શુક્રવાર, 2 ડિસેમ્બરનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- આર્થિક મામલાઓ સાથે જોડાયેલી કોઈ યોજના ઉપર કામ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે. આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ લાભદાયી વાતાવરણ બનાવી રહી છે.
શું કરવુંઃ- ગુરુજન કે વડીલ લોકોના આશીર્વાદ લો.
શુભ રંગઃ- જાંબુડિયો
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-2
જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે
ગણેશજી કહે છે કે- આજે અચાનક કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. એકબીજા સાથે મુલાકાત અને વાતચીત થવાથી મુખ્ય વાતો સામે આવી શકે છે. આર્થિક સ્થિતિ સંતોષજનક સાબિત થઈ શકે છે. રોકાણ કરતી સમયે સાવધાની જાળવી રાખવાની જરૂરિયાત છે.
શું કરવુંઃ- કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરો
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-3
જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે
ગણેશજી કહે છે કે- આજે થોડાં અટવાયેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે એટલે પોઝિટિવ રહો અને પોતાના કાર્યો ઉપર ધ્યાન આપો. લાંબા સમયથી અટવાયેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે.
શું કરવુંઃ- માતા-પિતાના આશીર્વાદ લો
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-4
જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે
ગણેશજી કહે છે કે- જો તમે કાર કે સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો, તો આજે તેના અંગે ગંભીરતાથી વિચાર કરો. ગ્રહ સ્થિતિ આજે શુભ છે. સાથે જ કોઈ અનુભવી વ્યક્તિની સલાહ તમારા માટે ઠીક રહેશે.
શું કરવુંઃ- હનુમાનજીને સિંદૂર ભેટ કરો
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-5
જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે
ગણેશજી કહે છે કે- આજે તમારા દ્વારા લેવામાં આવેલો નિર્ણય યોગ્ય સાબિત થશે. અન્ય લોકો શું કહી રહ્યા છે તેના ઉપર ધ્યાન આપવાની જગ્યાએ પોતાની કાર્યકુશળતા ઉપર વિશ્વાસ રાખો. જો કોઈ સંબંધી સાથે વિવાદ ચાલી રહ્યો હોય તો તેને ઉકેલવાનો યોગ્ય સમય છે.
શું કરવુંઃ- ગૌ માતાને લીલું ઘાસ ખવડાવો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-6
જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે
ગણેશજી કહે છે કે- આજે તમે આરામ કરવાના મૂડમાં રહેશો. મોજ-મસ્તીમાં સમય ભલે પસાર થઈ જાય પરંતુ તમે તમારા જરૂરી કાર્યો સમયે પૂર્ણ કરી લેશો. લક્ષ્ય પસંદ કરતી સમયે સાવધાન રહો.
શું કરવુંઃ- માછલીઓને લોટની ગોળી ખવડાવો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-7
જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે
ગણેશજી કહે છે કે- પરિવાર અને સમાજ વચ્ચે તમારું માન જળવાયેલું રહેશે. ઘરેલૂ જરૂરિયાતો અને સુધાર કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો. આજે તમે દરેક પ્રકારના અંગત કાર્યોમાં વ્યસ્ત રહેશો. પરિવાર સાથે સુખમય સમય પસાર થશે.
શું કરવુંઃ- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.
શુભ રંગઃ- રીંગણી
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-8
જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે
ગણેશજી કહે છે કે- દિવસ ઉત્તમ છે. તમે લોકોની ચિંતા કર્યા વિના તમારા કામ કરતાં રહેશો. સંતાન તરફથી શુભ સમાચાર મળશે. વિદ્યાર્થી અને યુવા આ સમયે પોતાના કામ અને લક્ષ્યને પ્રાર્થમિકતા આપશે.
શું કરવુંઃ- માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો
શુભ રંગઃ- નારંગી
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-9
જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે
ગણેશજી કહે છે કે- તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. ભાઈઓના સહયોગથી તમારું કોઈ કામ યોગ્ય રીતે બની શકે છે. જે વિદ્યાર્થી શોધ કાર્ય કરવાની કોશિશ કરી રહ્યા છે તેમના માટે આ એક સારી સ્થિતિ બની શકે છે.
શું કરવુંઃ- ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 1
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.