આજે બપોરે 3.57 વાગ્યે ગુરુ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં 12 મહિના સુધી રહ્યા બાદ આ ગ્રહ આવતા વર્ષે 22 એપ્રિલ 2023ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુના રાશિ બદલવાથી શનિ-ગુરુનો યોગ દૂર થઇ જશે. જેથી તેની અશુભ અસર પણ ઘટી જશે. ગુરુના રાશિ પરિવર્તનથી દેશમાં મોટા રાજનૈતિક ફેરફાર થવાના પણ યોગ બનશે.
ધર્મ, શિક્ષા અને બેંકિંગ સાથે જોડાયેલાં મોટા નિર્ણય
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે શનિની રાશિ કુંભમાંથી બહાર આવ્યાં પછી ગુરુના શુભ પ્રભાવથી શિક્ષા, રોજગાર, કળા, સંસ્કૃતિ, બેંકિંગ અને અધ્યાત્મના ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહેશે. શનિ-ગુરુના કારણે ફેલાયેલ બીમારીઓનું સંક્રમણ લગભગ ઘટવા લાગશે. ધર્મ, શિક્ષા અને બેંકિંગ સાથે જોડાયેલાં લોકો માટે સારો સમય શરૂ થશે. આ મામલે જોડાયેલાં મોટા અને મુખ્ય નિર્ણય પણ લેવાશે. કુલ મળીને ભગવાન વિષ્ણુના પ્રભાવમાં વૃદ્ધિ થવાથી રોગ અને માનસિક રીતે તણાવમાં ઘટાડો શરૂ થઈ જશે.
5 રાશિના જાતકો માટે ધનલાભ અને ઉન્નતિનો સમય
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે ગુરુ પોતાની જ રાશિમાં આવી જવાથી શુભ પ્રભાવ વધશે. વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં કિસ્મતનો સાથ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન અને મનગમતું સ્થાન પરિવર્તન થઈ શકે છે. અધિકારીઓ પાસેથી મદદ પણ મળવાના યોગ બનશે. આ સિવાય બિઝનેસ કરનાર લોકોના અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે. બિઝનેસમાં ઉન્નતિ થવાની શક્યતા છે. લેવડ-દેવડ અને રોકાણ સહિત અનેક મામલે કિસ્મતનો સાથ પણ મળી શકે છે.
મકર સહિત 3 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે
આ દિવસોમાં તુલા, ધન, મીન અને મિથુન રાશિના લોકો ઉપર ગુરુની મિશ્રિત અસર રહેશે. આ 4 રાશિના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો માટે સમય સામાન્ય રહેશે. ત્યાં જ, મેષ, સિંહ અને મકર રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ 3 રાશિના લોકોએ જોખમ અને ઉતાવળ કરવાથી ખાસ બચવું પડશે. રોકાણ અને લેવડ-દેવડના નિર્ણય પણ સાવધાની સાથે કોઈ અનુભવી વ્યક્તિની સલાહથી લેવા પડશે. આ રાશિના રાજનીતિ સાથે જોડાયેલાં લોકોએ ખાસ સાવધાની રાખવી પડશે.
ગુરુ ગ્રહ માટે શું કરવું
આજે બપોરે 3.57 વાગ્યે ગુરુ મીન રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ ગ્રહ મૂળભૂત રીતે વિદ્યા, ધન, સંતાન, બ્રાહ્મણત્વ વગેરેનો કારક હોવાનું મનાય છે. ભારતીય સંસ્કૃતિમાં ‘અતિથિ દેવો ભવ:’ મનાય છે. આથી ગુરુ ગ્રહનું કુંભ રાશિમાંથી મીનમાં પ્રવેશ માટે તેનું જ્યોતિષની વૈદિક પદ્ધતિથી સ્વાગત કરવાથી ગુરુના શુભ કારકત્વમાં વધારો થશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા મુજબ, ગુરુ ગ્રહનું સ્વાગત કરવા માટે સૂર્યોદય પહેલાં ઊઠી ઇષ્ટદેવને શુદ્ધ ઘીનો દીવો કરી, પોતાના ગુરુની પ્રાર્થના કરવાની હોય છે. પરિવારના સભ્યોએ કાંડા પર પીળા રંગનો દોરો બાંધવો, ગુરુમંત્ર ‘ૐ રિમ્ ગુરુવે નમઃ’ના જાપ કરવા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.