાં સૂર્યના પ્રવેશથી 15 ડિસેમ્બર સુધી અનેક લોકો માટે સમય કષ્ટપૂર્ણ રહેશે
મંગળની રાશિમાં સૂર્યના પ્રવેશથી 15 ડિસેમ્બર સુધી અનેક લોકો માટે સમય કષ્ટપૂર્ણ રહેશે

વૃશ્ચિક સંક્રાંતિનું મહત્ત્વ
બુધવારે આ સંક્રાંતિ હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. આ સંક્રાંતિ ધાર્મિક વ્યક્તિઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૃશ્ચિક સંક્રાંતિના વિશિષ્ઠ પૂજન અને ઉપાયથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું નિદાન થાય છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં અને કરિયરમાં સફળતા મળે છે.

  1. સંક્રાંતિના દિવસે દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે. જેથી ઘણાં લોકો આ દિવસે ગરીબોને ખાન-પાનની વસ્તુઓનું દાન કરે છે.
  2. વૃશ્ચિક સંક્રાંતિના દિવસે સ્નાન, વિષ્ણુપૂજા અને દાનનું ખાસ મહત્ત્વ હોય છે. આ દિવસે શ્રાદ્ધ અને પિતૃ તર્પણનું પણ ખાસ મહત્ત્વ હોય છે.
  3. વૃશ્ચિક સંક્રાંતિના દિવસના 16 કલાકને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન દાન કરવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે.
  4. આ દાન સંક્રાંતિકાળમાં કરવું શુભ મનાય છે. વૃશ્ચિક સંક્રાંતિમાં બ્રાહ્મણને ગાય દાન કરવાનું ખાસ મહત્ત્વ હોય છે.
આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન અને ત્યાર બાદ સૂર્ય પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે.
આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન અને ત્યાર બાદ સૂર્ય પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે.

પૂજા વિધિ

  • સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું અને ત્યાર બાદ સૂર્યદેવની પૂજા કરવી જોઇએ.
  • પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને તાંબાના લોટાથી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ. સાથે જ, રોલી અને સિંદૂર મિશ્રિત જળથી સૂર્યદેવને અર્ધ્ય આપવું.
  • ઘીમાં લાલ ચંદન મિક્સ કરીને લાલ દીવો પ્રગટાવવો. સૂર્યદેવને લાલ ફૂલ અર્પણ કરવું.
  • ગૂગળની ધૂપ કરો, રોલી, કેસર, સિંદૂર વગેરે અર્પણ કરવું જોઇએ.
  • ગોળથી બનેલાં હલવાનો ભોગ ધરાવો અને લાલ ચંદનની માળાથી “ॐ दिनकराय नमः” મંત્રનો જાપ કરો.
  • પૂજા બાદ નૈવેદ્ય ધરાવો અને તેને પ્રસાદ સ્વરૂપે બધામાં વહેંચો.

વૃશ્ચિક સંક્રાંતિનું ફળ
સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશથી ખોટાં કામ વધી શકે છે. ચોર અને ભ્રષ્ટાચારી લોકો વધવાની સંભાવના છે. વસ્તુઓની માંગ વધી શકે છે. મંગળની રાશિમાં સૂર્યના પ્રવેશથી 15 ડિસેમ્બર સુધી અનેક લોકો માટે સમય કષ્ટપૂર્ણ રહેશે. અનેક લોકો ઉધરસ અને ઠંડીથી પીડિત રહી શકે છે. આંતરાષ્ટ્રીય સ્તર પર પણ સૂર્યની અશુભ અસર જોવા મળી શકે છે. રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષ વધી શકે છે. આસપાસના દેશો સાથે ભારતના સંબંધ તણાવપૂર્ણ બની શકે છે.

આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...